Skip to main content

એજ્યુકેશન:શ્રી વિઠ્ઠલભાઇ ઝવેરભાઈ પટેલ શાળા નંબર 213માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

શ્રી વિઠ્ઠલભાઇ ઝવેરભાઈ પટેલ શાળા નંબર 213માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માજી કોર્પોરેટર ભદ્રેશભાઈ પરમાર, સામાજિક કાર્યકર્તા રસુલભાઈ પઠાણ, યુવા મોરચાના પ્રમુખ અજહરભાઈ પઠાણ, સુમન શાળા નંબર 17ના આચાર્યા મયુરીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહાનુભાવોએ બાલવાટિકાના બાળકોને કુમકુમ પગલા પડાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. સાથે સાથે ન.પ્રા.શિ.સમિતિ સુરત તરફથી આપવામાં આવેલ શૈક્ષણિક કીટની વહેંચણી કરવામાં આવી હતી. મહાનુભવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ગત વર્ષમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર ધોરણ 3થી 8ના બાળકોને તેમજ એકમ કસોટીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત ગત વર્ષમાં સૌથી વધુ દિવસ હાજર રહેનાર નિયમિત બાળકને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. NMMSની પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ કાર્યક્રમમાં ખૂબ આનંદિત જણાયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.


http://dlvr.it/T8t9fp

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n