Skip to main content

એડમિશનમાં ગોબાચારી:DRB કોલેજમાં BBAમાં પ્રવેશ માટે મેરિટ જમ્પ કરાવીને પ્રવેશ ફાળવ્યો, ત્રણ સભ્યોની કમિટીએ તપાસ શરૂ કરી

સુરતના વેસુ-ભરથાણાની ડીઆરબી કોલેજમાં બીબીએમાં પ્રવેશ માટે મેરિટ જમ્પ કરાવીને અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો હોવાની ઉઠેલી ફરિયાદના પગલે કુલપતિ દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસનો આરંભ કર્યો છે. દરેક કોલેજોને મેરિટ ફાળવી દેવાયા
નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં જીકેસ પોર્ટલ દ્વારા દરેક કોલેજોને મેરિટ ફાળવી દેવાયા છે અને તે મેરિટના આધારે જ કોલેજોએ વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલીને પ્રવેશ ફાળવવાનું નક્કી કરાયુ છે. અને તે મુજબ જ કોલેજો દ્વારા વેસુ-ભરથાણાની ડીઆરબી કોલેજમાં બીબીએમાં પ્રવેશ માટે મેરિટ જમ્પ કરાવીને અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો હોવાની ઉઠેલી ફરિયાદના પગલે કુલપતિ દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસનો આરંભ કર્યો છે. તપાસ શરૂ પણ કરવામાં આવી
મેરિટ લિસ્ટના આધારે ઓફર લેટર મોકલવામાં આવી રહ્યા છે. અને કોલેજો દ્વારા એક સામટા ઓફર લેટરો મોકલવામાં આવી રહ્યા હોવાથી વિદ્યાર્થીઓનો ભારે ધસારો થઈ રહ્યો છે. આ ધસારા વચ્ચે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન. ચાવડાને કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે બીબીએમાં મેરિટ જમ્પ કરીને પ્રવેશમાં ફાયદો કરાવ્યો છે. આ ફરિયાદના પગલે કુલપતિએ ધારૂકાવાલળા કોલેજના આચાર્ય દિલીપ વરસાણી, ડૉ. વિજય જોષી, અને ડૉ. પંકજસિંહ ઠાકોર ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસ સોંપવામાં આવી છે. સમિતિના સભ્યો દ્વારા તપાસ શરૂ પણ કરવામાં આવી છે.


http://dlvr.it/T8m8Tr

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n