અમરેલીમાં પાંજરાપોળ ગૌશાળામાં ચિરાગભાઈ ભુપતભાઈ શાહ અને સેજલબેન આંબાવાળાની મેરેજ એનીવર્સરી પ્રસંગે 830 ગાયોને રૂપિયા 31000 કિંમતની લાપસી ખવડાવી હતી. આ પ્રસંગે કિર્તીભાઈ મુંબઈના રૂપિયા 5000નું તેમજ કામિનીબેન પરેશભાઈ પરીખ ઈન્દોર તરફથી નિરવી તથા પ્રતિકના લગ્નની ખુશીમાં રૂપિયા 5000 તેમજ પાણીના બે અવેડાની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વ. સૂર્યકાંતભાઈ ગીરધરલાલ વિઠ્ઠલાણીના હસ્તે અમરેલીના વનીતાબેને રૂપિયા 51000, ભોગીલાલ ગીરધરલાલ શાહ અને મુક્તાબેન શાહ મુંબઈવાળાએ રૂપિયા 75000 દાન અર્પણ કર્યું હતું. ઉપરાંત નાના આંકડિયાના સ્વ. વલ્લભભાઈ પોપટભાઈ જાવિયાના અત્મશ્રેયાર્થ વિનુભાઈ. મધુભાઈ, હિંમતભાઈ, કાંતિભાઈ, રતિભાઈ, જયસુખભાઈ તરફથી રૂપિયા 11111 અનુદાન કર્યું હતું. આ તકે જમીનીબેન ભટ્ટ, ગુણવંતભાઈ શાહ, કિર્તીભાઈ, અમિતભાઈ વિઠ્ઠલાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓને સંસ્થાના મુકુંદભાઈ ગઢીયા, વસંતભાઈ પોકળ, દિલીપભાઈ પરીખે બિરદાવ્યા હતા. પોરબંદરના ઠક્કર પ્લોટમાંથી એક યુવતી 3 દિવસથી ગુમ ભાસ્કર ન્યૂઝ | પોરબંદર પોરબંદર શહેરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેમાની એપાર્ટમેન્ટમાં રહેતી એક 19 વર્ષીય યુવતી દાંતના દવાખાને જાવ છું તેમ કહીને નીકળી ગઇ હતી. બાદમાં લાંબા સમય સુધી યુવતી પરત ન ફરતા તેમના વાલીએ તેને ફોન કરતા તેનો ફોન બંધ આવે છે. આ યુવતી ગત તા. 30-05-2024 ના રોજ ઘરેથી ગયા બાદ આજદિન સુધી પરત ન ફરતા તેના વાલી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
http://dlvr.it/T7jRdY
http://dlvr.it/T7jRdY
Comments
Post a Comment