રાજયમાં વ્યાજખોરો વિરુદ્ધ અસરકારક કામગીરી કરી આ બદી નેસ્તનાબુદ થાય તે અંગેની કામગીરી કરવા સુચનાઓ આપેલ હતી. જેથી બુધવારે ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટરની તાલીમ શાળામાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કર્યું હતું. લોકદરબારમાં વ્યાજખોરોના ત્રાસથી પીડાતા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત બનેલા અનેક લોકોની રજૂઆત સાંભળી હતી. જેમાં અલગ અલગ તાલુકામાંથી ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહીને રજુઆત કરી હતી. લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત 32 વ્યક્તિઓની મૌખિક તેમજ લેખીત રજુઆતો મળી હતી. જેમાં કેટલીક રજુઆતનું સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવેલ હતું. અન્ય લેખિત રજુઆતોમાં જરૂરી પોલીસ કાર્યવાહી દિન 3માં પૂર્ણ કરી અરજદારોને ન્યાય અપાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
http://dlvr.it/T8mQLW
http://dlvr.it/T8mQLW
Comments
Post a Comment