Skip to main content

નિરાધાર:સિહોરમાં 40થી વધુ પરિવારો ઘરના ઘરથી વંચિત

દિવસે–દિવસે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં માનવ વધતી ધીમે-ધીમે વધી રહી છે અને જેમ-જેમ માનવ વસતી વધી રહી છે તેમ-તેમ ગ્રામ્ય પંથકમાંથી લોકોની શહેરો તરફની દોટ પણ વધી રહી છે. સિહોરમાં ક્રિકેટ છાપરી પાસે ઝૂંપડપટ્ટી વસાહત આવેલી છે અને આ લોકો પતરાના ઘર કે ઝૂંપડામાં વસે છે. શિયાળાની ઠંડી હોય કે ચોમાસોનો ધોધમાર વરસાદ આ બધું તેમને મને –કમને સહન કરવું જ પડે છે.સિહોરમાં અંદાજે 40થી50 પરિવારો હાલમાં ક્રિકેટ છાપરી પાસે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરી રહયાં છે. એક તરફ તવંગરો અને બીજી તરફ ગરીબોની બંનેની સંખ્યા વધી રહી છે. ગરીબ માટે પોતાનું આવાસ એટલે કે ઘરનું ઘર એક બહુ મોટું સ્વપ્ન હોય છે.પરંતુ મોંઘવારી વચ્ચે આવા પરિવારો માટે ઘરનું ઘર એક સ્વપ્ન જ બની રહે છે.સિહોરમાં ક્રિકેટ છાપરી પાસે અંદાજે 40થી 50 પરિવારો ઝૂંપડપટ્ટી જેવી વસાહતમાં રહે છે. આ પરિવારો પાસે નથી પોતાનું ઘરનું ઘર નથી પાણીની સુવિધા. નથી શૌચાલયની સુવિધા. હાલાકીની વચ્ચે આ પરિવારો પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમસ્યા હલ કરે
અત્યારે રોજગારીની સમસ્યા એ સૌથી મહત્વની સમસ્યા છે. આવાસ વિહોણા આ પરિવારો પૈકી મોટાભાગના પરિવારો શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.આટલી નજીવી આવકમાં આ પરિવારો પોતાના પૈસે પ્લૉટ ખરીદીને તેના પર પોતાના સપનાનું ઘર બનાવી શકે એટલી આર્થિક ક્ષમતા તેમની પાસે હોતી નથી. આથી નગરપાલિકા દ્વારા આવા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જો આવાસ બાંધી આપવામાં આવે તો આ પરિવારને આવાસની સમસ્યા કાયમ માટે હલ થઇ શકે.


http://dlvr.it/T8sxMt

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp