દિવસે–દિવસે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં માનવ વધતી ધીમે-ધીમે વધી રહી છે અને જેમ-જેમ માનવ વસતી વધી રહી છે તેમ-તેમ ગ્રામ્ય પંથકમાંથી લોકોની શહેરો તરફની દોટ પણ વધી રહી છે. સિહોરમાં ક્રિકેટ છાપરી પાસે ઝૂંપડપટ્ટી વસાહત આવેલી છે અને આ લોકો પતરાના ઘર કે ઝૂંપડામાં વસે છે. શિયાળાની ઠંડી હોય કે ચોમાસોનો ધોધમાર વરસાદ આ બધું તેમને મને –કમને સહન કરવું જ પડે છે.સિહોરમાં અંદાજે 40થી50 પરિવારો હાલમાં ક્રિકેટ છાપરી પાસે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરી રહયાં છે. એક તરફ તવંગરો અને બીજી તરફ ગરીબોની બંનેની સંખ્યા વધી રહી છે. ગરીબ માટે પોતાનું આવાસ એટલે કે ઘરનું ઘર એક બહુ મોટું સ્વપ્ન હોય છે.પરંતુ મોંઘવારી વચ્ચે આવા પરિવારો માટે ઘરનું ઘર એક સ્વપ્ન જ બની રહે છે.સિહોરમાં ક્રિકેટ છાપરી પાસે અંદાજે 40થી 50 પરિવારો ઝૂંપડપટ્ટી જેવી વસાહતમાં રહે છે. આ પરિવારો પાસે નથી પોતાનું ઘરનું ઘર નથી પાણીની સુવિધા. નથી શૌચાલયની સુવિધા. હાલાકીની વચ્ચે આ પરિવારો પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમસ્યા હલ કરે
અત્યારે રોજગારીની સમસ્યા એ સૌથી મહત્વની સમસ્યા છે. આવાસ વિહોણા આ પરિવારો પૈકી મોટાભાગના પરિવારો શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.આટલી નજીવી આવકમાં આ પરિવારો પોતાના પૈસે પ્લૉટ ખરીદીને તેના પર પોતાના સપનાનું ઘર બનાવી શકે એટલી આર્થિક ક્ષમતા તેમની પાસે હોતી નથી. આથી નગરપાલિકા દ્વારા આવા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જો આવાસ બાંધી આપવામાં આવે તો આ પરિવારને આવાસની સમસ્યા કાયમ માટે હલ થઇ શકે.
http://dlvr.it/T8sxMt
અત્યારે રોજગારીની સમસ્યા એ સૌથી મહત્વની સમસ્યા છે. આવાસ વિહોણા આ પરિવારો પૈકી મોટાભાગના પરિવારો શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.આટલી નજીવી આવકમાં આ પરિવારો પોતાના પૈસે પ્લૉટ ખરીદીને તેના પર પોતાના સપનાનું ઘર બનાવી શકે એટલી આર્થિક ક્ષમતા તેમની પાસે હોતી નથી. આથી નગરપાલિકા દ્વારા આવા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જો આવાસ બાંધી આપવામાં આવે તો આ પરિવારને આવાસની સમસ્યા કાયમ માટે હલ થઇ શકે.
http://dlvr.it/T8sxMt
Comments
Post a Comment