Skip to main content

32 એકરમાં બનશે સમસ્ત રાજપૂત સમાજનું આસ્થાનું કેન્દ્ર:શ્રી ભવાનીધામ મંદિર નિર્માણ કાર્ય પૂરજોશમાં; 1700થી પણ વધુ દર્શનાર્થીઓ એક સાથે બેસી શકશે

સમસ્ત રાજપૂત સમાજ દ્વારા શ્રી ભવાનીધામ મંદિર આકાર લઈ રહ્યું છે. મંદિર નિર્માણના આ કાર્યમાં સમાજના શ્રેષ્ઠીઓ અને વડીલોનો સહકાર મળી રહ્યો છે. સમસ્ત રાજપૂત સમાજના આ કાર્યને દેશ-વિદેશના ધર્મ પ્રેમીઓએ પણ વધાવી લીધું છે. હિન્દુ સનાતનની પરંપરા મુજબ સંપૂર્ણપણે શિલ્પ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અને વૈદિક પરંપરાને અનુસરીને મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 32 એકર જમીનમાં નિર્માણ પામી રહેલા માઁ ભવાનીના આ મંદિરમાં 1700થી પણ વધુ દર્શનાર્થીઓ એક સાથે બેસી શકશે. મંદિર નિર્માણમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સમસ્ત રાજપૂત સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ભવાની ધામ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલ ભવાનીધામ સંદર્ભે અને મંદિર નિર્માણની સાથે સાથે અન્ય જે સામાજીક સંકલ્પ કરવામાં આવ્યા છે. આ અંગે વિસ્તૃત માહિતી માટે પત્રકાર પરિષદનું આયોજન અમદાવાદમાં એક હોટલ ખાતે તારીખ 29 જૂન, 2024ને શનિવારે સવારે 10:45 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, કિશોરસિંહ ચૌહાણ, કાનભા ગોહિલ, જશાભાઇ બારડ (પૂર્વ મંત્રી), વિજયસિંહ બારડ, નારણભાઈ સગર, બાબુસિંહ જાદવ (ધારાસભ્ય), કિરીટસિંહ ડાભી (ધારાસભ્ય) વગેરે ઉપસ્થિત રહેશે.


http://dlvr.it/T8vkvP

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp