Skip to main content

કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન:ખંભાળિયાના વાડીનાર ખાતે મહિલાઓ માટે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઇ

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મહિલા અને બાળ અધિકારીની કચેરી અને નાયરા એનર્જી સંચાલિત પ્રોજેકટ એકસેલ સહયોગથી તથા ઇનશકિત ફાઉન્ડેશનના સંકલનથી કૌશલ્યવર્ધક રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર ખાતે બહેનો સાથે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં મદદનીશ સરકારી વકીલ અલ્પેશભાઈ પરમાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં કાયદાની જોગવાઈઓ તથા કલમો વિશે બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેઓ દ્વારા કાયદાના ઇતિહાસથી લઈ વિશાખા ગાઇડ લાઇન સુધીની કાયદાની સફર વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.સી.ડી. ભાંભી દ્વારા આ કાયદાની ફરીયાદ કરવા માટે આંતરીક અને સ્થાનિક સમિતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા સાથે થતી હિંસા રોકવાની અને બનતી મદદ કરવાની સામાજીક જવાબદારી અંગેની રોલમોડેલ તરીકેના વિષય પર વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. આ કાર્યક્રમાં ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના કર્મચારીઓ, સખી-વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓ, 181- અભયમ મહિલા હેલ્પ લાઇન વગેરે કર્મચારીઓ દ્વારા ઘરેલુ હિંસાનો ભોગ બનનારને આ બધા પ્રકલ્પો પીડીતાને કેવી રીતે મદદરૂપ થાય છે તે માહિતી અને વિવિધ મહિલા લક્ષી યોજનાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં આંગણવાડી વર્કરના બહેનો ઉપસ્થિત રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.


http://dlvr.it/T8t9St

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp