Skip to main content

શિષ્યવૃત્તિ યોજના:નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજનામાં 4.03 લાખ, નમો સરસ્વતીમાં 37 હજાર રજિસ્ટ્રેશન થયા

બાળકોનું શૈક્ષણિક ભાવિ વધુ ઉજ્જવળ બનાવવા અને કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહિત કરવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વર્ષ 2024-25ના બજેટમાં ‘નમો લક્ષ્મી યોજના’ અને ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અમલમાં મૂકી છે. ‘નમો લક્ષ્મી યોજના’માં અત્યાર સુધી રાજ્યની કુલ 11,966 શાળામાંથી 4,03,168 વિદ્યાર્થિનીની અરજી માન્ય રાખી છે. જેમાં રાજ્યના કુલ 33 જિલ્લામાંથી ડાંગ, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને બનાસકાંઠાની શાળાઓએ મોટી સંખ્યામાં નોંધણી કરાવી છે. ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’માં રાજ્યની 924 વિજ્ઞાન પ્રવાહ શાળાઓમાંથી 37 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે. આ નોંધણીમાં છોટાઉદેપુર, બોટાદ, ડાંગ, તાપી અને બનાસકાંઠા જિલ્લાઓ મોખરે છે. ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ જે વિદ્યાર્થિનીના કુટુંબની વાર્ષિક આવક રૂ.6 લાખ કે તેથી ઓછી હોય અને જે વર્ષ 2023-24માં ધોરણ-8થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કે જે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ- 9થી 12માં પ્રવેશ મેળવવા ઈચ્છતી હોય તેમને કુલ રૂ.50,000ની સહાય આપવામાં આવે છે. જ્યારે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ.6 લાખ કે તેથી ઓછી હોય અને ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીને કુલ રૂ.25,000 સહાય મળવાપાત્ર છે. ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત ધોરણ 9 અને 10માં મળી કુલ રૂ.20,000ની સહાય ચૂકવાય છે. આ સહાયમાં 9 અને 10 ધોરણમાં બંને વર્ષના મળી કુલ રૂ.10,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ.10,000 ધોરણ 10 બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ ચૂકવવામાં આવશે. એવી જ રીતે ધોરણ 11 અને 12ના મળી કુલ રૂ.30,000 સહાય ચૂકવવામાં આવશે. જેમાં ધોરણ 11 અને 12માં બંને વર્ષના મળી કુલ રૂ.15,000 ચૂકવાશે. જ્યારે બાકીના રૂ.15,000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ ચૂકવાશે. આમ ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ કુલ રૂ.50,000 ચૂકવાશે. જ્યારે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ ધોરણ 11 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ.10,000 અને ધોરણ 12 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ.15,000 મળવાપાત્ર છે. જેમાં ધોરણ 11 અને 12ના મળી કુલ રૂ. 25,000 સહાય ચૂકવાશે.


http://dlvr.it/T8q2fX

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp