Skip to main content

નિરાધાર:સિહોરમાં 40થી વધુ પરિવારો ઘરના ઘરથી વંચિત

દિવસે–દિવસે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં માનવ વધતી ધીમે-ધીમે વધી રહી છે અને જેમ-જેમ માનવ વસતી વધી રહી છે તેમ-તેમ ગ્રામ્ય પંથકમાંથી લોકોની શહેરો તરફની દોટ પણ વધી રહી છે. સિહોરમાં ક્રિકેટ છાપરી પાસે ઝૂંપડપટ્ટી વસાહત આવેલી છે અને આ લોકો પતરાના ઘર કે ઝૂંપડામાં વસે છે. શિયાળાની ઠંડી હોય કે ચોમાસોનો ધોધમાર વરસાદ આ બધું તેમને મને –કમને સહન કરવું જ પડે છે.સિહોરમાં અંદાજે 40થી50 પરિવારો હાલમાં ક્રિકેટ છાપરી પાસે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરી રહયાં છે. એક તરફ તવંગરો અને બીજી તરફ ગરીબોની બંનેની સંખ્યા વધી રહી છે. ગરીબ માટે પોતાનું આવાસ એટલે કે ઘરનું ઘર એક બહુ મોટું સ્વપ્ન હોય છે.પરંતુ મોંઘવારી વચ્ચે આવા પરિવારો માટે ઘરનું ઘર એક સ્વપ્ન જ બની રહે છે.સિહોરમાં ક્રિકેટ છાપરી પાસે અંદાજે 40થી 50 પરિવારો ઝૂંપડપટ્ટી જેવી વસાહતમાં રહે છે. આ પરિવારો પાસે નથી પોતાનું ઘરનું ઘર નથી પાણીની સુવિધા. નથી શૌચાલયની સુવિધા. હાલાકીની વચ્ચે આ પરિવારો પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમસ્યા હલ કરે
અત્યારે રોજગારીની સમસ્યા એ સૌથી મહત્વની સમસ્યા છે. આવાસ વિહોણા આ પરિવારો પૈકી મોટાભાગના પરિવારો શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.આટલી નજીવી આવકમાં આ પરિવારો પોતાના પૈસે પ્લૉટ ખરીદીને તેના પર પોતાના સપનાનું ઘર બનાવી શકે એટલી આર્થિક ક્ષમતા તેમની પાસે હોતી નથી. આથી નગરપાલિકા દ્વારા આવા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જો આવાસ બાંધી આપવામાં આવે તો આ પરિવારને આવાસની સમસ્યા કાયમ માટે હલ થઇ શકે.


http://dlvr.it/T8sxMt

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n