Skip to main content

કામગીરી:પોરબંદરના બિરલા હોલને સીલ મારતા ચેમ્બર ઓફ કોમર્સ આકરા પાણીએ : નોટિસ આપ્યા વિના સીલ માર્યું

પોરબંદર પાલિકા દ્વારા ગઈકાલે જ બિરલા હોલમાં પણ ફાયર એન.ઓ.સી.ન હોવાથી સિલ મારવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે આ કામગીરી પૂર્વે કોઈપણ નોટિશ ન આપી અને સીધી સિલ મારવાની કામગીરી હાથ ધરી હોવાના આક્ષેપો સાથે આજે ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ દ્વારા પાલિકાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (બિરલા હોલ) ના પ્રમુખ તથા કારોબારી સભ્ય જણાવવાનું કે નગરપાલિકા ના એન્જીનિયર તેમજ ફાયર સેફ્ટીની ટીમ દ્વારા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (બિરલા હોલ) માં આ હોલ લગ્ન હોલ તરીકે ભાડે આપતા હોવાથી તેમાં સરકારનાં નિયમ મુજબ ચેક કરતા ફાયર સેફ્ટીનાં સાધનો જોવા મળેલ ન હોય અને એન.ઓ.સી. ન હોય માટે તાત્કાલીક સીલ મારવામાં આવ્યું. શહેરમાં સર્વ પ્રથમ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (બિરલા હોલ)ને શુકામ ટારગેટ કરવામાં આવ્યું, જ્યારે ચેકીંગ કરવામાં આવતું હોય ત્યારે અમારે બિરલા હોલમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોય તેમજ એન.ઓ.સી. ન હોય તો તે બાબતે નોટીસ આપવી જોઈએ પરંતુ અધિકારી દ્વારા તાત્કાલીક સીલ મારવા આગ્રહ રાખી અને સીલ પણ મારી દીધુ હતું. હાલ અન્ય મિલ્કતોમાં પણ ફાયર એન.ઓ.સી.સહિતની મજૂરી નથી જેથી આવી મિલકતો ને પણ કાયદા મુજબ કાયદાનું પાલન નહી કરાવો તો ના છુટકે બિરલા હોલને લગાવેલ સીલ દૂર કરી કાયદાનો ઉલંઘન કરવું પડશે.તેમજ જો આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવે તો સોમવારે પોરબંદર બંધનું એલાન આપી અને તમામ વેપારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ ચીમકી ઉચ્ચારી હતી.પાલિકા દ્વારા શીલ કરાયેલ બિરલા હોલમાં જુન માસમાં 15 તેમજ જુલાઈ માસમાં 12 જેટલા લગ્ન બુકિંગ છે.


http://dlvr.it/T7jc6c

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n