Skip to main content

પરીક્ષા:બી.એ., બી.કોમ. સહિત 15 કોર્સના 43,281 વિદ્યાર્થીની આજથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.એ., બી.કોમ., બી.એસસી સહિતના જુદા જુદા કોર્સના બીજા સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા કેન્દ્રોમાં 43,281 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા માટે યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજના આચાર્યોને જરૂરી સુવિધા-વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે. અગાઉ કોલેજોમાં સીલ લાગવાને કારણે યુનિવર્સિટીની પરીક્ષા એક સપ્તાહ પાછળ ઠેલવવામાં આવી હતી. 27 જૂનથી શરૂ થનારી પરીક્ષામાં સૌથી વધુ બી.એ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 16,087 વિદ્યાર્થી અને બી.કોમ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 12,348 વિદ્યાર્થી પરીક્ષા આપશે. બી.એ. સેમેસ્ટર-2 રેગ્યુલરના 16,087 અને એક્સટર્નલના 1925 વિદ્યાર્થી, બી.એ. આઈડી સેમેસ્ટર-1ના 14, બીએસડબલ્યુ સેમ-2ના 396, બીબીએ સેમ-2ના 3329, બી.કોમ. સેમેસ્ટર-2ના રેગ્યુલરના 12,348 અને એક્સટર્નલના 233, બીસીએ સેમેસ્ટર-2ના 6621, બી.એસસી આઈટી સેમેસ્ટર-2ના 520, બી.એસસી સેમેસ્ટર-2ના 1318, બી.એસસી એચએસ સેમેસ્ટર-2ના 201, બી.એ.બીએડ સેમેસ્ટર-2ના 46, એલએલએમ સેમેસ્ટર-1ના 198, એમએ એજ્યુ સેમેસ્ટર-2ના 43 સહિત કુલ 43,281 વિદ્યાર્થીની પરીક્ષા આજથી શરૂ થઇ રહી છે. એલએલએમનું બીજું સેમેસ્ટર પણ પૂરું થઇ ગયું છતાં સેમેસ્ટર-1ની પરીક્ષા અત્યાર સુધી નહીં લેવામાં આવતા કેટલીક કોલેજના સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારબાદ હવે 27મી જૂનથી 1 જુલાઈ દરમિયાન એલએલએમ સેમેસ્ટર-1ની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. અગાઉ રાજકોટની કેટલીક ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજો પણ ફાયર એનઓસી કે સેફ્ટીના સાધનોના અભાવે સીલ કરવામાં આવી હતી. 10થી વધુ કોલેજમાં સીલ કરી દેવાતા અગાઉ 20મી જૂનથી શરૂ થનારી જુદા જુદા કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા એક સપ્તાહ પાછળ ઠેલાવી પડી હતી.


http://dlvr.it/T8q2Tx

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp