Skip to main content

કલેક્ટરે લોકોના પ્રશ્નો સાંભળ્યા:રાજ્યમાં ચાલતા જમીન કૌભાંડને પગલે જિલ્લા કલેક્ટરે ગ્રામ પંચાયતોની મુલાકાત કરી

રાજ્યમાં હાલમાં જમીન કૌભાંડને લઈને તપાસનો દોરો ચાલી રહ્યા છે અને વિરોધપક્ષ નર્મદા જિલ્લામાં પણ જમીન કૌભાંડો થયા હોવાના આક્ષેપો કર્યા છે. ત્યારે આવા માહોલમાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા જિલ્લાના મહેસુલ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લાની મહેસુલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મહેસુલી તેમજ લોકહિતની કામગીરી માટે જરુરી માર્ગદર્શન આપ્યું હતું અને રેકોર્ડ પણ ચકાસણી કરી હતી. એ પૂર્વે જિલ્લા કલેક્ટરની સૂચના મળતા પ્રાંત અધિકારીઓ, મામલતદારો તથા સર્કલ ઓફિસરોમાં દોડધામ મચી ગઈ હતી અને ત્રણ - ત્રણ ગામોની પ્રત્યક્ષ મુલાકાત કરી લોકસંવાદ દ્વારા સ્થાનિક પ્રશ્નોની જાણકારી મેળવવામાં આવી હતી.તેની તૈયારીમાં લાગ્યા હતા અને ગ્રામજનો કલેક્ટર સામે કોઈ પોલના ખોલી દે તેનો પણ ડર હતો. જિલ્લા કલેક્ટર ગ્રામપંચાયતના દફ્તરો તપસ્યા હોવાની કદાચ પ્રથમ ઘટના હશે આમ કરવા પાછળનું કારણ કાંઈ પણ હોઈ શકે પણ હાલ ચાલતો જમીન કૌભાંડનો રેલો નર્મદા જિલ્લામાંના આવે એની ખરાઈ તો કદાચ નથી થઇ રહી છે. તંત્રનું કહેવું છે કે મહેસુલી કામગીરીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આવેલી નાંદોદ તાલુકાની વડીયા, ગરૂડેશ્વર તાલુકાની ગોરા, તિલકવાડા તાલુકાની ભાદરવા ગ્રામ પંચાયતોની મુલાકાત લઇને લોકોની રજુઆતો સાંભળી હતી. આ મુલાકાત વેળાએ ગ્રામ પંચાયતમાં તલાટીના દફ્તર તેમજ કામગીરીનું નીરીક્ષણ કરી રેકર્ડ અપડેશન તથા મહેસુલી વસુલાત માટે જરુરી સૂચનાઓ આપી હતી. રાત્રિનો સમય થયો છતાં કલેક્ટર ગ્રામપંચાયતના દફ્તરો તપાસવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.


http://dlvr.it/T8g6St

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp