Skip to main content

રજૂઆત:ચોપાટી ખાતે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ્ટ છવાયો

પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે ચોપાટીનું નવીનીકરણ કરવામા આવ્યું હતું, પરંતુ મોટાભાગે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાની ફરીયાદો ઉઠતી રહે છે. હાલ કાળઝાળ ગરમીમા રાહત મેળવવા માટે લોકો ચોપાટી ખાતે ટહેલવા આવે છે અને મોટી સંખ્યામાં લોકો રાત્રીના સમયે આવતા હોય છે, તો પ્રવાસીઓ પણ ચોપાટી ખાતે આવતા હોય છે. ગઈકાલે શુક્રવારે મુખ્ય ચોપાટી ના પ્રવેશ દ્વાર પાસે, ચોપાટીના પાર્કિંગ ખાતે અને ચોપાટી ખાતે 50 ટકા જેટલી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં જોવા મળી હતી. સ્ટ્રીટ લાઈટ બંધ થતા અંધારપટ્ટ છવાઈ જાય છે. બાળકોને રમત ગમતમાં પણ મુશ્કેલી પડે છે અને ટહેલવા આવતા નાગરિકોને પણ અંધારપટ્ટના કારણે મુશ્કેલી પડે છે. આગામી સમયમાં જાગરણ, દિવાસો વગેરે તહેવારો આવશે. ત્યારે પોરબંદરની ચોપાટી ખાતેની તમામ સ્ટ્રીટ લાઈટોનું ચેકીંગ કરી, બંધ લાઈટો રિપેર કરી ચોપાટીને ઝળહળતી રાખવામાં આવે તેવી સામાજિક કાર્યકર અમિતભાઈ ખોડાએ તંત્ર સમક્ષ માંગ કરી છે.


http://dlvr.it/T8yNMC

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp