Skip to main content

પરીક્ષા:બી.એ., બી.કોમ. સહિત 15 કોર્સના 43,281 વિદ્યાર્થીની આજથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એ., બી.કોમ., બી.એસસી સહિતના જુદા જુદા કોર્સના બીજા સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા કેન્દ્રોમાં 43,281 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા માટે યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજના આચાર્યોને જરૂરી સુવિધા-વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે. અગાઉ કોલેજોમાં સીલ લાગવાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા એક સપ્તાહ પાછળ ઠેલવવામાં આવી હતી. 27 જૂનથી શરૂ થનારી પરીક્ષામાં સૌથી વધુ બી.એ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 16,087 વિદ્યાર્થી અને બી.કોમ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 12,348 વિદ્યાર્થી પરીક્ષા આપશે. બી.એ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 16,087 અને એક્સટર્નલના 1925 વિદ્યાર્થી, બી.એ. આઈડી સેમેસ્ટર-1ના 14, બીએસડબલ્યુ સેમ-2ના 396, બીબીએ સેમ-2ના 3329, બી.કોમ. સેમેસ્ટર-2ના રેગ્યુલરના 12,348 અને એક્સટર્નલના 233, બીસીએ સેમેસ્ટર-2ના 6621, બી.એસસી આઈટી સેમેસ્ટર-2ના 520, બી.એસસી સેમેસ્ટર-2ના 1318, બી.એસસી એચએસ સેમેસ્ટર-2ના 201, બી.એ.બીએડ સેમેસ્ટર-2ના 46, એલએલએમ સેમેસ્ટર-1ના 198, એમએ એજ્યુ સેમેસ્ટર-2ના 43 સહિત કુલ 43,281 વિદ્યાર્થીની પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે. એલએલએમનું બીજું સેમેસ્ટર પણ પૂરું થઇ ગયું છતાં સેમેસ્ટર-1ની પરીક્ષા અત્યાર સુધી નહીં લેવામાં આવતા કેટલીક કોલેજના સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારબાદ હવે 27મી જૂનથી 1 જુલાઈ દરમિયાન એલએલએમ સેમેસ્ટર-1ની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. અગાઉ રાજકોટની કેટલીક ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજો પણ ફાયર એનઓસી કે સેફ્ટીના સાધનોના અભાવે સીલ કરવામાં આવી હતી. 10થી વધુ કોલેજમાં સીલ કરી દેવાતા અગાઉ 20મી જૂનથી શરૂ થનારી જુદા જુદા કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા એક સપ્તાહ પાછળ ઠેલાવી પડી હતી.


http://dlvr.it/T8q2Tx

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n