Skip to main content

કોર્ટે વીમા કંપનીને હુકમ કર્યો:ગોમતીપુરમાં રહેતી મહિલાને વીમા કંપનીએ પૂરતો ક્લેમ ન આપતા કોર્ટે 9 ટકા વ્યાજ ચૂકવવા આદેશ આપ્યો

નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની મેડિકલ પોલીસી હોવા છતાં ગોમતીપુર વિસ્તારના રહેવાસી મહિલાને વીમા કંપની દ્વારા ક્લેમ કરેલ રકમ પૂરેપૂરી ના આપતા અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ન્યાય માટે ફરિયાદ ક હતીરી. નામદાર ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદ એડિશનલ દ્વારા ફરિયાદી મહિલાના કેસની હકીકતો જોતા બાકી રહેતી પૂરેપૂરી રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો છે તથા વીમા કંપનીની સેવામાં ખામી અને અનફ્રેર ટેડ પ્રેક્ટિસ સાબિત થતી હોવાનું પૂરવાર કર્યું છે. વીમા કંપનીએ ખર્ચની પૂરેપૂરી રકમ ન આપી
અમદાવાદના રહીશ મહિલાને હેવી મેન્સ્ટ્રુઅલ બ્લડિંગના કારણે સ્ત્રી રોગ સંબંધિત તકલીફના કારણે સર્જરીની જરૂરિયાત ઊભી થયેલ હતી આ સર્જરી અને ટ્રીટમેન્ટમાં મહિલાને ₹4,00,998 જેટલી રકમનો ખર્ચ થયેલ હતો મહિલાએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વર્ષ 2016માં પ્રથમ પોલીસી ઉતરાવેલ હતી તથા પોલિસી ચાલુ કન્ડિશનમાં હતી. સમ ઇનશોર્ટ ₹5 લાખ હોવા છતાં વીમા કંપનીઓએ ખર્ચની પૂરેપૂરી રકમ આપેલ નથી. નોટ પેવલ ના નામે રૂપિયા 42,523 રકમ કાપી લીધી હતી અનફેર ટ્રેડ પ્રેક્ટિસ તથા વીમા સંબંધિત સેવામાં ખામી
આ બાબતે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે ફરિયાદીના અધિકૃત પ્રતિનિધિ તરીકે ફરિયાદ દાખલ કરી નામદાર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે મહિલાને વીમા કંપની દ્વારા નહીં ચુકવેલ રકમ રૂપિયા 42 523 પરત મેળવવા માટે કોર્ટમાં કેસ નોંધાયો હતો. નામદાર ગ્રાહક તકરાર નિવારણ કમિશન એડિશનલ અમદાવાદ સમક્ષ કેસ ચાલી જતા દાવો નકારવા માટે વીમા કંપની દ્વારા બતાવેલા કારણોને માનવા ઇનકાર કરી. ફરિયાદીની રજૂઆતને ગ્રાહ્ય રાખી કમિશને ખાસ નોંધ સાથે વીમા કંપનીએ વીમાધારકના રકમ ગેરરીતિ નીતિ મુજબ કપાત કરેલ છે અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ તથા વીમા સંબંધિત સેવામાં ખામી રાખેલ છે. ફરિયાદીની તરફેણમાં કોર્ટે ચુકાદો આપ્યો
કમિશન દ્વારા ફરિયાદી ગ્રાહકને દાવા મુજબની રકમ રૂપિયા ₹2,42,523 ચુકાદાની તારીખથી 30 દિવસની મુદતમાં વીમા કંપની દ્વારા કેસ દાખલ કરી તારીખ 03-08-2022થી 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કરેલ છે. આ ઉપરાંત ફરિયાદી ગ્રાહકને માનસિક આઘાત અને લીગલ ખર્ચ પેટે પણ રકમ ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કરેલ છે. આ ચુકાદો ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદ એડિશનલના પ્રમુખ કે.એસ.પટેલ તથા એમ બી ચૌહાણ સભ્યોની બેંચ દ્વારા ફરિયાદીની તરફેણમાં જાહેર કરવામાં આવેલ છે.


http://dlvr.it/T8g6DC

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp