Skip to main content

અભયમ મદદે આવી:ભાઈ અને કાકા મરજી વિરુદ્ધ યુવતીને ઘરે લઈ જતા માર્ગદર્શન આપ્યુ, છૂટાછેડા સુધી પહોંચી ગયેલા દંપતિનું સમાધાન કરાવ્યું

આજ રોજ વુમન હેલ્પલાઈનમાં બેનનો કોલ આવ્યો કે, તેઓ રાજકોટથી ભાગીને અમદાવાદ આવેલા છે. તેમના ઘરના લોકો તેમને શોધે છે અને તેના કારણે જ 181ની ટીમ મદદ માગી રહી છે. 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચત ત્યાંથી જાણવા મળ્યું કે, બેનને તેમના ભાઈ અને કાકા લઈ ગયા. તેમના પ્રૂફ કે મોબાઈલ નંબર PGમાં આપેલ નહોતા. આથી, બેન સુધી પહોંચી શકાય તેમ ના હતું. ત્યા આસપાસ પૂછતાછ કરતાં બેન મળી આવેલ હતા. ભાઈ અને કાકા મરજી વિરુદ્ધ ઘરે લઈ જવા માગતા હતા
બેન સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, તેઓ ઘરેથી પોતાની મરજીથી ભાગી ગયા હતા. આ બેનની એક મહિના પહેલા તેમની જ્ઞાતિના છોકરા સાથે સગાઈ થઈ હતી. પરંતુ, બેનને તેમને ગમતા છોકરા સાથે લગ્ન કરવા હતા. બેન મુસ્લિમ અને છોકરો હિંદુ ધર્મના હોવાથી ઘરેથી લગ્ન કરવા માટે રાજી નહોતા. બંનેની જ્ઞાતિ અલગ હોવાથી મુશ્કેલ હતું. બેન છેલ્લા સાત વર્ષથી છોકરાને ઓળખે છે. તેમની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. આ વાત તેમના ઘરના સાથે કરી તો તેઓએ જણાવેલ કે, ત્યાં તારા લગ્ન નહિ કરાવીએ અને જો તું લગ્ન કરીશ તો મારી નાખીશું. આથી બેન ઘરેથી ભાગી ગયેલ હતા. અહીંયા PGમાં રહેવા આવ્યા હતા. અહીંયા તેમના ભાઈ અને કાકા તેમને મરજી વિરુદ્ધ ઘરે લઈ જવા માગતા હતા. બેન સાથે વાત કરતા તેણે જણાવેલ કે, તેમને ઘરે નથી જવું. તે ઘરે જશે તો તેમને મારી નાખશે. આથી બેન તેમના ઘરે જવા ઈચ્છતા નહોતા. આથી, બેનને યોગ્ય માર્ગદર્શન આપી તેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકવામાં આવેલ છે. 181ની ટીમે પતિ-પત્નીનું કાઉન્સિલિંગ કર્યું
અન્ય એક મહિલાનો કોલ આવતા જણાવેલ છે કે, તેમના પતિના ત્રાસથી ઘરેથી નીકળી ગયેલ છે. તેઓએ જણાવ્યું કે, 181ની ટીમ સ્થળ પર પહોંચી. કાઉન્સીલિન્ગ કરતા જાણવા મળ્યું કે, પતિ દારૂનો વ્યવસાય કરે છે અને હાથચાલાકી તેમજ માનસિક ત્રાસ પણ આપે છે. તેથી, બેન ત્રણ દિવસથી ઘરે કહ્યા વગર નીકળી ગયેલ છે. તેથી, બેને 181માં કોલ કરેલ કે મારા પતિ હેરાનગતિ કરેલ છે. તેથી તેમને સખીવન સ્ટોપમાં જવાની વાત કરેલ છે. પછી અમે એ જગ્યા ઉપરનું યોગ્ય કાઉન્સીલિન્ગ કરેલ છે તેમજ એમના પતિને બોલાવેલ છે અને પિયર પક્ષને પણ જાણ કરેલ છે. બંને પક્ષને સામ-સામે રાખીને કાઉન્સિલિંગ કરેલ છે અને બેનના પતિ ને સમજાવી સમાધાન કરેલ છે. આથી, સમજી જતા તેઓ સખીવન સ્ટોપ ન જવાનું કહેતા તેઓનું યોગ્ય કાઉન્સિલિંગ કરી પતિ સાથે જવા ઇચ્છતા હોય તેથી તેઓને તેમના પતિ સાથે મોકલેલ છે.


http://dlvr.it/T7gMZP

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...