Skip to main content

અકસ્માતનો ખતરો:ઓવરબ્રિજની દીવાલ પર યુવાનોની જોખમી સેલ્ફી

નવસારી શહેરને પૂર્વને પશ્ચિમથી જોડવા માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે. આ બ્રિજ ઉપર થોડા સમયથી દિવસે અને રાત્રિના સમયે યુવાનો જોખમી રીતે દિવાલ ઉપર બેસી ફોટોગ્રાફી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ પાંચ સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણ યુવાનો ઓવરબ્રિજની દીવાલ ઉપર ચઢીને મોબાઈલથી વીડિયો બનાવી રહ્યા છે. જોખમી રીતે બ્રિજની દીવાલ પર ઉભા રહી આ રીતે ફોટોગ્રાફી કરતી સમયે અકસ્માત પણ સર્જાઈ શકે છે. UNHRC સંગઠન દ્વારા પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઓવરબ્રિજ ઉપર થતી પ્રવૃત્તિ અંગે લગામ લગાવવાની માંગ કરી હતી પરંતુ આ મામલે હજી સુધી તંત્ર કે પોલીસ દ્વારા આવા યુવાનો સામે પગલા ભરવામાં આવ્યા નથી. UNHRCના સભ્ય વિરલ ગજ્જરના જણાવ્યા અનુસાર અમે આ મામલે તંત્રને જાણ કરી છે યુવાનો બેફિકર બની ઓવરબ્રિજના પાણી ઉપર બેસી વીડીયો શુટ અને રીલ બનાવે છે જે જોખમી છે આવા પ્રકારના કાર્યથી અકસ્માતનો ખતરો રહેલો છે.


http://dlvr.it/T8zvwb

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n