Skip to main content

લીકેજના પ્રશ્નો નોંધાયા:નબળી ગુણવત્તાવાળા કામને કારણે નવી લાઈનોમાં લીકેજ

24 કલાક શહેરીજનોને પિવાનું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા કરોડોના ખર્ચે પાણીની નવી લાઈનોનું નેટવર્ક નાંખવામાં આવ્યું છે. પરંતુ તેના ટેસ્ટીંગ દરમિયાન જ નબળી ગુણવત્તાવાળા કામની પોલ ખૂલ્લી પડી ગયેલી જોવાં મળી છે. શહેરના જૂના સેક્ટરોમાં પાણીની પાઈપો નાંખવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સ્માર્ટ મીટર પણ લગાડી દેવામાં આવ્યાં છે. જ્યારે લાઈનોના ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે પાણીના ભારે દબાણને કારણે નવી લાઈનો ફાટી જવાના તેમજ લિકેજના પ્રશ્નો જોવાં મળ્યાં છે. આ કારણોસર તંત્રની કામગીરી સામે સવાલો ઉપસ્થિત થયાં છે. લાંબા સમયથી પાણી ડ્રેનેજની લાઈનો નાંખવાની કામગીરી શહેરમાં ચાલી રહી છે. જેથી આંતરિક રસ્તાઓની હાલાત પણ બિસમાર થયેલ છે. વર્ષો અગાઉ નાંખવામાં આવેલ પાણીની લાઈનોમાં ભંગાણ પડવાના પ્રશ્નો કાયમી બનેલાં જોવાં મળ્યાં છે. પરંતુ નવી નાંખવામાં આવેલી પાઈપોમાં પણ ફોર્સથી પાણી આવવાને કારણે લિકેજ કે ભંગાણ થતાં શહેરીજનોને હજુ પણ 24 કલાક પાણી મેળવવા માટે રાહ જોવી પડશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, નવી પાઇપ લાઇનમાં ટેસ્ટિંગ કરવા દરમિયાન વધુ પડતાં ફોર્સથી જ પાણી છોડીને ચકાસણી કરવામાં આવતી હોય છે. જેથી લાઇનોમાં કરવામાં આવેલાં જોડાણ નવા હોવાથી અથવા યોગ્ય રીતે તેનું ફીટિંગ કરાયું ન હોય તો લિકેજની સમસ્યા સર્જાઇ શકે છે. તંત્રે ચકાસણી હાથ ધર્યા બાદ જ્યાં લિકેજ જોવાં મળ્યું ત્યાં ફરીથી સમારકામ શરૂ કરાયું છે. તંત્ર દ્વારા માત્ર જૂનાં સેક્ટરોમાં જ પાણીની નવી લાઈનો નાંખવામાં આવી છે. જ્યારે નવા સેક્ટરોમાં નવી લાઈનો નાંખવાનું આયોજન કરેલ નથી. જેથી કરીને 24 કલાક પાણી આપવાની શરૂઆત કરી દીધાં બાદ પણ નજીકના ભવિષ્યમાં નવા સેક્ટર વિસ્તારોમાંથી પાણી લિકેજ અને લાઈનોમાં ભંગાણની સમસ્યા જોવાં મળે તો નવાઈ નહીં.


http://dlvr.it/T7RGc6

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q