Skip to main content

32 એકરમાં બનશે સમસ્ત રાજપૂત સમાજનું આસ્થાનું કેન્દ્ર:શ્રી ભવાનીધામ મંદિર નિર્માણ કાર્ય પૂરજોશમાં; 1700થી પણ વધુ દર્શનાર્થીઓ એક સાથે બેસી શકશે

સમસ્ત રાજપૂત સમાજ દ્વારા શ્રી ભવાનીધામ મંદિર આકાર લઈ રહ્યું છે. મંદિર નિર્માણના આ કાર્યમાં સમાજના શ્રેષ્ઠીઓ અને વડીલોનો સહકાર મળી રહ્યો છે. સમસ્ત રાજપૂત સમાજના આ કાર્યને દેશ-વિદેશના ધર્મ પ્રેમીઓએ પણ વધાવી લીધું છે. હિન્દુ સનાતનની પરંપરા મુજબ સંપૂર્ણપણે શિલ્પ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અને વૈદિક પરંપરાને અનુસરીને મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 32 એકર જમીનમાં નિર્માણ પામી રહેલા માઁ ભવાનીના આ મંદિરમાં 1700થી પણ વધુ દર્શનાર્થીઓ એક સાથે બેસી શકશે. મંદિર નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સમસ્ત રાજપૂત સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ભવાની ધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલ ભવાનીધામ સંદર્ભે અને મંદિર નિર્માણની સાથે સાથે અન્ય જે સામાજીક સંકલ્પ કરવામાં આવ્યા છે. આ અંગે વિસ્તૃત માહિતી માટે પત્રકાર પરિષદનું આયોજન અમદાવાદમાં એક હોટલ ખાતે તારીખ 29 જૂન, 2024ને શનિવારે સવારે 10:45 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, કિશોરસિંહ ચૌહાણ, કાનભા ગોહિલ, જશાભાઇ બારડ (પૂર્વ મંત્રી), વિજયસિંહ બારડ, નારણભાઈ સગર, બાબુસિંહ જાદવ (ધારાસભ્ય), કિરીટસિંહ ડાભી (ધારાસભ્ય) વગેરે ઉપસ્થિત રહેશે.


http://dlvr.it/T8vkvP

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n