સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એ., બી.કોમ., બી.એસસી સહિતના જુદા જુદા કોર્સના બીજા સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા કેન્દ્રોમાં 43,281 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા માટે યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજના આચાર્યોને જરૂરી સુવિધા-વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે. અગાઉ કોલેજોમાં સીલ લાગવાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા એક સપ્તાહ પાછળ ઠેલવવામાં આવી હતી. 27 જૂનથી શરૂ થનારી પરીક્ષામાં સૌથી વધુ બી.એ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 16,087 વિદ્યાર્થી અને બી.કોમ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 12,348 વિદ્યાર્થી પરીક્ષા આપશે. બી.એ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 16,087 અને એક્સટર્નલના 1925 વિદ્યાર્થી, બી.એ. આઈડી સેમેસ્ટર-1ના 14, બીએસડબલ્યુ સેમ-2ના 396, બીબીએ સેમ-2ના 3329, બી.કોમ. સેમેસ્ટર-2ના રેગ્યુલરના 12,348 અને એક્સટર્નલના 233, બીસીએ સેમેસ્ટર-2ના 6621, બી.એસસી આઈટી સેમેસ્ટર-2ના 520, બી.એસસી સેમેસ્ટર-2ના 1318, બી.એસસી એચએસ સેમેસ્ટર-2ના 201, બી.એ.બીએડ સેમેસ્ટર-2ના 46, એલએલએમ સેમેસ્ટર-1ના 198, એમએ એજ્યુ સેમેસ્ટર-2ના 43 સહિત કુલ 43,281 વિદ્યાર્થીની પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે. એલએલએમનું બીજું સેમેસ્ટર પણ પૂરું થઇ ગયું છતાં સેમેસ્ટર-1ની પરીક્ષા અત્યાર સુધી નહીં લેવામાં આવતા કેટલીક કોલેજના સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારબાદ હવે 27મી જૂનથી 1 જુલાઈ દરમિયાન એલએલએમ સેમેસ્ટર-1ની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. અગાઉ રાજકોટની કેટલીક ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજો પણ ફાયર એનઓસી કે સેફ્ટીના સાધનોના અભાવે સીલ કરવામાં આવી હતી. 10થી વધુ કોલેજમાં સીલ કરી દેવાતા અગાઉ 20મી જૂનથી શરૂ થનારી જુદા જુદા કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા એક સપ્તાહ પાછળ ઠેલાવી પડી હતી.
http://dlvr.it/T8q2Tx
http://dlvr.it/T8q2Tx

Comments
Post a Comment