Skip to main content

છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ:પાવી જેતપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે બપોરે પાવી જેતપુર ખાતે ધોધમાર વરસાદ વરસ્યા બાદ વાદળછાયું વાતવરણ સતત રહ્યું હતું અને આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લામાં ચોમાસુ બેસી ગયું છે અને દરરોજ ઓછો વત્તો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે બપોરે લગભગ અડધો કલાક જેટલો વરસાદ અવરસ્યા બાદ સતત વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું હતું. ત્યારે આજે પાવી જેતપુર ખાતે વહેલી સવારે લગભગ 6.30 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લગભગ અડધો કલાક ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી પાણી થઇ ગયું હતું અને વરસાદ બંધ પાડયા પાણી ઓસરી ગયા હતા. આ રીતે પડી રહેલા વરસાદને પગલે વરસાદમાં પાણી જમીનમાં ઉતરી રહ્યા છે. જેને લઇને જમીનમાં પાણી ઉતરતા પાણીના સ્તર ઊંચા આવે તેવી સંભાવનાઓ પણ જોવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લામાં વરસાદ એકંદરે ઓછો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લાનો સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પરંતુ આ વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.


http://dlvr.it/T8yXCN

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n