જામનગરમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા મહાપાલિકાના જુદા-જુદા વિભાગની મીટીંગ મળી હતી. જેમાં રોગચાળો અટકાવવા શુધ્ધ પાણીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર શહેરમાં ચોમાસામાં પાણીજન્ય રોગચાળો વધવાની સંભાવના વધુ હોય રોગચાળાના નિયંત્રણ માટે મનપાના વિવિધ વિભાગની મીટીંગ મળી હતી. જેમાં પાણીજન્ય રોગચાળો ટાળવા માટે ખુલ્લામાં શૌચ ન કરવા, ચોખ્ખા પાણીના સ્ત્રોતનો યોગ્ય ઉપયોગ કરવા, સ્વચ્છ, તાજા અને ઢાંકેલા ખોરાકનો ઉપયોગ કરવા, મચ્છરની ઉત્પતિ અટકાવવા, તાવ, ઝાડા, ઉલ્ટી વગેરે લક્ષણો દેખાય તો તુરંત તબીબની સલાહ લેવા, પાકી ગયેલા અને બગડેલા ફળોનું સેવન ન કરવા લોકોને મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.
http://dlvr.it/T8wM2L
http://dlvr.it/T8wM2L
Comments
Post a Comment