પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે ચોપાટીનું નવીનીકરણ કરવામા આવ્યું હતું, પરંતુ મોટાભાગે સ્ટ્રીટ લાઈટો બંધ રહેતી હોવાની ફરીયાદો ઉઠતી રહે છે. હાલ કાળઝાળ ગરમીમા રાહત મેળવવા માટે લોકો ચોપાટી ખાતે ટહેલવા આવે છે અને મોટી સંખ્યામાં લોકો રાત્રીના સમયે આવતા હોય છે, તો પ્રવાસીઓ પણ ચોપાટી ખાતે આવતા હોય છે. ગઈકાલે શુક્રવારે મુખ્ય ચોપાટી ના પ્રવેશ દ્વાર પાસે, ચોપાટીના પાર્કિંગ ખાતે અને ચોપાટી ખાતે 50 ટકા જેટલી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં જોવા મળી હતી. સ્ટ્રીટ લાઈટ બંધ થતા અંધારપટ્ટ છવાઈ જાય છે. બાળકોને રમત ગમતમાં પણ મુશ્કેલી પડે છે અને ટહેલવા આવતા નાગરિકોને પણ અંધારપટ્ટના કારણે મુશ્કેલી પડે છે. આગામી સમયમાં જાગરણ, દિવાસો વગેરે તહેવારો આવશે. ત્યારે પોરબંદરની ચોપાટી ખાતેની તમામ સ્ટ્રીટ લાઈટોનું ચેકીંગ કરી, બંધ લાઈટો રિપેર કરી ચોપાટીને ઝળહળતી રાખવામાં આવે તેવી સામાજિક કાર્યકર અમિતભાઈ ખોડાએ તંત્ર સમક્ષ માંગ કરી છે.
http://dlvr.it/T8yNMC
http://dlvr.it/T8yNMC
Comments
Post a Comment