Skip to main content

જ્ઞાનસાધના-જ્ઞાનસેત પ્રવેશ પરીક્ષા માટે તંત્ર સજજ:પાટણમાં 30 મી માર્ચે 44 હજાર છાત્રો જ્ઞાનસાધના-જ્ઞાનસેતુની પ્રવેશ પરીક્ષા આપશે, તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી

પાટણ જિલ્લામાં એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયા બાદ પાટણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી 30 માર્ચના રોજ જ્ઞાનસાધના અને જ્ઞાનસેત પ્રવેશ પરીક્ષા લેવા માટે સજજ બની છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષા બાદ બીજી મોટી પરીક્ષાનું આયોજન હવે યોજાશે. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં 67 બિલ્ડીંગમાં હતી. જયારે આ પરીક્ષા 86 કેન્દ્રો પર લેવામાં આવશે.જેમાં 1500થી વધુ સ્ટાફ ફરજ બજાવશે. પાટણ જિલ્લામાં ધોરણ 10 અને અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જિલ્લામાં ધોરણ 10 માં 20,560 અને ધોરણ 12 માં 12,151 મળી કુલ 32,000 ઉપરાંત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી . ત્યારબાદ હવે જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીના માર્ગદર્શનમાં બીજી મોટી પરીક્ષાનું જિલ્લામાં આયોજન કરાયું છે. પાટણ જિલ્લામાં તારીખ 30-3-2024 ના રોજ જ્ઞાન સાથેના અને જ્ઞાન સેતુ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયું છે. જ્ઞાન સાધના પરીક્ષામાં પાટણ જિલ્લામાં ધોરણ 5માં અભ્યાસ કરતા 20,009 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપનાર છે. આ માટે પાટણ જિલ્લના તમામ 9 તાલુકાઓના 72 પરીક્ષા કેન્દ્રો પર 700 બ્લોકમાં જ્ઞાનસાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે લેવાનાર જ્ઞાનસેતુ પરીક્ષામાં પાટણ જિલ્લાના 24,021 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપનાર છે. જેના માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં 86 કેન્દ્રો પર 837 બ્લોકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયું છે. આ બંને પ્રવેશ પરીક્ષાઓ મુખ્યત્વે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લેવાનું આયોજન કરાયું છે. પાટણ ડીઈઓ કચેરીના એજ્યુકેશન ઈન્સપેક્ટર ભરતભાઈ પટેલ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં ધોરણ 5 બાળકો માટેની જ્ઞાન સાથેના પરીક્ષા તારીખ 30 ને શનિવારે સવારે 10-30 થી 1-30 દરમિયાન યોજાશે. જયારે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટેની જ્ઞાનસેતુ પરીક્ષા બપોરે 3 થી 5 દરમિયાન યોજાશે. આ પ્રવેશ પરીક્ષા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો આશરે 1500 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. સમય પરીક્ષાનું સંચાલન ડીઈઓની નિશ્રા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતા બાળકો જ્ઞાનસાધના પ્રવેશ પરીક્ષામાં પાસ થઈ મેરીટમાં આવે તો તેમને ઉચ્ચ પ્રાથમિકમાં ધો.6 માં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લે તો રૂપિયા 5000 શિષ્યવૃત્તિ અને જો તેઓ સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો રૂપિયા 20,000 શિષ્યવૃત્તિ આપવાની જોગવાઈ આ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થી જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલમાં જાય તો રