Skip to main content

Posts

Showing posts from June, 2024

ભાવનગરમાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત:વલ્લભીપુર અને ઉમરાળામાં પોણા 2 ઈંચ, મહુવા અને તળાજા માં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો

ભાવનગર શહેરમાં સતત ચોથા દિવસે સવારથી જ ધીમી ધારે અવિરતપણે વરસાદ શરૂ રહેતા વાતાવરણમાં તાપમાનનો પારો ગગડયો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી,લોકો ને ગરમી થી રાહત મળી હતી, જ્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને ઉમરાળામાં પોણા બે ઈંચ તથા મહુવા અને તળાજામાં એક-એક ઈંચ ઘોઘમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય જિલ્લા માં સામાન્ય વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં રાજ્યના આણંદ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારી ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા ભાવનગર જિલ્લામાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં - 43 મિમી, ઉમરાળામાં -41 મિમી, ભાવનગરમાં - 9 મિમી, ઘોઘામાં - 21 મિમી, સિહોરમાં - 17 મિમી, ગારીયાધારમાં - 10 મિમી, પાલીતાણામાં - 15 મિમી, તળાજામાં - 27 મિમી, મહુવામાં - 34 મિમી તથા જેસરમાં - 2 મિમી વરસાદ વરસ્યો હતો, છેલ્લા 6 દિવસનું શહેરનું તાપમાનનો પારો તા.25 જૂનના ર...

પઠાણી ઉઘરાણી કરતાંં ફરિયાદ:કારખાનેદાર પાસેથી 30 ટકા જેટલું વ્યાજ વસૂલનાર કરિયાણાના વેપારી સામે પોલીસ ફરિયાદ,1.55 લાખ પરત કરી દીધા બાદ વધુ 3 લાખ વ્યાજ માંગ્યુ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને રાજકોટ નજીક શાપરમાં કારખાનું ધરાવતા એક કારખાનેદારે કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક કરિયાણાના વેપારી પાસેથી 1.55લાખની રકમ 30 ટકા લેખે વ્યાજે લીધા પછી મુદ્દલ રકમ પરત કરી દેવા છતાં વધુ ત્રણ લાખનું વ્યાજની માંગણી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે, મૂળ રાજકોટના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર​​​​​​​ગામમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનું ધરાવતા ચિરાગ ઘોડાસર નામના કારખાને જાહેર કર્યા અનુસાર પોતાના ધંધાની જરૂરિયાત માટે ફેબ્રુઆરી 2024ની સાલમાં કાલાવડના નિકાવા ગામમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા અમિત ભાયાણી પાસેથી 1.55 લાખ 30 ટકા લેખે વ્યાજે લીધા હતા. જેન થોડો સમય માટે પ્રતિદિન 14,500 રૂપિયા લેખે વ્યાજ ચૂકએ રાખ્યું હતું. પરંતુ પાછળથી ધંધામાં ખોટી જતાં વ્યાજ દેવાનું બંધ કર્યું હતું, અને તેની મુદ્દલ રકમ 1,55,500 રોકડા ચૂકવી આપ્યા હતા. તેમ છતાં કરિયાણાના વેપારી દ્વારા હજુ ત્રણ લાખ રૂપિયા​​​​​​​નું વ્યાજ ચૂકવવાનું બાકી છે, તેમ કહી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા. જેથી આખરે મામલો કાલાવડ...

વરસાદી માહોલ:ધનસુરામાં નવીન ગટર બનાવવા છતાં જવાહર બજારમાં વરસાદી પાણી ભરાયાં

ધનસુરાના જવાહર બજારમાં પાણી ભરાવાની સમસ્યાને લઇ જિલ્લા પંચાયત સદસ્યે 15 લાખની ગ્રાન્ટ ફાળવતાં પંચાયતે ગટરનું કામ યોગ્ય ન કરતાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધનસુરાના જવાહર બજારમાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોથી હોવાથી સમસ્યાના કાયમી નિકાલ માટે ધનસુરા જિલ્લા પંચાયત સીટના જિલ્લા સદસ્ય દ્વારા 15 લાખની ગ્રાન્ટ જવાહર બજારના પાણીના નિકાલ માટે પાકી ગટર બનાવવા માટે ફાળવી હતી. જેનું કામ ધનસુરા પંચાયત દ્વારા કરાયું છે. પરંતુ ગટરના કામમાં પાણીના નિકાલ માટે યોગ્ય લેવલથી કામ ન થતાં ચોમાસાના પહેલા જ વરસાદમાં જવાહર બજારમાં પાણી ભરાઈ જવાના પ્રશ્નના લીધે ગ્રામજનો તથા વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. પહેલા જ વરસાદમાં પોલ ખુલી જતાં ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયાની બુમો ઉઠી છે. ધનસુરા વેપારી એસોસીએશન દ્વારા આ સમસ્યાના કાયમી નિકાલ માટે રજૂઆત કરતાં જિલ્લા સદસ્ય દ્વારા સદર ગામના પાણીના નિકાલની મુખ્ય સમસ્યા માટે 15 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ગટર બનાવવા 15 લાખ ફાળવ્યા હતા _photocaption_જવાહર બજારમાં પાણી ભરાઇ ગયા હતા}જીગર પટેલ*photocaption* ...

અકસ્માતનો ખતરો:ઓવરબ્રિજની દીવાલ પર યુવાનોની જોખમી સેલ્ફી

નવસારી શહેરને પૂર્વને પશ્ચિમથી જોડવા માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે. આ બ્રિજ ઉપર થોડા સમયથી દિવસે અને રાત્રિના સમયે યુવાનો જોખમી રીતે દિવાલ ઉપર બેસી ફોટોગ્રાફી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ પાંચ સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ યુવાનો ઓવરબ્રિજની દીવાલ ઉપર ચઢીને મોબાઈલથી વીડિયો બનાવી રહ્યા છે. જોખમી રીતે બ્રિજની દીવાલ પર ઉભા રહી આ રીતે ફોટોગ્રાફી કરતી સમયે અકસ્માત પણ સર્જાઈ શકે છે. UNHRC સંગઠન દ્વારા પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઓવરબ્રિજ ઉપર થતી પ્રવૃત્તિ અંગે લગામ લગાવવાની માંગ કરી હતી પરંતુ આ મામલે હજી સુધી તંત્ર કે પોલીસ દ્વારા આવા યુવાનો સામે પગલા ભરવામાં આવ્યા નથી. UNHRCના સભ્ય વિરલ ગજ્જરના જણાવ્યા અનુસાર અમે આ મામલે તંત્રને જાણ કરી છે યુવાનો બેફિકર બની ઓવરબ્રિજના પાણી ઉપર બેસી વીડીયો શુટ અને રીલ બનાવે છે જે જોખમી છે આવા પ્રકારના કાર્યથી અકસ્માતનો ખતરો રહેલો છે. http://dlvr.it/T8zvwb

હાઇવે પર લાંબો ટ્રાફિક જામ:આંબોલી નજીક તાપી નદીના બ્રિજ પર બ્રીજના જોઇન્ટ વચ્ચે મૂકવામાં આવેલી પ્રતિબંધ પ્લેટ ખસી જતાં NHAI વિભાગે કામગીરી હાથ ધરી

સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48નું સંચાલન કરતા NHAI વિભાગથી સૌ કોઈ ત્રાસી ગયા છે. NHAI વિભાગની ઢીલી કામગીરીને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. કામરેજ તાલુકાના આંબોલી ગામે તાપી નદીના બ્રિજ પર બ્રીજના જોઇન્ટ વચ્ચે મૂકવામાં આવેલી લોખંડની પ્લેટ આજે ફરી ખસી જતાં NHAI વિભાગની ટીમ દોડી ગઈ હતી અને પ્લેટ ફરી મૂકવાની કામગીરી હાથ ધરી હતી. જેને લઇને બ્રીજની એક લાઈન બ્લોક કરવામાં આવતાં નેશનલ હાઇવે 48 પર લાંબો ટ્રાફિક જામ થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. લોકોને NHAI વિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક મહિનાઓથી આંબોલી પાસે તાપી નદીના બ્રિજ પર NHAI દ્વારા મોટી લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે. અવાર નવાર આ લોખંડની પ્લેટ ખસી જતાં લોકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. http://dlvr.it/T8zVNK

સરકારી સ્કૂલની ડિમાન્ડ વધી:સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 26,145 બાળકોને પ્રવેશ કરાવી રેકોર્ડ સર્જાયો, છ હજારથી વધુ વિદ્યાર્થીએ ખાનગી સ્કૂલ છોડી

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણનું સ્તર વધારવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ, સુરત કોર્પોરેશનની ગ્રાન્ટ અને સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટ થકી વિદ્યાર્થીઓને વધુમાં વધુ સુવિધાઓ આપવાના હેતુ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા એકમાત્ર એવી નગરપાલિકા છે કે, જેમાં સાતથી વધુ ભાષામાં બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અનોખી રીતે બાળકોને સ્કૂલમાં આવકારવામાં આવ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ બાળકો આવે તેના માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, જેના પરિણામો પણ હવે દેખાવા લાગ્યા છે. સામાન્ય રીતે સરકારી સ્કૂલોની છબી સારી હોતી નથી, તેથી વાલીઓ પોતાના બાળકના શૈક્ષણિક ભવિષ્ય માટે વધુ ફી ભરીને પણ ખાનગી સ્કૂલોમાં મોકલતા હોય છે. પરંતુ હવે ધીરે ધીરે સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે અને તેને કારણે વાલીઓની માનસિક્તા પણ બદલી રહી છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા છે. બાળકોને કુમકુમ પગલે અનોખી રીતે સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સ્કૂલ પ્રવેશ દરમિયાન ઉત્સવનો માહોલ ...

છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ:પાવી જેતપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે બપોરે પાવી જેતપુર ખાતે ધોધમાર વરસાદ વરસ્યા બાદ વાદળછાયું વાતવરણ સતત રહ્યું હતું અને આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં ચોમાસુ બેસી ગયું છે અને દરરોજ ઓછો વત્તો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે બપોરે લગભગ અડધો કલાક જેટલો વરસાદ અવરસ્યા બાદ સતત વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું હતું. ત્યારે આજે પાવી જેતપુર ખાતે વહેલી સવારે લગભગ 6.30 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લગભગ અડધો કલાક ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી પાણી થઇ ગયું હતું અને વરસાદ બંધ પાડયા પાણી ઓસરી ગયા હતા. આ રીતે પડી રહેલા વરસાદને પગલે વરસાદમાં પાણી જમીનમાં ઉતરી રહ્યા છે. જેને લઇને જમીનમાં પાણી ઉતરતા પાણીના સ્તર ઊંચા આવે તેવી સંભાવનાઓ પણ જોવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લામાં વરસાદ એકંદરે ઓછો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લાનો સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પરંતુ આ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. http://dlvr.it/T8yXCN

રજૂઆત:ચોપાટી ખાતે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ્ટ છવાયો

પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે ચોપાટીનું નવીનીકરણ કરવામા આવ્યું હતું, પરંતુ મોટાભાગે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાની ફરીયાદો ઉઠતી રહે છે. હાલ કાળઝાળ ગરમીમા રાહત મેળવવા માટે લોકો ચોપાટી ખાતે ટહેલવા આવે છે અને મોટી સંખ્યામાં લોકો રાત્રીના સમયે આવતા હોય છે, તો પ્રવાસીઓ પણ ચોપાટી ખાતે આવતા હોય છે. ગઈકાલે શુક્રવારે મુખ્ય ચોપાટી ના પ્રવેશ દ્વાર પાસે, ચોપાટીના પાર્કિંગ ખાતે અને ચોપાટી ખાતે 50 ટકા જેટલી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં જોવા મળી હતી. સ્ટ્રીટ લાઈટ બંધ થતા અંધારપટ્ટ છવાઈ જાય છે. બાળકોને રમત ગમતમાં પણ મુશ્કેલી પડે છે અને ટહેલવા આવતા નાગરિકોને પણ અંધારપટ્ટના કારણે મુશ્કેલી પડે છે. આગામી સમયમાં જાગરણ, દિવાસો વગેરે તહેવારો આવશે. ત્યારે પોરબંદરની ચોપાટી ખાતેની તમામ સ્ટ્રીટ લાઈટોનું ચેકીંગ કરી, બંધ લાઈટો રિપેર કરી ચોપાટીને ઝળહળતી રાખવામાં આવે તેવી સામાજિક કાર્યકર અમિતભાઈ ખોડાએ તંત્ર સમક્ષ માંગ કરી છે. http://dlvr.it/T8yNMC

વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો:સ્નાતક કોર્સમાં એડમિશન માટે 4થી 6 જુલાઈ સુધી જીકાસ પોર્ટલ ખુલ્લું રહેશે

સરકારી યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તે માટે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં એડમિશન માટે નવી અરજી સ્વીકારવાનો અને જે વિદ્યાર્થીઓએ અગાઉ અરજીઓ કરી છે તેમને સુધારવાની તક આપવા GCAS પોર્ટલ ફરી ઓપન કરવાનો નિર્ણય કરાયો છે. શિક્ષણ વિભાગના અગ્રસચિવની ઉપસ્થિતિમાં લેવાયેલા નિર્ણયોમાં સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે 4થી 6 જુલાઈ સુધી નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા GCAS પોર્ટલ ઓપન કરાશે, જ્યારે 1થી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ અગાઉ અરજી કરી છે તેમની અરજી સ્વીકારવા GCAS પોર્ટલ ઓપન કરાશે. વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ મારફતે વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની પ્રોફાઈલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ કરી શકશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે તેઓ કોલેજ, યુનિવર્સિટીમાં જઈને પોતે પ્રવેશ રદ્દ કરાવી શકે છે. http://dlvr.it/T8yDk2

ભારતીય આર્થશાસ્ત્રીઓનું મનોમંથન:ICMAIનું 61મું નેશનલ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સનું ત્રિદિવસીય કન્વેન્શન નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ખાતે યોજાયું

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICMAI) 61મું નેશનલ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ નું ત્રિદિવસીય કન્વેન્શન નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ખાતે નર્મદા ટેન્ટ સિટી 2 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ICMAIની સમગ્ર ટીમ અને ભારતના તજજ્ઞો અર્થશાસ્ત્રીઓ જોડાયા હતા. CMA પ્રમુખ અશ્વિન જી દલવાડી, સેક્રેટરી કૌશિક બેરનજી, ઉપ પ્રમુખ CMA બી બી નાયક, CMA મનોજ કુમાર આનંદ, કાઉન્સિલ મેમ્બર, ICMAI અનુક્રમે કેવડિયા એકતાનગર ખાતે મળેલા 61મા NCMAC ની ત્રિદિવસીય શિબિર માં મુખ્ય વિષય "વિકસીત ભારત 2047 " રાખવામાં આવ્યો હતો અને સંકલ્પથી સિદ્ધિ માટે સંકલન ઉત્પ્રેરક કરવું છે. જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047માં સ્વતંત્રતાના 100મા વર્ષે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝનને અનુરૂપ દેશની આર્થિક સંસ્થાઓ ભેગી મળીને ભારતના ઉત્કર્ષ માટે ચર્ચા કરવામાં આવી છે અને જેમાં ખાસ કરીને ભારતને આર્થિક સદ્ધરતા વધારવા ઈકોનોમી ગ્રોથ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી અને ત્રિદિવસીય શિબિરમાં થયેલ ચર્ચા નો રિપોર્ટ બનાવી સરકાર સાથે કેવા સુધારા વધારા કરવા. આ સાથે 2047 માં વિકસિત ભારત કેવીરીતે બનાવવુ...

સામાજિક સંદેશનો પ્રસાર:આલાપ તન્નાની શોર્ટ ફિલ્મ ‘ડૂબકી’ જર્મન ભાષામાં ડબ થશે અને યુરોપની શાળાઓ અને હૉસ્પિટલમાં બતાવાશે

મૂળ અમદાવાદના અને સી.એન. વિદ્યાવિહારના વિદ્યાર્થી (2011 થી 2016) આલાપ તન્નાની શોર્ટ ફિલ્મ ‘ડૂબકી’ ફિલ્મ જર્મન ભાષામાં ડબ થશે. અગાઉ આ ફિલ્મ SCHLiNGEL – International Film Festival for Children and Young Audienceમાં રજૂ થઈ હતી. સામાજિક સંદેશના પ્રસાર માટે જે શોર્ટ ફિલ્મોમાં ઉત્તમ સંદેશ હોય તેને યુરોપની શાળાઓ અને હૉસ્પિટલમાં રજૂ કરાશે. ડૂબકીનો પણ તેમાં સમાવેશ કરાયો છે. હૈદરાબાદમાં ફિલ્મ મેકિંગ વિષયમાં અભ્યાસ કરતી વખતે આલાપ તન્નાએ 2021માં ગ્રેજ્યુએશન પ્રોજેક્ટના ભાગરૂપે 15 મિનિટની આ શોર્ટ ફિલ્મ હિન્દી ભાષામાં બનાવી હતી. આ ફિલ્મમાં ગરીબ વસ્તીમાં રહેતા એક બાળકની વાત છે. તેનો અને તેના પરિવારનો પાણી-ઝૂરાપો ફિલ્મમાં કલાત્મક રીતે રજૂ થયો છે. ‘ડૂબકી’ ફિલ્મ યુક્રેન, યુનાઇટેડ કિંગડમ, ઇટાલી, ઉરુગ્વે, જર્મની, બુડાપેસ્ટ, ઓસ્ટ્રિયા, યુએસએ, દક્ષિણ કોરિયા અને ભારતમાં જુદા જુદા ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. http://dlvr.it/T8wlG1

તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું:પીએશ્રી સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો; સ્કૂલ ઓફ એક્ષલન્સ અંતર્ગત બાંધકામ થયેલ નવા રૂમનું લોકર્પણ કરાયું

પીએશ્રી સજનપર પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને નાયબ નિયામક અને ટેક્નિકલ શિક્ષણના કમિશ્નર-ગાંધીનગર એમ.જે.અધારાની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવની ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાલવાટીકા અને ધો. 1મા નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો અને બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. આ સાથે શાળાના ધો. 3થી 8ના વાર્ષિક પરિક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ જુદી જુદી પરીક્ષાઓ જેવી કે CET, જ્ઞાનસાધના, NMMS, DLSS અને સૌથી વધુ હાજરી ધરાવતા બાળકોને વિવિધ ઇનામોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા. આ તકે શાળામાં અભ્યાસ વિવિધ ઇનામો અને તિથિ ભોજનના દાતાઓનું શાળા પરિવાર વતી સાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું. તેમજ આ તકે શાળામાં સ્કૂલ ઓફ એક્ષલન્સ અંતર્ગત બાંધકામ થયેલ નવા રૂમનુ લોકર્પણ પણ કરવામાં આવ્યું અને સરકાર દ્વારા અપાયેલ નિપુણ ભારત અંતર્ગત વિવિધ સાહિત્યનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં શાળાના તમામ શિક્ષકોની અથાગ મહેનત બદલ સમગ્ર...

તપાસ:ધરમપુરના પાટીયા પાસે રહેતો યુવાન 15 દિ'થી ગુમ

પોરબંદર જિલ્લાના ધરમપુર ગામના પાટીયા પાસે રહેતો એક યુવાન ગત તા. 13-06-2024 સવારના સમયે ઘરેથી પોતાની મેળે કોઇને કંઇ કહ્યા વગર ચાલ્યો જતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી અને આજદિન સુધી તેનો કોઇ પતો ન લાગતા પોલીસમાં જાણ કરવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના ધરમપુર ગામના પાટીયા પાસે રહેતો રણમલ ગજરાજભાઇ સુમાયત નામનો યુવાન ગત તા. 13-06-2024 સવારના સમયે ઘરેથી પોતાની મેળે કોઇને કંઇ કહ્યા વગર ચાલ્યો ગયો હતો. તેના પરિવારજનોએ રણમલની શોધખોળ હાથ ધરી હતી અને આજદિન સુધી તેનો કોઇ પતો ન લાગતા આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે. http://dlvr.it/T8wYR2

અનુરોધ:પાણીજન્ય રોગચાળો અટકાવવા શુદ્ધ પાણીનો ઉપયોગ કરવો

જામનગરમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા મહાપાલિકાના જુદા-જુદા વિભાગની મીટીંગ મળી હતી. જેમાં રોગચાળો અટકાવવા શુધ્ધ પાણીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર શહેરમાં ચોમાસામાં પાણીજન્ય રોગચાળો વધવાની સંભાવના વધુ હોય રોગચાળાના નિયંત્રણ માટે મનપાના વિવિધ વિભાગની મીટીંગ મળી હતી. જેમાં પાણીજન્ય રોગચાળો ટાળવા માટે ખુલ્લામાં શૌચ ન કરવા, ચોખ્ખા પાણીના સ્ત્રોતનો યોગ્ય ઉપયોગ કરવા, સ્વચ્છ, તાજા અને ઢાંકેલા ખોરાકનો ઉપયોગ કરવા, મચ્છરની ઉત્પતિ અટકાવવા, તાવ, ઝાડા, ઉલ્ટી વગેરે લક્ષણો દેખાય તો તુરંત તબીબની સલાહ લેવા, પાકી ગયેલા અને બગડેલા ફળોનું સેવન ન કરવા લોકોને મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે. http://dlvr.it/T8wM2L

32 એકરમાં બનશે સમસ્ત રાજપૂત સમાજનું આસ્થાનું કેન્દ્ર:શ્રી ભવાનીધામ મંદિર નિર્માણ કાર્ય પૂરજોશમાં; 1700થી પણ વધુ દર્શનાર્થીઓ એક સાથે બેસી શકશે

સમસ્ત રાજપૂત સમાજ દ્વારા શ્રી ભવાનીધામ મંદિર આકાર લઈ રહ્યું છે. મંદિર નિર્માણના આ કાર્યમાં સમાજના શ્રેષ્ઠીઓ અને વડીલોનો સહકાર મળી રહ્યો છે. સમસ્ત રાજપૂત સમાજના આ કાર્યને દેશ-વિદેશના ધર્મ પ્રેમીઓએ પણ વધાવી લીધું છે. હિન્દુ સનાતનની પરંપરા મુજબ સંપૂર્ણપણે શિલ્પ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અને વૈદિક પરંપરાને અનુસરીને મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 32 એકર જમીનમાં નિર્માણ પામી રહેલા માઁ ભવાનીના આ મંદિરમાં 1700થી પણ વધુ દર્શનાર્થીઓ એક સાથે બેસી શકશે. મંદિર નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સમસ્ત રાજપૂત સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ભવાની ધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલ ભવાનીધામ સંદર્ભે અને મંદિર નિર્માણની સાથે સાથે અન્ય જે સામાજીક સંકલ્પ કરવામાં આવ્યા છે. આ અંગે વિસ્તૃત માહિતી માટે પત્રકાર પરિષદનું આયોજન અમદાવાદમાં એક હોટલ ખાતે તારીખ 29 જૂન, 2024ને શનિવારે સવારે 10:45 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, કિશોરસિંહ ચૌહાણ, કાનભા ગોહિલ, જશાભાઇ બારડ (પૂર્વ મંત્રી), વિજયસિંહ બારડ, નારણભાઈ સગર, બાબુસિંહ જાદવ (ધારાસભ્ય), કિરીટસિંહ...

એજ્યુકેશન:શ્રી વિઠ્ઠલભાઇ ઝવેરભાઈ પટેલ શાળા નંબર 213માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

શ્રી વિઠ્ઠલભાઇ ઝવેરભાઈ પટેલ શાળા નંબર 213માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માજી કોર્પોરેટર ભદ્રેશભાઈ પરમાર, સામાજિક કાર્યકર્તા રસુલભાઈ પઠાણ, યુવા મોરચાના પ્રમુખ અજહરભાઈ પઠાણ, સુમન શાળા નંબર 17ના આચાર્યા મયુરીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહાનુભાવોએ બાલવાટિકાના બાળકોને કુમકુમ પગલા પડાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. સાથે સાથે ન.પ્રા.શિ.સમિતિ સુરત તરફથી આપવામાં આવેલ શૈક્ષણિક કીટની વહેંચણી કરવામાં આવી હતી. મહાનુભવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ગત વર્ષમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર ધોરણ 3થી 8ના બાળકોને તેમજ એકમ કસોટીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત ગત વર્ષમાં સૌથી વધુ દિવસ હાજર રહેનાર નિયમિત બાળકને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. NMMSની પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ કાર્યક્રમમાં ખૂબ આનંદિત જણાયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમને પૂ...

કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન:ખંભાળિયાના વાડીનાર ખાતે મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મહિલા અને બાળ અધિકારીની કચેરી અને નાયરા એનર્જી સંચાલિત પ્રોજેકટ એકસેલ સહયોગથી તથા ઇનશકિત ફાઉન્ડેશનના સંકલનથી કૌશલ્યવર્ધક રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર ખાતે બહેનો સાથે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં મદદનીશ સરકારી વકીલ અલ્પેશભાઈ પરમાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં કાયદાની જોગવાઈઓ તથા કલમો વિશે બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેઓ દ્વારા કાયદાના ઇતિહાસથી લઈ વિશાખા ગાઇડ લાઇન સુધીની કાયદાની સફર વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.સી.ડી. ભાંભી દ્વારા આ કાયદાની ફરીયાદ કરવા માટે આંતરીક અને સ્થાનિક સમિતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા સાથે થતી હિંસા રોકવાની અને બનતી મદદ કરવાની સામાજીક જવાબદારી અંગેની રોલમોડેલ તરીકેના વિષય પર વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. આ કાર્યક્રમાં ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના કર્મચારીઓ, સખી-વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, ...

નિરાધાર:સિહોરમાં 40થી વધુ પરિવારો ઘરના ઘરથી વંચિત

દિવસે–દિવસે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં માનવ વધતી ધીમે-ધીમે વધી રહી છે અને જેમ-જેમ માનવ વસતી વધી રહી છે તેમ-તેમ ગ્રામ્ય પંથકમાંથી લોકોની શહેરો તરફની દોટ પણ વધી રહી છે. સિહોરમાં ક્રિકેટ છાપરી પાસે ઝૂંપડપટ્ટી વસાહત આવેલી છે અને આ લોકો પતરાના ઘર કે ઝૂંપડામાં વસે છે. શિયાળાની ઠંડી હોય કે ચોમાસોનો ધોધમાર વરસાદ આ બધું તેમને મને –કમને સહન કરવું જ પડે છે.સિહોરમાં અંદાજે 40થી50 પરિવારો હાલમાં ક્રિકેટ છાપરી પાસે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરી રહયાં છે. એક તરફ તવંગરો અને બીજી તરફ ગરીબોની બંનેની સંખ્યા વધી રહી છે. ગરીબ માટે પોતાનું આવાસ એટલે કે ઘરનું ઘર એક બહુ મોટું સ્વપ્ન હોય છે.પરંતુ મોંઘવારી વચ્ચે આવા પરિવારો માટે ઘરનું ઘર એક સ્વપ્ન જ બની રહે છે.સિહોરમાં ક્રિકેટ છાપરી પાસે અંદાજે 40થી 50 પરિવારો ઝૂંપડપટ્ટી જેવી વસાહતમાં રહે છે. આ પરિવારો પાસે નથી પોતાનું ઘરનું ઘર નથી પાણીની સુવિધા. નથી શૌચાલયની સુવિધા. હાલાકીની વચ્ચે આ પરિવારો પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમસ્યા હલ કરે અત્યારે રોજગારીની સમસ્યા એ સૌથી મહત્વની સમસ્યા છે. આવાસ વિહોણા આ પરિવા...

વીજ ગ્રાહકોમાં ફફડાટ:ભાજપા નેતાને મેસેજ, બિલ અપડેટ નહીં થયું હોવાથી વીજ જોડાણ રાત્રે કપાઈ જશે

ઓટીપી અને પીન અપડેટ કરવાના નામે સાઈબર માફિયાઓ લોકોના બેંક ખાતા ખાલી કરવાના બનાવો અવારનવાર બને છે, ત્યારે એક ભેજાબાજે જિલ્લા ભાજપાના અગ્રણીને સોશીયલ મીડીયા દ્વારા મેસેજ મોકલ્યો હતો કે તમારું ગયા માસનું વીજ બીલ અપડેટ નહીં થયું હોવાથી તમારું વીજ જોડાણ રાત્રે નવ વાગે કપાઈ જશે અને તે માટે વીજ અધિકારીનો સંપર્ક સાધવો, મેસેજના પગલે નેતાએ વીજ કંપનીનો સંપર્ક સાધ્યો હતો ત્યારે વીજ કંપનીએ મેસેજ ફેક હોવાનું જણાવતાં નેતાએ રાહતનો દમ ખેંચ્યો હતો. આ બનાવની વિગતો એવી છે કે ‘ સાવલી તાલુકામાં શૈક્ષણિક સંસ્થાના અગ્રણી ટ્રસ્ટી અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રભારી-પૂર્વ જિલ્લા મહામંત્રી (વડોદરા જિલ્લા ભાજપા) ધર્મેશ પંડયાના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો,ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના લેટર હેડ દ્વારા મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે ‘ ડીયર કસ્ટમર, તમારું વીજ પુરવઠાનું જોડાણ આજે રાત્રે નવ વાગે કાપી નાંખવામાં આવશે કારણ કે તમારા ગયા માસનું બીલ અપડેટ થયું નથી જેથી મહેરબાની કરીને કોલ કરીને અમારા ઇલેકટ્રીસીટી ઓફિસરને કોલ કરવો,મેસેજમાં એમ પણ જણાવાયું છે કે ‘ વિદ્યુત મંત્રાલય ગ્રાહકોને અપડેટ કરવાની બાબતને ઉતેજન આપે છે.મેસેજમ...

