Skip to main content

વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો:સ્નાતક કોર્સમાં એડમિશન માટે 4થી 6 જુલાઈ સુધી જીકાસ પોર્ટલ ખુલ્લું રહેશે

સરકારી યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તે માટે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં એડમિશન માટે નવી અરજી સ્વીકારવાનો અને જે વિદ્યાર્થીઓએ અગાઉ અરજીઓ કરી છે તેમને સુધારવાની તક આપવા GCAS પોર્ટલ ફરી ઓપન કરવાનો નિર્ણય કરાયો છે. શિક્ષણ વિભાગના અગ્રસચિવની ઉપસ્થિતિમાં લેવાયેલા નિર્ણયોમાં સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે 4થી 6 જુલાઈ સુધી નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા GCAS પોર્ટલ ઓપન કરાશે, જ્યારે 1થી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ અગાઉ અરજી કરી છે તેમની અરજી સ્વીકારવા GCAS પોર્ટલ ઓપન કરાશે. વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ મારફતે વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની પ્રોફાઈલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ કરી શકશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે તેઓ કોલેજ, યુનિવર્સિટીમાં જઈને પોતે પ્રવેશ રદ્દ કરાવી શકે છે.


http://dlvr.it/T8yDk2

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n