Skip to main content

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં દૂધના ભાવમાં ઉભરો:અમૂલ ગોલ્ડના લિટરે ₹2 વધ્યાં, શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો; આવતીકાલથી કિંમત લાગુ થશે

4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. જોકે, તેના ત્રણ દિવસ પહેલાં જ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. ચૂંટણી પરિણામ પહેલાં અમૂલનું દૂધના ભાગ લોકોને દઝાડશે. અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે 2 વધ્યા છે, અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરાયો છે. આ ભાવવધારો સોમવારથી લાગૂુ થશે. પરિણામના બે દિવસ પહેલા ભાવ વધશે
મળતી માહિતી અનુસાર GCMMFએ 2 જૂને સત્તાવાર નવા ભાવ જાહેર કર્યા છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો 2 જૂનથી અમલી બનશે. 3 જૂને દૂધ ખરીદવા જનારે પ્રતિ લિટર 2 રૂપિયા વધારે ચૂકવવા પડશે. જેથી અમૂલ ગોલ્ડમાં 64ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 500 મિલીની થેલી માટે 33 રૂપિયા આપવા પડશે. અમૂલ તાજાના પ્રતિ લિટર 54 અને શક્તિના પ્રતિ લિટરે 60 રૂપિયા ચૂકવવા પડશે. GCMMFએ નવા ભાવ જાહેર કર્યા
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), અમૂલના બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર, તાજા પાઉચ દૂધના ભાવમાં અંદાજે વધારો કર્યો છે. દેશભરના તમામ બજારોમાં 3જી જૂન, 2024થી પ્રતિ લિટર રૂ. 2 લાગુ થશે. પ્રતિ લિટર રૂ. 2નો વધારો એમઆરપીમાં 3-4%ની રેન્જમાં વધારો કરે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવો કરતાં ઘણો ઓછો છે. એ નોંધવું યોગ્ય છે કે ફેબ્રુઆરી 2023 થી, અમૂલે મુખ્ય બજારોમાં ફ્રેશ પાઉચ દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. ભાવવધારો દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે
GCMMFએ જણાવ્યું છે કે, આ ભાવવધારો એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદનમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે. અમારા સભ્ય યુનિયનોએ પણ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોના ભાવમાં અંદાજે 6-8%નો વધારો કર્યો છે. અમૂલે પોલિસી બનાવી છે કે દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે. ભાવ સુધારણા અમારા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે. દૂધનો નવો ભાવ


http://dlvr.it/T7kpKr

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n