Skip to main content

સાબરકાંઠામાં પુરક પરીક્ષા:બીજા દિવસે ધો-10માં અંગ્રેજી વિષયમાં 479 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ -12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા-2024નો પ્રારંભ 24 જૂનથી થયો છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો-10 માં અંગ્રેજી(16) વિષયમાં કુલ 646 વિદ્યાર્થીઓ પૈકી 479 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 167 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં 6 દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-12માં અર્થશાસ્ત્ર (22) વિષયમાં 35 વિદ્યાર્થીઓ પૈકી 26 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 9 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમમાં 25 અને અંગ્રેજી માધ્યમમાં એક વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત(129) વિષયમાં કુલ 74 વિદ્યાર્થીઓ પૈકી 59 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 15 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી (13) વિષયમાં કુલ 266 વિદ્યાર્થીઓ પૈકી 198 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 68 ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી(06) વિષયમાં કુલ 17વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


http://dlvr.it/T8lpvc

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n