Skip to main content

વરસાદી માહોલ:ધનસુરામાં નવીન ગટર બનાવવા છતાં જવાહર બજારમાં વરસાદી પાણી ભરાયાં

ધનસુરાના જવાહર બજારમાં પાણી ભરાવાની સમસ્યાને લઇ જિલ્લા પંચાયત સદસ્યે 15 લાખની ગ્રાન્ટ ફાળવતાં પંચાયતે ગટરનું કામ યોગ્ય ન કરતાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધનસુરાના જવાહર બજારમાં પાણી ભરાવાની સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોથી હોવાથી સમસ્યાના કાયમી નિકાલ માટે ધનસુરા જિલ્લા પંચાયત સીટના જિલ્લા સદસ્ય દ્વારા 15 લાખની ગ્રાન્ટ જવાહર બજારના પાણીના નિકાલ માટે પાકી ગટર બનાવવા માટે ફાળવી હતી. જેનું કામ ધનસુરા પંચાયત દ્વારા કરાયું છે. પરંતુ ગટરના કામમાં પાણીના નિકાલ માટે યોગ્ય લેવલથી કામ ન થતાં ચોમાસાના પહેલા જ વરસાદમાં જવાહર બજારમાં પાણી ભરાઈ જવાના પ્રશ્નના લીધે ગ્રામજનો તથા વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. પહેલા જ વરસાદમાં પોલ ખુલી જતાં ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયાની બુમો ઉઠી છે. ધનસુરા વેપારી એસોસીએશન દ્વારા આ સમસ્યાના કાયમી નિકાલ માટે રજૂઆત કરતાં જિલ્લા સદસ્ય દ્વારા સદર ગામના પાણીના નિકાલની મુખ્ય સમસ્યા માટે 15 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ગટર બનાવવા 15 લાખ ફાળવ્યા હતા _photocaption_જવાહર બજારમાં પાણી ભરાઇ ગયા હતા}જીગર પટેલ*photocaption*


http://dlvr.it/T904r7

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n