3 લાખ વૃક્ષો લગાવાશે:વડોદરામાં લાયન્સ કલબ દ્વારા 29 મીએ "લાયન્સ ગૌરવ" રેલીનું આયોજન

લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા તા. 29 જૂનના રોજ "લાયન્સ ગૌરવ" રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્લબ દ્વારા જુલાઇ માસમાં 3 લાખ વૃક્ષો લગાવવાનું અને તેનું જતન કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. સમાજની જરૂરિયાત મુજબ સેવા કાર્યો "લાયન્સ ગૌરવ" રેલીના આયોજન અંગેની માહિતી આપતાં લાયન્સ ક્લબના માજી ગવર્નર સંજીવ પંચોલીએ જણાવ્યું હતું કે, વિશ્વના 208 દેશોમાં ફેલાયેલી લાયન્સ ઇન્ટરનેશનલ સેવાના કાર્યો કરતી સૌથી મોટી સંસ્થા છે. વિશ્વની લાયન્સ કલબો ડાયાબિટીસ, બાળકોના કેન્સર, ભૂખ્યાને ભોજન, આંખના ઓપરેશન, પર્યાવરણ, યુવા શક્તિનો વિકાસ વગેરે અનેક માનવતાવાદી સેવા કાર્યોમાં હંમેશા તત્પર રહે છે. લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 એટલે કે મધ્ય ગુજરાતમાં આવેલ તમામ રેવન્યુ ડિસ્ટ્રીકટમાં 116 કરતા વધારે લાયન્સ ક્લબો અને 4,000 કરતાં વધારે લાયન્સ ક્લબના સભ્યો સમાજની જરૂરિયાત મુજબ સેવા કાર્યો કરે છે. ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિયુક્ત​​​​​​​​​​​​​​ કર્યા શહેરના નામાંકિત ડેવલોપર લાયન રમેશભાઈ પ્રજાપતિ વર્ષોથી લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓમાં ઓત-પ્રોત છે. તેમની સેવા ભાવના અને ત...

કાર્યવાહી:ગેરકાયદે વાહન ઉંચકવાનો ભાર હવે પાલિકાના માથે

મુંબઈમાં ગેરકાયદે પાર્કિંગ કરેલા ટુવ્હીલર અને ફોર વ્હીલર વાહન ઉંચકવાનો ભાર હવે મુંબઈ મહાપાલિકાના માથે પડશે. એમાં મહાપાલિકા પરિવહન પોલીસને હાઈડ્રોલિક ટોઈંગ વેન્સની સેવા પૂરી પાડશે. એના માટે મહાપાલિકા લગભગ 11 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને એનો ભાર મહાપાલિકાની તિજોરી પર પડશે. મુંબઈ શહેર, પશ્ચિમ અને પૂર્વ ઉપનગરો વિભાગમાં ગેરકાયદે ઊભા કરવામાં આવેલા ટુવ્હીલર અને ફોર વ્હીલર વાહનોને ખેંચીને લઈ જવા 36 હાઈડ્રોલિક વેન્સની સેવા પાંચ વર્ષ માટે ભાડે લેવામાં આવી હતી. આ કરાર એપ્રિલ 2024માં પૂરો થયો બાદ હવે વધુ બે વર્ષ માટે નવો કરાર કરવામાં આવ્યો છે. આગામી બે વર્ષ માટે આ સેવા ભાડેથી લેવામાં આવી છે. એના માટે એક સંસ્થાની નિમણુક કરવામાં આવી છે. તેથી મહાપાલિકાએ ઉપલબ્ધ કરી આપેલી ટોઈંગ વેનના આધારે પરિવહન પોલીસ રસ્તા પર ગેરકાયદે પાર્ક કરવામાં આવેલા વાહન ઉંચકીને લઈ જશે અને વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરશે. આ દંડના રૂપિયા સરકારની તિજોરીમાં જમા કરવામાં આવશે. પણ એના માટે વાહનોની સુવિધા માટે તિજોરીમાંથી જ ખર્ચ કરવામાં આવશે. પાર્કિગ લોટ તેમ જ રેલવે સ્ટેશનના 500 મીટર પરિક્ષેત્રમાં રસ્તા પર ગેરકાયદે ઊભા કરવામાં આવેલા ટુવ્...

નશામુક્તિના શપથ:યુવાનોમાં પરફોર્મન્સ પ્રેશર, અપેક્ષા વધવાથી નશાનું દૂષણ વધી રહ્યું છે

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે “ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ ઝુંબેશના આંતરરાષ્ટ્રીય દિવસ (ઇન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઈલીસીટ ટ્રાફિકિંગ) વિષય પર સેમિનાર યોજાયો હતો. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.રમેશ પરમારે વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માટે સમજૂત કરી તેમને મિત્રો-પરિવારના અન્ય વ્યસની લોકોને નશો છોડાવવા અપીલ કરી હતી. ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલે ડ્રગ્સના વધતા ઉપયોગ અને તેનાથી થતી અસર તેમજ ભારતમાં ડ્રગ્સના વધતા ઉપયોગના કારણોમાં જીઓ પોલિટિકલ સિચ્યૂએશનની વિસ્તૃત સમજ આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હાલ યુવાનોમાં વધતા પરફોર્મન્સ પ્રેશર, જાત પાસેથી -સમાજની યુવાનો પાસેથી વધતી અપેક્ષાઓ, મહત્ત્વાકાંક્ષાઓ અને સેન્સ ઓફ ઈન્સિક્યુરિટીના કારણે પણ યુવાનોમાં આ દૂષણોનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રોફેસર ડો.મીનુ જસદણવાલાએ વ્યસનોની શારીરિક-માનસિક અસરો,તેના કારણે થતા ગુનાઓ, ભારતીય કાયદા તેના પરના પગલાંઓ વિશે પી.પી.ટી. દ્વારા વિસ્તૃત સમજણ આપી હતી. માનવ અધિકાર અને કાયદા ભવનના પ્રોફેસર રાજુભાઈ દવેએ તેમના વક્તવ્યમાં નશાના કેન્દ્ર બિંદુ પર ફોક...

શિષ્યવૃત્તિ યોજના:નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજનામાં 4.03 લાખ, નમો સરસ્વતીમાં 37 હજાર રજિસ્ટ્રેશન થયા

બાળકોનું શૈક્ષણિક ભાવિ વધુ ઉજ્જવળ બનાવવા અને કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહિત કરવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વર્ષ 2024-25ના બજેટમાં ‘નમો લક્ષ્મી યોજના’ અને ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અમલમાં મૂકી છે. ‘નમો લક્ષ્મી યોજના’માં અત્યાર સુધી રાજ્યની કુલ 11,966 શાળામાંથી 4,03,168 વિદ્યાર્થિનીની અરજી માન્ય રાખી છે. જેમાં રાજ્યના કુલ 33 જિલ્લામાંથી ડાંગ, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને બનાસકાંઠાની શાળાઓએ મોટી સંખ્યામાં નોંધણી કરાવી છે. ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’માં રાજ્યની 924 વિજ્ઞાન પ્રવાહ શાળાઓમાંથી 37 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે. આ નોંધણીમાં છોટાઉદેપુર, બોટાદ, ડાંગ, તાપી અને બનાસકાંઠા જિલ્લાઓ મોખરે છે. ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ જે વિદ્યાર્થિનીના કુટુંબની વાર્ષિક આવક રૂ.6 લાખ કે તેથી ઓછી હોય અને જે વર્ષ 2023-24માં ધોરણ-8થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કે જે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ- 9થી 12માં પ્રવેશ મેળવવા ઈચ્છતી હોય તેમને કુલ રૂ.50,000ની સહાય આપવામાં આવે છે. જ્યારે ...

પરીક્ષા:બી.એ., બી.કોમ. સહિત 15 કોર્સના 43,281 વિદ્યાર્થીની આજથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એ., બી.કોમ., બી.એસસી સહિતના જુદા જુદા કોર્સના બીજા સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા કેન્દ્રોમાં 43,281 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા માટે યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજના આચાર્યોને જરૂરી સુવિધા-વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે. અગાઉ કોલેજોમાં સીલ લાગવાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા એક સપ્તાહ પાછળ ઠેલવવામાં આવી હતી. 27 જૂનથી શરૂ થનારી પરીક્ષામાં સૌથી વધુ બી.એ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 16,087 વિદ્યાર્થી અને બી.કોમ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 12,348 વિદ્યાર્થી પરીક્ષા આપશે. બી.એ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 16,087 અને એક્સટર્નલના 1925 વિદ્યાર્થી, બી.એ. આઈડી સેમેસ્ટર-1ના 14, બીએસડબલ્યુ સેમ-2ના 396, બીબીએ સેમ-2ના 3329, બી.કોમ. સેમેસ્ટર-2ના રેગ્યુલરના 12,348 અને એક્સટર્નલના 233, બીસીએ સેમેસ્ટર-2ના 6621, બી.એસસી આઈટી સેમેસ્ટર-2ના 520, બી.એસસી સેમેસ્ટર-2ના 1318, બી.એસસી એચએસ સેમેસ્ટર-2ના 201, બી.એ.બીએડ સેમેસ્ટર-2ના 46, એલએલએમ સેમેસ્ટર-1ના 198, એમએ એજ્યુ સેમેસ્ટર-2ના 43 સહિત કુલ 43,281 વિદ્યાર્થીની પરીક્ષા આજથી શરૂ થઇ રહી ...

વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી:ગોધરા નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં વિવિધ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી

ગોધરા શહેરના નગરપાલિકાના કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી નથી તે બાબતે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઈરલ થઈ હતી. જેના અહેવાલ દિવ્ય ભાસ્કર ડિજિટલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારે ગોધરા નગરપાલિકા દ્વારા આજરોજ પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા ગોધરા નગર પાલિકા પ્રમુખ સહિતના પક્ષ વિપક્ષના પાલિકા સભ્યો દ્વારા કુલ 16 મુદ્દા મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ગોધરા રેલવે સ્ટેશન બહાર શૌચાલયને અન્ય જગ્યાએ ખસેડવા માટે પણ સર્વે સભ્યોએ મંજૂરી આપી હતી. ગોધરા નગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકા પ્રમુખ સહિત સત્તાધારી પક્ષના સભ્યો તેમજ વિપક્ષ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલ 16 મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે તમામ 16 મુદ્દાનો ઉપસ્થિત સભ્યો દ્વારા સર્વ સમંતીથી મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં ગોધરા શહેરનાં રેલવે સ્ટેશન બહાર જે શૌચાલય છે તેને અન્યત્ર ખસેડવામાં આવે તે મુદ્દાને પણ સર્વ સમંતિથી તમામ સભ્યોએ મંજૂરી આપી હતી. આ ઉપરાંત નગરપાલિકાની વિવિધ સમીતીઓના ચેરમેનોની પણ વરણી કરી...

આયોજન:ગોધરાના લોકદરબારમાં જિલ્લામાંથી વ્યાજખોરો સામે 32 અરજીઓ આવી

રાજયમાં વ્યાજખોરો વિરુદ્ધ અસરકારક કામગીરી કરી આ બદી નેસ્તનાબુદ થાય તે અંગેની કામગીરી કરવા સુચનાઓ આપેલ હતી. જેથી બુધવારે ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટરની તાલીમ શાળામાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કર્યું હતું. લોકદરબારમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાતા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત બનેલા અનેક લોકોની રજૂઆત સાંભળી હતી. જેમાં અલગ અલગ તાલુકામાંથી ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહીને રજુઆત કરી હતી. લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત 32 વ્યક્તિઓની મૌખિક તેમજ લેખીત રજુઆતો મળી હતી. જેમાં કેટલીક રજુઆતનું સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવેલ હતું. અન્ય લેખિત રજુઆતોમાં જરૂરી પોલીસ કાર્યવાહી દિન 3માં પૂર્ણ કરી અરજદારોને ન્યાય અપાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. http://dlvr.it/T8mQLW

રોંગ સાઈડ જતા વાહનચાલકો સામે કાર્યવાહી:વડોદરામાં 68 ચાલકો સામે ગુનો દાખલ, ટ્રાફિક પોલીસે 102 વાહનચાલકોનું કાઉન્સેલિંગ કર્યું

વડોદરા શહેરમાં હાલ રોંગ સાઈડ જઈ રહેલા વાહનચાલકો સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં આજે રોંગ સાઈડ જઈ રહેલા 68 વાહન ચાલકો સામે આજે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ટ્રાફિક પોલીસે 102 વાહન ચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી વડોદરા ટ્રાફિક DCP જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, જાહેર માર્ગ ઉપર વાહનચાલકો રોંગ સાઈડ વાહન ચલાવતાં હોવાના કારણે અકસ્માત સર્જાતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. જેથી આવા વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી રોંગ સાઈડ ચલાવનાર વાહનચાલકો વિરૂધ્ધ સ્થાનિક પોલીસને સાથે રાખી અલગ-અલગ ટીમો બનાવી ટ્રાફિક શાખા દ્વારા તા. 22 જૂન 2024થી તા. 28 જૂન 2024 સુધી ખાસ ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. 102 વાહનચાલકોનું કાઉન્સેલિંગ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઝૂંબેશ દરમિયાન વડોદરા શહેરમાં રોંગ સાઈડ આવતા વાહનચાલકોને પકડી, પોલીસ સ્ટેશન બોલાવી તેઓના વાહનના પડતર ઈ-ચલણની માહિતી કઢાવી અને પડતર ચલણો સામે માંડવાળ રકમની ચુકવણી કરવા અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરતા છેલ્લા ચાર દિવસમાં રોંગ સાઈડ આવતાં કુલ-23 વાહનચાલકોને બા...

એડમિશનમાં ગોબાચારી:DRB કોલેજમાં BBAમાં પ્રવેશ માટે મેરિટ જમ્પ કરાવીને પ્રવેશ ફાળવ્યો, ત્રણ સભ્યોની કમિટીએ તપાસ શરૂ કરી

સુરતના વેસુ-ભરથાણાની ડીઆરબી કોલેજમાં બીબીએમાં પ્રવેશ માટે મેરિટ જમ્પ કરાવીને અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો હોવાની ઉઠેલી ફરિયાદના પગલે કુલપતિ દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસનો આરંભ કર્યો છે. દરેક કોલેજોને મેરિટ ફાળવી દેવાયા નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં જીકેસ પોર્ટલ દ્વારા દરેક કોલેજોને મેરિટ ફાળવી દેવાયા છે અને તે મેરિટના આધારે જ કોલેજોએ વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલીને પ્રવેશ ફાળવવાનું નક્કી કરાયુ છે. અને તે મુજબ જ કોલેજો દ્વારા વેસુ-ભરથાણાની ડીઆરબી કોલેજમાં બીબીએમાં પ્રવેશ માટે મેરિટ જમ્પ કરાવીને અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો હોવાની ઉઠેલી ફરિયાદના પગલે કુલપતિ દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસનો આરંભ કર્યો છે. તપાસ શરૂ પણ કરવામાં આવી મેરિટ લિસ્ટના આધારે ઓફર લેટર મોકલવામાં આવી રહ્યા છે. અને કોલેજો દ્વારા એક સામટા ઓફર લેટરો મોકલવામાં આવી રહ્યા હોવાથી વિદ્યાર્થીઓનો ભારે ધસારો થઈ રહ્યો છે. આ ધસારા વચ્ચે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન. ચાવડાને કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે બીબીએમાં મેરિટ જમ્પ કરીને પ્રવેશમ...

ગુજરાત સરકારે રાજ્યની ઉર્જા સુરક્ષા માટે પહેલ કરી:રાજ્યના ઉર્જા ક્ષેત્રના ભવિષ્યને વેગ આપવા માટે GUVNL અને GMDC સાથે જોડાયા: વાઈબ્રન્ટ ગુજરાતની ઉર્જા સુરક્ષાના ભાગીદારો

રાજ્યની વીજ જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે છેલ્લા 5 વર્ષો દરમિયાન 6% થી વધુના વાર્ષિક દરે (CAGR) વધી રહ્યો છે. રાજ્યમાં વર્ષ 2023-24 દરમિયાન 24544 મેગાવોટની મહત્તમ વીજ માંગ નોંધાયેલ છે, જે CEA ના 20th EPS રિપોર્ટના અંદાજ મુજબ વર્ષ 2031-32 માં 36 હજાર મેગાવોટ સુધી પહોચી શકે છે. માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દુરંદેશી નેતૃત્વ હેઠળ, રાજ્ય ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન અન્વયે ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ તથા ઉદ્યોગ અને ખનીજ વિભાગ, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે MOU કરેલ છે. માનનીય ઉર્જામંત્રીની પ્રેરક ઉપસ્થિતિમા તા. 25મી જૂન 2024ના રોજ MOU પર હસ્તાક્ષર કરેલ છે. જે અન્વયે ઉર્જા અને ખનીજ વિભાગની કંપનીઓ; ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ (GUVNL) અને ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GMDC) રાજ્યની લાંબા ગાળાની ઉર્જા સુરક્ષાને સંબોધવા હાથ મેળવ્યા છે. વીજ એકમોની નવી ક્ષમતાઓ ઉમેરવા ઉપરાંત જૂના કાર્યરત વીજ મથકોને બદલવાની જરૂરિયાતને ધ્યાને લઇ, GUVNL અને GMDC ના શીર્સ નેતૃત્વએ સાથે મળી કોલસા અને લિગ્નાઈટ આધારિત વીજ મથકોના વિકાસ થકી રાજ્યની...

સાબરકાંઠામાં પુરક પરીક્ષા:બીજા દિવસે ધો-10માં અંગ્રેજી વિષયમાં 479 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ -12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા-2024નો પ્રારંભ 24 જૂનથી થયો છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો-10 માં અંગ્રેજી(16) વિષયમાં કુલ 646 વિદ્યાર્થીઓ પૈકી 479 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 167 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં 6 દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-12માં અર્થશાસ્ત્ર (22) વિષયમાં 35 વિદ્યાર્થીઓ પૈકી 26 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 25 અને અંગ્રેજી માધ્યમમાં એક વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત(129) વિષયમાં કુલ 74 વિદ્યાર્થીઓ પૈકી 59 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 15 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી (13) વિષયમાં કુલ 266 વિદ્યાર્થીઓ પૈકી 198 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 68 ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી(06) વિષયમાં કુલ 17વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. http://dlvr.it/T8lpvc

નીટ કૌભાંડ:ગોધરામાં સીબીઆઇએ એક હજાર દસ્તાવેજ મેળવ્યા, બિહાર-રાજસ્થાનમાં વધુ કેસ

દેશવ્યાપી નીટ કૌભાંડમાં કેન્દ્ર સ્થાને રહેલા ગોધરામાં સીબીઆઇની ટીમ પહોંચી ગઈ છે. સ્થાનિક તપાસ અધિકારીએ એક હજાર કરતા વધુ દસ્તાવેજો સહિત પુરાવાઓ સીબીઆઇને સોંપતા સીબીઆઇની ટીમે દસ્તાવેજોનો અભ્યાસ કરીને તપાસ ચાલુ કરી છે. સમગ્ર દેશમાં નીટની પરીક્ષામાં થતી ગેરરીતિનો વિરોધ પ્રદર્શન થતા કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઇમાં નીટ બાબતની ફરીયાદ નોધાવી હતી. દેશમાં ગોધરા, બિહાર સહિત રાજ્યોમાં નીટને લગતી તપાસ સીબીઆઇને સોંપતા ગુજરાત રાજયના ગૃહ મંત્રાલયે પરીક્ષામાં ગેરરીતિ અંગેની ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાવામાં આવેલી ફરિયાદની તપાસ સીબીઆઇને સોપવા નોટીફિકેશન જાહેર કર્યાના ચોવીસ કલાકમાં ગોધરા ખાતે સીબીઆઇની ટીમ પહોંચીને તપાસ અધિકારી પાસેથી તપાસનો ચાર્જ લીધો હતો. સવારે 11 વાગ્યે સીબીઆઇની ટીમ ગોધરા આવીને ગોધરાના સર્કિટ હાઉસ ખાતે પહોંચી હતી. ચાર કરતા વધુ સભ્યોની ટીમ ને સર્કિટ હાઉસમાં તપાસ અધિકારીએ 1000 કરતા વધુ દસ્તાવેજો ભરેલા થેલા તથા પુરાવા સીબીઆઇને આપ્યા હતા. પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી પણ સર્કિટ હાઉસ ખાતે પહોચીને સીબીઆઇની ટીમને મળીને અત્યાર સુધીની તપાસ અંગેની વિગતો આપી હતી. સીબીઆઇને તપાસ વિગતો સ...

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ:અમદાવાદ શહેરમાં મોડી રાતે ગાજવીજ સાથે ભારે વરસાદ; દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં મોડી રાતે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ન્યુ રાણીપ, ગોતા, જગતપુર, રાણીપ, વૈષ્ણવદેવી, એસજી હાઇવે વગેરે વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. મેઘાણીનગર, શાહીબાગ, સિવિલ હોસ્પિટલ, કુબેરનગર, નરોડા સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. નિકોલ, નરોડા, બાપુનગર, સીટીએમ, ગોતા, વાડજ, રાણીપમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ. શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાયાં હતાં. ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. 30 મિનિટમાં વરસાદના પગલે રોડ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અમદાવાદમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની શક્યતાઃ હવામાન વિભાગ હવામાન વિભાગ દ્વારા 25 જૂનના રોજ રાત્રે 1 વાગ્યાના જાહેર કરાયેલા બુલેટિન અનુસાર આગામી 3 કલાક મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આ સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડામાં રાત્રિ દરમિયાન 3-4 કલાક સુધી ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વા...

સુરત ગ્રામ્યમાં 15 દિવસમાં 5 લોકોની હત્યા:16 લાખમાં બે મિત્રોનું મર્ડર, ભાણેજે મામા-મામીને મોતને ઘાટ ઉતાર્યાં તો પીપોદરામાં કાકાએ ભત્રીજાને રહેંસી નાખ્યો

સુરત ગ્રામ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુનેગારો ફાટીને ધુમાડે ગયા છે. પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ બેખોફ રીતે ક્રાઇમ કરી રહ્યા છે. હત્યા જેવી ઘટનાઓ પણ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરત ગ્રામ્યમાં છેલ્લા 15 દિવસમાં કુલ 05 લોકોની હત્યા થઈ છે. જેમાં બે ડબલ મર્ડરનો પણ સમાવેશ થાય છે. એકાએક વધી ગયેલી હત્યાની ઘટનાને લઇને પોલીસની પકડ ગુનેગારો પરથી ઓછી થઈ ગઈ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ ગુનેગારો પર લગામ રાખે એ હાલ જરૂરી બન્યું છે. પ્રથમ બનાવ : 8 જૂન 16 લાખની સોપારીમાં બે યુવકની હત્યા ગત 8 તારીખના રોજ ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે કબ્રસ્તાનના કબરમાં હત્યા કરાયેલી હાલતમાં દાટી દીધેલા બે મૃતદેહ મળ્યા હતા. બન્ને યુવકો સુરત શહેરના માથાભારે હોવાનું જાણવા મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જૂની અદાવતમાં 16 લાખની સોપારી આપી હત્યા કરાવનાર સુરત જિલ્લા AIMIMના નેતા ખુર્શીદ સૈયદ સહિત અન્ય બે ઇસમોને ઝડપી લીધા હતા. હજુ સોપારી લેનાર કુખ્યાત અફઝલ અને અન્ય ઇસમ ફરાર છે. મૃતક બન્ને સુરત શહેરના માથાભારે ઈસમો હતા ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલા કબ્રસ્...

મોરબીમાં SPનો લોક દરબાર:રાબેતા મુજબ ટ્રાફિકના પ્રશ્નોનો ઢગલો; 31 લોકોના મોબાઈલ શોધીને પોલીસે પરત આપ્યા

મોરબીમાં એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં આજે મોરબીમાં એ ડિવિઝન પોલીસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “તેરા તુજકો અર્પણ” હેઠળ 31 લોકોને તેમના ગુમ થયેલા મોબાઈલ પાછા આપવામાં આવ્યા હતા. લોક દરબારમાં ટ્રાફિક સહિતના પ્રશ્નો રાબેતા મુજબ આવ્યા હતા. મોરબીમાં જ્યારે પણ લોક દરબારનું આયોજન કરવામાં આવે ત્યારે તેમાં આવેલા આગેવાનો સહિતના લોકો શહેરના રોડ રસ્તા ઉપરના ટ્રાફિકની સમસ્યા, આડેધડ વાહન પાર્કિંગ, રોડ ઉપર લારી ગલ્લાના દબાણો સહિતની રજૂઆતો કરે છે. જો કે, તેનો કાયમી ધોરણે કયારે પણ નિકાલ કરવામાં આવતો નથી. તે હકીકત છે તેવામાં આજે એસપીની હાજરીમાં જે લોક દરબાર યોજાયો હતો. તેમાં રાબેતા મુજબ ટ્રાકીફની સમસ્યાની રજૂઆત કરવામાં આવી હતી તેમજ સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી. ત્યારે બાદ આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવા કામ કરતાં સમાજ સેવક જીવરાજભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં મોરબી શહેરી વિસ્તારમાંથી જે લોકોના મોબાઈલ ફોન ગુમ થાય હતા. તે મોબાઈલ ફોનને શોધીને પોલીસ દ્વારા 31 મૂળ માલિકોને પરત આપવા...

બરોડીયન ગર્લ સાઈકલ પર લંડન જવા રવાના:17 દેશ ફરી 200 દિવસમાં 15000 KM અંતર કાપશે, જ્યાં રોકાશે ત્યાં વૃક્ષારોપણ કરશે

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાત અંતરમાં છલકતો ઉત્સાહ અને અજાણ્યા લક્ષ્યો સર કરવાની અદમ્ય ઈચ્છા વ્યક્તિને જંપવા દેતી નથી. ગયા વર્ષે મે મહિનામાં વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર સર કરનાર વડોદરાની નિશાકુમારી હવે સાઇકલ ઉપર 200 દિવસમાં 15000 કિલોમીટરનું અંતર કાપી લંડન જવા ઘરેથી નીકળી છે. તે 23 જૂનના રોજ સવારે વડોદરાથી સાયકલ પર નીકળી છે અને આજે સાંજે મહેસાણા પહોંચી હતી.જ્યાં મહેસાણાના અર્બુદા ભવન ખાતે રાત્રી રોકાણ કરશે. બે ખંડ અને 17 દેશમાંથી પસાર થશે સાઇકલ પ્રવાસે નીકળી રહેલી નિશાકુમારી પૃથ્વીના બે ખંડો અને ચીન સહિતના વિવિધ 17 દેશો, ક્યાંક આકરી ગરમી તો ક્યાંક ઢગલો બરફવાળું વાતાવરણ, આ બધાનો સામનો કરીને ભારત ( વડોદરા) થી લંડનનો મહા સાઇકલ પ્રવાસ આદરવાનો તેણીએ મક્કમ સંકલ્પ કર્યો છે. માત્ર સંકલ્પ નથી કર્યો પણ વિગતવાર આયોજન કરી કાઢ્યું છે અને હવે ગઈ કાલે વહેલી સવારે વડોદરાથી મહા પ્રસ્થાન કરી આજે મહેસાણા પહોંચી છે. નિશા એ કરી દિવ્ય ભાસ્કર સાથે વાતચીત નિશા કુમારી એ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે હું હાલ વડોદરા થી લંડન સાયકલ ચલાવી ને જઈ રહી છું.હું એક એડવેન્ચર ગર્લ છું મારે કંઈક અલગ કરવું ...

ટી-20 વર્લ્ડ કપનું ગેરકાયદે સ્ટ્રીમિંગ અને સટ્ટાનો પર્દાફાશ:પાકિસ્તાન, દુબઈ અને કેનેડા સુધી નીકળ્યા કૌભાંડના તાર, માસ્ટર માઈન્ડ કેનેડામાં રહીને ચલાવતો હતો નેટવર્ક; બેની ધરપકડ

હાલ T-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટના ગેરકાયદે લાઈવ સ્ટ્રીમિંગ અને સટ્ટાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમને ફરિયાદ મળતા જ બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી માટે LOC નોટિસ જાહેર કરી છે. પકડાયેલા આરોપીઓના અને કૌભાંડના તાર પાકિસ્તાન, દુબઈ અને કેનેડા સુધી જોડાયેલા છે. કેનેડામાં રહેતો માસ્ટર માઈન્ડ આ સંપૂર્ણ નેટવર્ક ચલાવતો હતો. ટેક્નિકલ એનાલિસિસથી ગુનાનો ભેદ ઉકેલ્યો અમદાવાદ સાયબર ક્રાઇમને એક ફરિયાદ મળી હતી. જેમાં કેટલાક શખસો ગેરકાયદે રીતે ટી-20 વર્લ્ડ કપની ક્રિકેટ મેચનું સ્ટ્રીમિંગ કરીને અધિકૃત કંપનીને આર્થિક નુકસાન પહોચાડતા હોવાની માહિતી મળી હતી. સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનલીસિસની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઊંઝાના દિવ્યાશું પટેલ અને બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર આકાશ ગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. માસ્ટરમાઈન્ડ કેનેડામાં રહેતો હતો સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિન્હાએ આ ઘટના અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી દિવ્યાંશું પટેલે આઇટી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2011-12થી તે સોફ્ટવેર ડેવલોપરનું કામ શીખ્યો હતો. છેલ્લા બે વ...

20 દિવસ મોત સામે લડી ગુંજન ચીરનિંદ્રામાં પોઢી ગયો:સુરતમાં ધોડિયામાં સૂતેલા એક વર્ષીય બાળકને શ્વાને ફાડી ખાધો, બચાવવા એક આંખ કાઢી અને મોઢે 100 ટાંકા લીધા હતા

સુરત સહિત જિલ્લામાં શ્વાનોના આતંકને લઈને માસૂમ બાળકોને ભોગ બનવું પડતું હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લામાં એક કન્સ્ટ્રક્શન સાઇડ પર ઘોડિયામાં સૂતેલા એક વર્ષના બાળક પર સ્વાન તૂટી પડ્યું હતું અને ચેહરાના ભાગે કરડી લેતા આખો ચહેરો ફાડી નાખ્યો હતો. શ્વાનના આ હુમલામાં બાળકની એક આંખ પણ કાઢવી પડી હતી. જ્યારે આ બાળકને બચાવવા માટે તબીબોએ ચહેરા પર 100 જેટલા ટાંકા લીધા હતા. જોકે વીસ દિવસની સારવાર બાદ માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 3 જૂને તાતીથૈયાની કન્સ્ટ્રક્શન સાઈટ પર બાળક પર હુમલો સુરત જિલ્લામાં આવેલા તાતીથૈયા ગામ નજીક એક કન્સ્ટ્રક્શન સાઈડ પર રહેતા મોહન માલી અને પત્ની સાથે કન્સ્ટ્રક્શન સાઈડ પર કામ કરે છે. ગત ત્રણ જૂનના રોજ મોહન અને તેની પત્ની મજૂરી કરી રહ્યા હતા. ત્યારે તેમના 1 વર્ષના પુત્ર ગુંજનને ઘોડિયામાં સુવડાવેલું હતું. દરમિયાન એક કૂતરાએ ગુંજનને ઘોડિયામાંથી કાઢી ખેંચી લઈ ગયો હતો અને તેના ચહેરા અને માથાના ભાગે ફાડી ખાધું હતું. લોહીલુહાણ હાલતમાં બાળકને સ્મીમેર ખસેડાયો હતો કન્ટ્રક્શન સાઇડ પર કામ કરી રહેલા શ્રમજીવીઓએ આ બાળકને કૂતરો નોચતો હોવાનું જોયું હતું. આ ...

કલેક્ટરે લોકોના પ્રશ્નો સાંભળ્યા:રાજ્યમાં ચાલતા જમીન કૌભાંડને પગલે જિલ્લા કલેક્ટરે ગ્રામ પંચાયતોની મુલાકાત કરી

રાજ્યમાં હાલમાં જમીન કૌભાંડને લઈને તપાસનો દોરો ચાલી રહ્યા છે અને વિરોધપક્ષ નર્મદા જિલ્લામાં પણ જમીન કૌભાંડો થયા હોવાના આક્ષેપો કર્યા છે. ત્યારે આવા માહોલમાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા જિલ્લાના મહેસુલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લાની મહેસુલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મહેસુલી તેમજ લોકહિતની કામગીરી માટે જરુરી માર્ગદર્શન આપ્યું હતું અને રેકોર્ડ પણ ચકાસણી કરી હતી. એ પૂર્વે જિલ્લા કલેક્ટરની સૂચના મળતા પ્રાંત અધિકારીઓ, મામલતદારો તથા સર્કલ ઓફિસરોમાં દોડધામ મચી ગઈ હતી અને ત્રણ - ત્રણ ગામોની પ્રત્યક્ષ મુલાકાત કરી લોકસંવાદ દ્વારા સ્થાનિક પ્રશ્નોની જાણકારી મેળવવામાં આવી હતી.તેની તૈયારીમાં લાગ્યા હતા અને ગ્રામજનો કલેક્ટર સામે કોઈ પોલના ખોલી દે તેનો પણ ડર હતો. જિલ્લા કલેક્ટર ગ્રામપંચાયતના દફ્તરો તપસ્યા હોવાની કદાચ પ્રથમ ઘટના હશે આમ કરવા પાછળનું કારણ કાંઈ પણ હોઈ શકે પણ હાલ ચાલતો જમીન કૌભાંડનો રેલો નર્મદા જિલ્લામાંના આવે એની ખરાઈ તો કદાચ નથી થઇ રહી છે. તંત્રનું કહેવું છે કે મહેસુલી કામગીરીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આવેલી નાંદોદ તાલુકાની વડીયા, ગરૂડેશ્વર તાલુકાની ગોરા, તિ...

કોર્ટે વીમા કંપનીને હુકમ કર્યો:ગોમતીપુરમાં રહેતી મહિલાને વીમા કંપનીએ પૂરતો ક્લેમ ન આપતા કોર્ટે 9 ટકા વ્યાજ ચૂકવવા આદેશ આપ્યો

નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની મેડિકલ પોલીસી હોવા છતાં ગોમતીપુર વિસ્તારના રહેવાસી મહિલાને વીમા કંપની દ્વારા ક્લેમ કરેલ રકમ પૂરેપૂરી ના આપતા અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ન્યાય માટે ફરિયાદ ક હતીરી. નામદાર ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદ એડિશનલ દ્વારા ફરિયાદી મહિલાના કેસની હકીકતો જોતા બાકી રહેતી પૂરેપૂરી રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો છે તથા વીમા કંપનીની સેવામાં ખામી અને અનફ્રેર ટેડ પ્રેક્ટિસ સાબિત થતી હોવાનું પૂરવાર કર્યું છે. વીમા કંપનીએ ખર્ચની પૂરેપૂરી રકમ ન આપી અમદાવાદના રહીશ મહિલાને હેવી મેન્સ્ટ્રુઅલ બ્લડિંગના કારણે સ્ત્રી રોગ સંબંધિત તકલીફના કારણે સર્જરીની જરૂરિયાત ઊભી થયેલ હતી આ સર્જરી અને ટ્રીટમેન્ટમાં મહિલાને ₹4,00,998 જેટલી રકમનો ખર્ચ થયેલ હતો મહિલાએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વર્ષ 2016માં પ્રથમ પોલીસી ઉતરાવેલ હતી તથા પોલિસી ચાલુ કન્ડિશનમાં હતી. સમ ઇનશોર્ટ ₹5 લાખ હોવા છતાં વીમા કંપનીઓએ ખર્ચની પૂરેપૂરી રકમ આપેલ નથી. નોટ પેવલ ના નામે રૂપિયા 42,523 રકમ કાપી લીધી હતી અનફેર ટ્રેડ પ્રેક્ટિસ તથા વીમા સંબંધિત સેવામાં ખામી આ બાબતે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્...

સાંસદ પૂનમ માડમનો ઐતિહાસિક આભારવિધિ સમારોહ:ખંભાળિયામાં ભવ્ય બાઇક રેલી, વિવિધ સમાજ દ્વારા સન્માન કરાયું; હાલાર પંથકમાં 5 વર્ષ સતત વિકાસ કાર્યો કરાશે: પૂનમ માડમ

જામનગર લોકસભાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં હાલારની દીકરી અને સતત ત્રીજી વખત ચૂંટાયેલા પુનમબેન માડમનો આભાર વિધિ સમારોહ ખંભાળિયામાં ગઈકાલે રાત્રે ભવ્ય રીતે યોજાયો હતો. આ પૂર્વે ઐતિહાસિક રોડ શોમાં સમગ્ર ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે જોડાયા હતા. તાજેતરમાં યોજાઈ ગયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપએ અહીંના સક્રિય અને સક્ષમ ઉમેદવાર પૂનમબેન માડમને રીપીટ ટિકિટ આપતા સતત ત્રીજી વખત નોંધપાત્ર લીડ મેળવીને પૂનમબેન માડમ વિજેતા બન્યા છે. ત્યારે સામા પવનને અને અનેક પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ ગત વખત કરતા આ વખતે વધુ લીડ મેળવી અને પૂનમબેન માડમ વિજેતા બનતા આ વિસ્તારની જનતાનો હાલારની દીકરી પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત થયો હતો. તેના બદલામાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા અન્ય વિસ્તારો સાથે ગઈકાલે સાંજે ખંભાળિયામાં પણ ભવ્ય આભાર વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો દ્વારા યોજવામાં આવેલા અભિવાદન સમારંભ તથા કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમમાં શનિવારે સાંજે ખંભાળિયામાં સાંસદ પૂનમબેન માડમનું આગમન થયું ત્...

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં દૂધના ભાવમાં ઉભરો:અમૂલ ગોલ્ડના લિટરે ₹2 વધ્યાં, શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો; આવતીકાલથી કિંમત લાગુ થશે

4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. જોકે, તેના ત્રણ દિવસ પહેલાં જ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. ચૂંટણી પરિણામ પહેલાં અમૂલનું દૂધના ભાગ લોકોને દઝાડશે. અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે 2 વધ્યા છે, અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરાયો છે. આ ભાવવધારો સોમવારથી લાગૂુ થશે. પરિણામના બે દિવસ પહેલા ભાવ વધશે મળતી માહિતી અનુસાર GCMMFએ 2 જૂને સત્તાવાર નવા ભાવ જાહેર કર્યા છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો 2 જૂનથી અમલી બનશે. 3 જૂને દૂધ ખરીદવા જનારે પ્રતિ લિટર 2 રૂપિયા વધારે ચૂકવવા પડશે. જેથી અમૂલ ગોલ્ડમાં 64ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 500 મિલીની થેલી માટે 33 રૂપિયા આપવા પડશે. અમૂલ તાજાના પ્રતિ લિટર 54 અને શક્તિના પ્રતિ લિટરે 60 રૂપિયા ચૂકવવા પડશે. GCMMFએ નવા ભાવ જાહેર કર્યા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), અમૂલના બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર, તાજા પાઉચ દૂધના ભાવમાં અંદાજે વધારો કર્યો છે. દેશભરના તમામ બજારોમાં 3જી જૂન, 2024થી પ્ર...

સાયબર ફ્રોડની ફરીયાદ:મોગરીના ભેજાબાજોએ ફેસબુકમાં ખોટા નામથી એકાઉન્ટ બનાવી લોનની ભ્રમિત જાહેરાત પોસ્ટ કરી 5 વ્યક્તિઓ પાસેથી 1.46 લાખ પડાવ્યાં

મોગરીમાં રહેતાં બે ભેજાબાજ મિત્રોએ પોતાના ચાર સાગરીતોની મદદથી પાંચ વ્યક્તિઓ સાથે કુલ રૂપિયા 1.46 લાખનું સાયબર ફ્રોડ આચર્યું હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ગેંગ ફેસબુકમાં ખોટા નામથી એકાઉન્ટ બનાવી તેમાં લોન મેળવવા માટેની ભ્રમિત જાહેરાત પોસ્ટ કરી, લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણા પડાવતાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આણંદ તાલુકાના મોગરી ગામમાં આવેલ સહકાર સોસાયટીમાં રહેતાં વિશાલભાઈ મહિજીભાઇ વણકર અને હર્ષિત અશોકભાઈ સોલંકી ખોટા નામે ફેસબુકમાં એકાઉન્ટ બનાવી, તેમાં લોન મેળવવા માટેની ભ્રમિત જાહેરાત પોસ્ટ કરી, લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણા પડાવી સાયબર ફ્રોડ આચરતાં હોવાની બાતમી વિદ્યાનગર પોલીસને મળી હતી. જેથી પોલીસે આ બંનેને બોલાવી પુછપરછ કરી હતી. જેમાં વિશાલે લોકોને લોન અપાવવાની ફેસબુકમાં ભ્રામક જાહેરાત પોસ્ટ કરી, લોન અપાવવાના બહાને લોકો પાસેથી નાણા મેળવી સાયબર ફ્રોડ કરી નાણા કમાવાની વાત સૌપ્રથમ હર્ષિતને કરી હતી. જેમાં હર્ષિત સંમત થયો હતો. જે બાદ વિશાલે પોતાની ઓળખાણથી વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી (રહે. ખ્રિસ્તી મહોલ્લો સરદાર સ્કુલની પાછળ, બોરીયા...

કામગીરી:પોરબંદરના બિરલા હોલને સીલ મારતા ચેમ્બર ઓફ કોમર્સ આકરા પાણીએ : નોટિસ આપ્યા વિના સીલ માર્યું

પોરબંદર પાલિકા દ્વારા ગઈકાલે જ બિરલા હોલમાં પણ ફાયર એન.ઓ.સી.ન હોવાથી સિલ મારવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે આ કામગીરી પૂર્વે કોઈપણ નોટિશ ન આપી અને સીધી સિલ મારવાની કામગીરી હાથ ધરી હોવાના આક્ષેપો સાથે આજે ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ દ્વારા પાલિકાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (બિરલા હોલ) ના પ્રમુખ તથા કારોબારી સભ્ય જણાવવાનું કે નગરપાલિકા ના એન્જીનિયર તેમજ ફાયર સેફ્ટીની ટીમ દ્વારા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (બિરલા હોલ) માં આ હોલ લગ્ન હોલ તરીકે ભાડે આપતા હોવાથી તેમાં સરકારનાં નિયમ મુજબ ચેક કરતા ફાયર સેફ્ટીનાં સાધનો જોવા મળેલ ન હોય અને એન.ઓ.સી. ન હોય માટે તાત્કાલીક સીલ મારવામાં આવ્યું. શહેરમાં સર્વ પ્રથમ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (બિરલા હોલ)ને શુકામ ટારગેટ કરવામાં આવ્યું, જ્યારે ચેકીંગ કરવામાં આવતું હોય ત્યારે અમારે બિરલા હોલમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોય તેમજ એન.ઓ.સી. ન હોય તો તે બાબતે નોટીસ આપવી જોઈએ પરંતુ અધિકારી દ્વારા તાત્કાલીક સીલ મારવા આગ્રહ રાખી અને સીલ પણ મારી દીધુ હતું. હાલ અન્ય મિલ્કતોમાં પણ ફાયર એન.ઓ...

તકતીનું અનાવરણ:અમરેલીમાં 830 ગાયને લાપસી ખવડાવાઇ

અમરેલીમાં પાંજરાપોળ ગૌશાળામાં ચિરાગભાઈ ભુપતભાઈ શાહ અને સેજલબેન આંબાવાળાની મેરેજ એનીવર્સરી પ્રસંગે 830 ગાયોને રૂપિયા 31000 કિંમતની લાપસી ખવડાવી હતી. આ પ્રસંગે કિર્તીભાઈ મુંબઈના રૂપિયા 5000નું તેમજ કામિનીબેન પરેશભાઈ પરીખ ઈન્દોર તરફથી નિરવી તથા પ્રતિકના લગ્નની ખુશીમાં રૂપિયા 5000 તેમજ પાણીના બે અવેડાની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વ. સૂર્યકાંતભાઈ ગીરધરલાલ વિઠ્ઠલાણીના હસ્તે અમરેલીના વનીતાબેને રૂપિયા 51000, ભોગીલાલ ગીરધરલાલ શાહ અને મુક્તાબેન શાહ મુંબઈવાળાએ રૂપિયા 75000 દાન અર્પણ કર્યું હતું. ઉપરાંત નાના આંકડિયાના સ્વ. વલ્લભભાઈ પોપટભાઈ જાવિયાના અત્મશ્રેયાર્થ વિનુભાઈ. મધુભાઈ, હિંમતભાઈ, કાંતિભાઈ, રતિભાઈ, જયસુખભાઈ તરફથી રૂપિયા 11111 અનુદાન કર્યું હતું. આ તકે જમીનીબેન ભટ્ટ, ગુણવંતભાઈ શાહ, કિર્તીભાઈ, અમિતભાઈ વિઠ્ઠલાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓને સંસ્થાના મુકુંદભાઈ ગઢીયા, વસંતભાઈ પોકળ, દિલીપભાઈ પરીખે બિરદાવ્યા હતા. પોરબંદરના ઠક્કર પ્લોટમાંથી એક યુવતી 3 દિવસથી ગુમ ભાસ્કર ન્યૂઝ | પોરબંદર પોરબંદર શહેરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેમાની એપાર્ટમેન્ટમાં રહેતી એક 19 વર્ષીય યુવતી દાંતના ...

નવા કાયદાની સમજ માટે ટ્રેનિંગ:સુરત જિલ્લાના પલસાણા અને કડોદરા પોલીસના કર્મચારીઓ માટે નવા કાયદાની સમજ આપવા માટે એક ટ્રેનિંગનું આયોજન

રાજ્યના પોલીસ વિભાગ અને કાયદા તંત્રમાં બદલાવ આવી રહ્યા છે. સુરત જિલ્લાના પલસાણા અને કડોદરા પોલીસના કર્મચારીઓ માટે નવા કાયદાની સમજ આપવા માટે એક ટ્રેનિંગનું આયોજન કરાયું હતું. કાયદા હેઠળ સજામાં થયેલા ફેરફાર અંગે પણ માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં પહેલી જુલાઈથી પોલીસ ખાતામાં નવા કાયદા અને સજાની જોગવાઈમાં સુધારો કરવામાં આવનાર છે. જેથી વિવિધ પોલીસ મથકોમાં યોગ્ય સમજ અને માહિતગાર થાય એ પણ જરૂરી છે. ત્યારે સુરત જિલ્લાના પલસાણા અને કડોદરા પોલીસને આવરી લઇ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કડોદરા પાલિકાના હોલ ખાતે નવા કાયદાના સુધારા અંગે તાલીમ આપતી શિબિરનું આયોજન કરાયું હતું. ASI સુરેશ ગામીત તેમજ સાઇબર ક્રાઈમના PSI જે.એમ જાડેજા દ્વારા પોલીસ કર્મીઓને નવા કાયદાઓ, કાયદા હેઠળ સજામાં થયેલા ફેરફાર અંગે માહિતી આપવામાં આવી હતી. http://dlvr.it/T7jG6X