Skip to main content

રોંગ સાઈડ જતા વાહનચાલકો સામે કાર્યવાહી:વડોદરામાં 68 ચાલકો સામે ગુનો દાખલ, ટ્રાફિક પોલીસે 102 વાહનચાલકોનું કાઉન્સેલિંગ કર્યું

વડોદરા શહેરમાં હાલ રોંગ સાઈડ જઈ રહેલા વાહનચાલકો સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં આજે રોંગ સાઈડ જઈ રહેલા 68 વાહન ચાલકો સામે આજે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ટ્રાફિક પોલીસે 102 વાહન ચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી
વડોદરા ટ્રાફિક DCP જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, જાહેર માર્ગ ઉપર વાહનચાલકો રોંગ સાઈડ વાહન ચલાવતાં હોવાના કારણે અકસ્માત સર્જાતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. જેથી આવા વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી રોંગ સાઈડ ચલાવનાર વાહનચાલકો વિરૂધ્ધ સ્થાનિક પોલીસને સાથે રાખી અલગ-અલગ ટીમો બનાવી ટ્રાફિક શાખા દ્વારા તા. 22 જૂન 2024થી તા. 28 જૂન 2024 સુધી ખાસ ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. 102 વાહનચાલકોનું કાઉન્સેલિંગ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઝૂંબેશ દરમિયાન વડોદરા શહેરમાં રોંગ સાઈડ આવતા વાહનચાલકોને પકડી, પોલીસ સ્ટેશન બોલાવી તેઓના વાહનના પડતર ઈ-ચલણની માહિતી કઢાવી અને પડતર ચલણો સામે માંડવાળ રકમની ચુકવણી કરવા અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરતા છેલ્લા ચાર દિવસમાં રોંગ સાઈડ આવતાં કુલ-23 વાહનચાલકોને બાકી ઈ-ચલણના નાણાં ભરાવ્યા છે. તેમજ ભવિષ્યમાં આ રીતે ટ્રાફિક નિયમોનું ઉલ્લઘંન ન કરે અને પોતાની સુરક્ષા અંગે ધ્યાન રાખે તે માટે 102 વાહનચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તેમજ 341 વાહનચાલકો વિરુદ્ધ અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે. 68 વાહનચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
તેઓએ ઉમેર્યું હતું કે, આજે રોંગ સાઇડ વાહન ચલાવનાર 68 વાહનચાલકો વિરુદ્ધ IPC-279 તેમજ એમ.વી.એક્ટ 184 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. જેથી, વડોદરા શહેરના તમામ નાગરીકોને અપીલ કરવામાં આવે છે કે, ટ્રાફિક નિયમોનું સુચારૂરૂપે પાલન કરે અને પોતાની તેમજ અન્યની જીંદગી જોખમમાં મુકાય તે રીતે વાહન ન ચલાવે. આ સ્થળોએ રોંગ સાઇડ જતા વાહનચાલકો સામે કામગીરી


http://dlvr.it/T8m8kl

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp