Skip to main content

નવા કાયદાની સમજ માટે ટ્રેનિંગ:સુરત જિલ્લાના પલસાણા અને કડોદરા પોલીસના કર્મચારીઓ માટે નવા કાયદાની સમજ આપવા માટે એક ટ્રેનિંગનું આયોજન

રાજ્યના પોલીસ વિભાગ અને કાયદા તંત્રમાં બદલાવ આવી રહ્યા છે. સુરત જિલ્લાના પલસાણા અને કડોદરા પોલીસના કર્મચારીઓ માટે નવા કાયદાની સમજ આપવા માટે એક ટ્રેનિંગનું આયોજન કરાયું હતું. કાયદા હેઠળ સજામાં થયેલા ફેરફાર અંગે પણ માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં પહેલી જુલાઈથી પોલીસ ખાતામાં નવા કાયદા અને સજાની જોગવાઈમાં સુધારો કરવામાં આવનાર છે. જેથી વિવિધ પોલીસ મથકોમાં યોગ્ય સમજ અને માહિતગાર થાય એ પણ જરૂરી છે. ત્યારે સુરત જિલ્લાના પલસાણા અને કડોદરા પોલીસને આવરી લઇ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કડોદરા પાલિકાના હોલ ખાતે નવા કાયદાના સુધારા અંગે તાલીમ આપતી શિબિરનું આયોજન કરાયું હતું. ASI સુરેશ ગામીત તેમજ સાઇબર ક્રાઈમના PSI જે.એમ જાડેજા દ્વારા પોલીસ કર્મીઓને નવા કાયદાઓ, કાયદા હેઠળ સજામાં થયેલા ફેરફાર અંગે માહિતી આપવામાં આવી હતી.


http://dlvr.it/T7jG6X

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n