Skip to main content

સુપરમોલો અને માર્કેટના સંચાલકોની બેદરકારી:ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા પ્રમાણમાં રાખી ઉદાસીનતા દાખવતા તપાસ ટીમના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા

રાજકોટમાં 30થી વધારે નિર્દોષોને ભરખી જનાર ભયાવહ દુર્ઘટના સર્જાયા બાદ રાજ્ય સરકારે તમામ ગેમઝોનો અને સુપરમોલો અને માર્કેટમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ચકાસવાના આદેશ આપ્યા હતા. જેના કારણે ગોધરા મામલતદારના નેતૃત્વ હેઠળ પાલિકા ફાયર બ્રિગેડ અને એમ.જી.વી.સી.એલના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા ગઈકાલે શહેરમાં ધમધમતા ચાર ગેમઝોનોની મુલાકાત લઇને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનોને લઈને હાલ પૂરતા ચાર ગેમઝોનોને બંધ રાખવાના આદેશ ફરમાવ્યો છે. આ સાથે ગોધરાની તપાસ ટીમ દ્વારા શહેરમાં કાર્યરત 7 જેટલા અન્ય મોલો કે જે ગ્રાહકોથી હંમેશા ભરપૂર દેખાતા હોય છે. આ સુપર મોલોમાં પણ એકાદ અપવાદરૂપ ઘટનાને બાદ કરીને ફાયર સેફટીની અપૂરતી સુવિધાઓ અને શોર્ટ સર્કિટથી આગ લાગવાના બનાવવામાં આપો આપ વીજ પ્રવાહને બંધ કરી દેનાર એમ.સી.સી.સી.બી સ્વીચો નાખવામાં મોલોના સંચાલકોએ ભારે ઉદાસીનતાઓ દેખાડી હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા તપાસ ટીમના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. ગોધરા મામલતદારના નેતૃત્વ હેઠળની ટીમના સત્તાધીશો દ્વારા શહેરમાં ધમધમતા ચાર ગેમઝોનોની મુલાકાત લઈને સુરક્ષા અને ફાયર સેફ્ટીની સુવિધાઓની ચકાસણીઓ કરી હતી. એમાં દાહોદ રોડ ઉપર આવેલા બે ગેમઝોનો પૈકી પી.ટી. મીરાણી હોસ્પિટલ સામે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર ડોમ બનાવીને ચાલતા ગેમઝોનો અને રમતગમત કિંગડમ ગેમઝોન ફાયર એન.ઓ.સી વગર ચાલતા હોવાનું બહાર આવ્યું હતું. ફાયર સેફ્ટીના ઉપકરણો પણ અભાવ દેખાયો હતો. જો કે આ ચાર ગેમઝોનો હાલ પૂરતા બંધ રાખવાના આદેશ ફરમાવ્યા છે. ગોધરા મામલતદારના નેતૃત્વ હેઠળની તપાસ ટીમે શહેરમાં કાર્યરત 7 મોલોની ફાયર સેફ્ટીની સુવિધાઓની સ્થળ ચકાસણીઓ કરવામાં આવી હતી. જેમાં મોલોના સંચાલકોની ઘણી બધી બેદરકારીઓ દેખાઈ આવી હતી. એમાં ડી માર્ટ મોલમાં જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે ઇમર્જન્સી એક્ઝિટનો ઉપયોગ કરાય છે. આ ઇમરજન્સી એક્ઝિટના દરવાજાને તાળું માર્યું હતું અને સરર્વર રૂમ અને પ્રતિબંધિત વિસ્તારની બાજુમાં ખાલી ખોખાઓ મુકાયા હતા. જ્યારે બંસલ મોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા દેખાઇ રહ્યા હતા. ઝુડીયો મોલમાં ફાયર સેફ્ટીના સાધનો પુરતા પ્રમાણમાં હતા. જ્યારે પેન્ટાલુનમાં શોપિંગ મોલમાં ફાયર એકસ્ટીગ્યુઝરના 11 બોટલો રિફિલિંગ થયા વગરના ખાલીખમ અને ફાયર પંપ પણ બંધ હાલતમાં દેખાયો હતો. શક્તિ સુપર માર્કેટમાં તો કોઈપણ પ્રકારની ફાયર સેફટી રાખવામાં આવી ન હતી કે ફાયર એન.ઓ.સી વગર જ કાર્યરત હોવાનું દેખાયું હતું. જ્યારે ઓશિયા મોલમાં ફાયર સેફટીના સાધનો અપૂરતા અને બંધ હાલતમાં અને ફાયર પ્રેસર પંપ પણ બંધ હાલતમાં દેખાયો હતો.


http://dlvr.it/T7SvKL

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...