તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું:પીએશ્રી સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો; સ્કૂલ ઓફ એક્ષલન્સ અંતર્ગત બાંધકામ થયેલ નવા રૂમનું લોકર્પણ કરાયું
પીએશ્રી સજનપર પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને નાયબ નિયામક અને ટેક્નિકલ શિક્ષણના કમિશ્નર-ગાંધીનગર એમ.જે.અધારાની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવની ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાલવાટીકા અને ધો. 1મા નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો અને બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. આ સાથે શાળાના ધો. 3થી 8ના વાર્ષિક પરિક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ જુદી જુદી પરીક્ષાઓ જેવી કે CET, જ્ઞાનસાધના, NMMS, DLSS અને સૌથી વધુ હાજરી ધરાવતા બાળકોને વિવિધ ઇનામોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા. આ તકે શાળામાં અભ્યાસ વિવિધ ઇનામો અને તિથિ ભોજનના દાતાઓનું શાળા પરિવાર વતી સાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું. તેમજ આ તકે શાળામાં સ્કૂલ ઓફ એક્ષલન્સ અંતર્ગત બાંધકામ થયેલ નવા રૂમનુ લોકર્પણ પણ કરવામાં આવ્યું અને સરકાર દ્વારા અપાયેલ નિપુણ ભારત અંતર્ગત વિવિધ સાહિત્યનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં શાળાના તમામ શિક્ષકોની અથાગ મહેનત બદલ સમગ્ર ગામલોકો અને સરપંચ વિનોદભાઈ સિણોજીયા તેમજ આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
http://dlvr.it/T8wl6p
http://dlvr.it/T8wl6p
Comments
Post a Comment