Skip to main content

થર્મોકોલથી શિવાજીની પ્રતિમા બનાવાઈ:વડોદરામાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે સાંજે 6 વાગ્યે કાલુપુરથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે

વડોદરા શહેરમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્યાતિભવ્ય રીતે 28 માર્ચે ઉજવણી કરતા ‘મરાઠા પુત્ર’ શ્રી સાંઇ પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે સાંજે 6 વાગ્યે કાલુપુરથી શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. કાલુપુર વિસ્તારને શણગારાયો
‘મરાઠા પુત્ર’ શ્રી સાંઇ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પવારે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી માટે ટ્રસ્ટના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો તડામાર તૈયારીઓ શરૂ કરે છે. કાલુપુર વિસ્તારમાં પોતાના ઘરમાં શુભ પ્રસંગ હોય તે રીતે શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરે છે. પરિવારજનો દ્વારા પોતાના મકાનોને રંગબેરંગી રોશની અને ધજા-પતાકા સાથે શણગારે છે. એ તો ઠીક કાલુપુર વિસ્તાર પણ કેસરી ધજાપતાકાથી શણગારી દેવામાં આવ્યો છે. શોભાયાત્રાનો રૂટ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા આજે સાંજે 6 વાગ્યે શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્ર કાલુપુરથી નિકળશે અને યેવલેનો ખાંચો, નવબજાર મેઈન રોડ, ચાંપાનેર દરવાજા, એમ.જી. રોડ, ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ થઈ પરત યેવેલના ખાંચામાં સમાપન થશે. ડિજે, બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે નીકળનારી આ શોભાયાત્રામાં બાળકો તેમજ મહિલા-પુરૂષો વિવિધ વેશભૂષામાં જોડાશે જે શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહેશે. આચારસંહિતાનો અમલ
પ્રમુખ રાજુભાઈ પવારે વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં લોકસભાની ચૂંટણીની આચરાસંહિતા હોવાના કારણે આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. શોભાયાત્રામાં કાર્યકરો કેસરી સાફા ધારણ કરીને જોડાશે. વાજતે-ગાજતે નીકળનાર શોભાયાત્રામાં જોડાનાર લોકો માટે પાણી સહિતની સુવિધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા નિકળશે
આજે શહેરના કાલુપુર ખાતેથી સાંજે 6 વાગ્યે યોજાનાર શોભાયાત્રાને પગલે શહેર પોલીસ તંત્ર દ્વારા શોભાયાત્રાના રૂટ ઉપર જડબેસલાક પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને શોભાયાત્રાના રૂટ ઉપર આવતા સંવેદનશીલ ચાંપાનેર રોડ વિશેષ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. આગવું આકર્ષણ
પ્રમુખે જણાવ્યું હતું કે, વડોદરાના મૂર્તિકાર અનિકેત મિસ્ત્રીએ થર્મોકોલમાંથી છત્રપતિ શિવાજી મહારાજની અર્ધ પ્રતિમા બનાવી છે. જે પ્રતિમા ભવ્ય શોભાયાત્રાનું આગવું આકર્ષણ રહેશે.


http://dlvr.it/T4k9K7

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...