Skip to main content

ભારતીય આર્થશાસ્ત્રીઓનું મનોમંથન:ICMAIનું 61મું નેશનલ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સનું ત્રિદિવસીય કન્વેન્શન નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ખાતે યોજાયું

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICMAI) 61મું નેશનલ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ નું ત્રિદિવસીય કન્વેન્શન નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ખાતે નર્મદા ટેન્ટ સિટી 2 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ICMAIની સમગ્ર ટીમ અને ભારતના તજજ્ઞો અર્થશાસ્ત્રીઓ જોડાયા હતા. CMA પ્રમુખ અશ્વિન જી દલવાડી, સેક્રેટરી કૌશિક બેરનજી, ઉપ પ્રમુખ CMA બી બી નાયક, CMA મનોજ કુમાર આનંદ, કાઉન્સિલ મેમ્બર, ICMAI અનુક્રમે કેવડિયા એકતાનગર ખાતે મળેલા 61મા NCMAC ની ત્રિદિવસીય શિબિર માં મુખ્ય વિષય "વિકસીત ભારત 2047 " રાખવામાં આવ્યો હતો અને સંકલ્પથી સિદ્ધિ માટે સંકલન ઉત્પ્રેરક કરવું છે. જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047માં સ્વતંત્રતાના 100મા વર્ષે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝનને અનુરૂપ દેશની આર્થિક સંસ્થાઓ ભેગી મળીને ભારતના ઉત્કર્ષ માટે ચર્ચા કરવામાં આવી છે અને જેમાં ખાસ કરીને ભારતને આર્થિક સદ્ધરતા વધારવા ઈકોનોમી ગ્રોથ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી અને ત્રિદિવસીય શિબિરમાં થયેલ ચર્ચા નો રિપોર્ટ બનાવી સરકાર સાથે કેવા સુધારા વધારા કરવા. આ સાથે 2047 માં વિકસિત ભારત કેવીરીતે બનાવવું જેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. ICMAIના પ્રમુખ અશ્વિન દલવાડી જણાવ્યું હતું કે, NCMAC- 24 વિકસિત ભારત 2047ની થીમ પર આ શિબિરમાં 400થી વધુ અર્થ વિદ્વાનો જુદી જુદી સંસ્થાઓ માંથી હાજર રહ્યા હતા. ત્રણ દિવસ દરમ્યાન ભારતના આર્થિક વિકાસ, નવીનતા, સ્થિરતા અને વૃદ્ધિ કરવી, ભારતને વિકસીત ભારત તરફ આગળ વધારવા માટે જરૂરી વિઝન સાથે આમારી ટીમ આગળ વધી રહી છે અને આ બેઠકમાં બધાએ ભેગા થઇ વિકસિત ભારતનો રોડ મેપ તૈયાર કર્યો છે. ભારતના ઇતિહાસમાં ICMAI ચેરમેન પ્રથમ ગુજરાતી બન્યા
અશ્વિનભાઈ દલવાડી એક ઈકોનોમિસ્ટ તરીકે ICMAI સંસ્થામાં કામ કરે છે. હાલ તેઓ ICMAI ના પ્રેસિડન્ટ છે, આટલા વર્ષોમાં એક ગુજરાતી પ્રેસિડન્ટ પ્રથમ વાર બન્યા છે. ધ ઈન્સ્ટિટટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા ભારતીય કંપની એક્ટ, 1913 હેઠળ 14મી જૂન,1944ના રોજ “ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ” તરીકે નોંધાયેલ હતી. આ સંસ્થા ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે.સંસ્થા કોલકાતા, દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ ખાતે ચાર પ્રાદેશિક પરિષદો ધરાવે છે. ભારતમાં 117 ચેપ્ટરો, અને 11 વિદેશી કેન્દ્રો ધરાવે છે આ સંસ્થા વિશ્વની સૌથી મોટી કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સંસ્થા છે. જેમાં લગભગ 1 લાખ CMA અને 50 હાજરથી વધુ વિદ્યાર્થીઓ CMA કોર્સને અનુસરે છે. (AFA)ના સહયોગી સભ્ય અને ઇન્ટરનેશનલ ઇન્ટિગ્રેટેડ રિપોર્ટિંગ કાઉન્સિલ (IIRC), UKના સભ્ય પણ છે.


http://dlvr.it/T8xqt0

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp