Skip to main content

અભયમ મદદે આવી:ભાઈ અને કાકા મરજી વિરુદ્ધ યુવતીને ઘરે લઈ જતા માર્ગદર્શન આપ્યુ, છૂટાછેડા સુધી પહોંચી ગયેલા દંપતિનું સમાધાન કરાવ્યું

આજ રોજ વુમન હેલ્પલાઈનમાં બેનનો કોલ આવ્યો કે, તેઓ રાજકોટથી ભાગીને અમદાવાદ આવેલા છે. તેમના ઘરના લોકો તેમને શોધે છે અને તેના કારણે જ 181ની ટીમ મદદ માગી રહી છે. 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચત ત્યાંથી જાણવા મળ્યું કે, બેનને તેમના ભાઈ અને કાકા લઈ ગયા. તેમના પ્રૂફ કે મોબાઈલ નંબર PGમાં આપેલ નહોતા. આથી, બેન સુધી પહોંચી શકાય તેમ ના હતું. ત્યા આસપાસ પૂછતાછ કરતાં બેન મળી આવેલ હતા. ભાઈ અને કાકા મરજી વિરુદ્ધ ઘરે લઈ જવા માગતા હતા
બેન સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, તેઓ ઘરેથી પોતાની મરજીથી ભાગી ગયા હતા. આ બેનની એક મહિના પહેલા તેમની જ્ઞાતિના છોકરા સાથે સગાઈ થઈ હતી. પરંતુ, બેનને તેમને ગમતા છોકરા સાથે લગ્ન કરવા હતા. બેન મુસ્લિમ અને છોકરો હિંદુ ધર્મના હોવાથી ઘરેથી લગ્ન કરવા માટે રાજી નહોતા. બંનેની જ્ઞાતિ અલગ હોવાથી મુશ્કેલ હતું. બેન છેલ્લા સાત વર્ષથી છોકરાને ઓળખે છે. તેમની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. આ વાત તેમના ઘરના સાથે કરી તો તેઓએ જણાવેલ કે, ત્યાં તારા લગ્ન નહિ કરાવીએ અને જો તું લગ્ન કરીશ તો મારી નાખીશું. આથી બેન ઘરેથી ભાગી ગયેલ હતા. અહીંયા PGમાં રહેવા આવ્યા હતા. અહીંયા તેમના ભાઈ અને કાકા તેમને મરજી વિરુદ્ધ ઘરે લઈ જવા માગતા હતા. બેન સાથે વાત કરતા તેણે જણાવેલ કે, તેમને ઘરે નથી જવું. તે ઘરે જશે તો તેમને મારી નાખશે. આથી બેન તેમના ઘરે જવા ઈચ્છતા નહોતા. આથી, બેનને યોગ્ય માર્ગદર્શન આપી તેમને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકવામાં આવેલ છે. 181ની ટીમે પતિ-પત્નીનું કાઉન્સિલિંગ કર્યું
અન્ય એક મહિલાનો કોલ આવતા જણાવેલ છે કે, તેમના પતિના ત્રાસથી ઘરેથી નીકળી ગયેલ છે. તેઓએ જણાવ્યું કે, 181ની ટીમ સ્થળ પર પહોંચી. કાઉન્સીલિન્ગ કરતા જાણવા મળ્યું કે, પતિ દારૂનો વ્યવસાય કરે છે અને હાથચાલાકી તેમજ માનસિક ત્રાસ પણ આપે છે. તેથી, બેન ત્રણ દિવસથી ઘરે કહ્યા વગર નીકળી ગયેલ છે. તેથી, બેને 181માં કોલ કરેલ કે મારા પતિ હેરાનગતિ કરેલ છે. તેથી તેમને સખીવન સ્ટોપમાં જવાની વાત કરેલ છે. પછી અમે એ જગ્યા ઉપરનું યોગ્ય કાઉન્સીલિન્ગ કરેલ છે તેમજ એમના પતિને બોલાવેલ છે અને પિયર પક્ષને પણ જાણ કરેલ છે. બંને પક્ષને સામ-સામે રાખીને કાઉન્સિલિંગ કરેલ છે અને બેનના પતિ ને સમજાવી સમાધાન કરેલ છે. આથી, સમજી જતા તેઓ સખીવન સ્ટોપ ન જવાનું કહેતા તેઓનું યોગ્ય કાઉન્સિલિંગ કરી પતિ સાથે જવા ઇચ્છતા હોય તેથી તેઓને તેમના પતિ સાથે મોકલેલ છે.


http://dlvr.it/T7gMZP

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q