જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે “ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ ઝુંબેશના આંતરરાષ્ટ્રીય દિવસ (ઇન્ટરનેશનલ ડે અગેઈન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઈલીસીટ ટ્રાફિકિંગ) વિષય પર સેમિનાર યોજાયો હતો. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.રમેશ પરમારે વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માટે સમજૂત કરી તેમને મિત્રો-પરિવારના અન્ય વ્યસની લોકોને નશો છોડાવવા અપીલ કરી હતી. ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલે ડ્રગ્સના વધતા ઉપયોગ અને તેનાથી થતી અસર તેમજ ભારતમાં ડ્રગ્સના વધતા ઉપયોગના કારણોમાં જીઓ પોલિટિકલ સિચ્યૂએશનની વિસ્તૃત સમજ આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હાલ યુવાનોમાં વધતા પરફોર્મન્સ પ્રેશર, જાત પાસેથી -સમાજની યુવાનો પાસેથી વધતી અપેક્ષાઓ, મહત્ત્વાકાંક્ષાઓ અને સેન્સ ઓફ ઈન્સિક્યુરિટીના કારણે પણ યુવાનોમાં આ દૂષણોનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રોફેસર ડો.મીનુ જસદણવાલાએ વ્યસનોની શારીરિક-માનસિક અસરો,તેના કારણે થતા ગુનાઓ, ભારતીય કાયદા તેના પરના પગલાંઓ વિશે પી.પી.ટી. દ્વારા વિસ્તૃત સમજણ આપી હતી. માનવ અધિકાર અને કાયદા ભવનના પ્રોફેસર રાજુભાઈ દવેએ તેમના વક્તવ્યમાં નશાના કેન્દ્ર બિંદુ પર ફોકસ પાડતા લોકો નશા તરફ શું કામ વળે છે તેમજ નશાના વિષચક્રમાં ફસાયા પછી તેઓની માનસિક, શારીરિક અને આર્થિક હાલત કેવી થતી હોય છે તે અંગે સમજાવ્યું હતું. સેમિનારમાં ઉપસ્થિત રહેલા સૌએ નશામુક્તિના શપથ લીધા હતા.
http://dlvr.it/T8q2qh
http://dlvr.it/T8q2qh

Comments
Post a Comment