Skip to main content

વીજ ગ્રાહકોમાં ફફડાટ:ભાજપા નેતાને મેસેજ, બિલ અપડેટ નહીં થયું હોવાથી વીજ જોડાણ રાત્રે કપાઈ જશે

ઓટીપી અને પીન અપડેટ કરવાના નામે સાઈબર માફિયાઓ લોકોના બેંક ખાતા ખાલી કરવાના બનાવો અવારનવાર બને છે, ત્યારે એક ભેજાબાજે જિલ્લા ભાજપાના અગ્રણીને સોશીયલ મીડીયા દ્વારા મેસેજ મોકલ્યો હતો કે તમારું ગયા માસનું વીજ બીલ અપડેટ નહીં થયું હોવાથી તમારું વીજ જોડાણ રાત્રે નવ વાગે કપાઈ જશે અને તે માટે વીજ અધિકારીનો સંપર્ક સાધવો, મેસેજના પગલે નેતાએ વીજ કંપનીનો સંપર્ક સાધ્યો હતો ત્યારે વીજ કંપનીએ મેસેજ ફેક હોવાનું જણાવતાં નેતાએ રાહતનો દમ ખેંચ્યો હતો. આ બનાવની વિગતો એવી છે કે ‘ સાવલી તાલુકામાં શૈક્ષણિક સંસ્થાના અગ્રણી ટ્રસ્ટી અને નર્મદા જિલ્લાના ભાજપા પ્રભારી-પૂર્વ જિલ્લા મહામંત્રી (વડોદરા જિલ્લા ભાજપા) ધર્મેશ પંડયાના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો,ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના લેટર હેડ દ્વારા મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે ‘ ડીયર કસ્ટમર, તમારું વીજ પુરવઠાનું જોડાણ આજે રાત્રે નવ વાગે કાપી નાંખવામાં આવશે કારણ કે તમારા ગયા માસનું બીલ અપડેટ થયું નથી જેથી મહેરબાની કરીને કોલ કરીને અમારા ઇલેકટ્રીસીટી ઓફિસરને કોલ કરવો,મેસેજમાં એમ પણ જણાવાયું છે કે ‘ વિદ્યુત મંત્રાલય ગ્રાહકોને અપડેટ કરવાની બાબતને ઉતેજન આપે છે.મેસેજમાં હેલ્પલાઈન નંબર પણ દર્શાવેલો છે આ ઉપરાંત મેસેજમાં ચીફ ઇલેકટ્રીસીટી ઓફિસરની સહિ અને સિક્કો પણ દર્શાવેલો છે.નોટિસના રુપે મોકલાયેલા મેસેજમાં અશોક ચક્રનો પણ ઉપોયગ કરવામાં આવ્યો છે. અગાઉ પણ ભેજાબાજોએ વીજ બીલ અપડેટ કરવાના નામે અનેકને ઠગ્યા છે વીજ કંપની આવો મેસેજ મોકલતી નથી વીજ કંપનીએ કહ્યું, આ ફેક મેસેજ છે,વીજ કંપની આવો મેસેજ કોઈ પણ વીજ ગ્રાહકને આ પ્રકારની નોટિસના રુપે મોકલતી નથી બીજું કે એમજીવીસીએલમાં ચીફ ઇલેકટ્રીસીટી ઓફિસરની કોઈ પોસ્ટ પણ નથી,પાછલું બીલ અપડેટ કરવા વીજ કંપની મેસેજ નથી મોકલતી અને વીજ જોડાણ કાપવા માટે આવો મેસેજ કંપની મોકલતી નથી.


http://dlvr.it/T8sjRy

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp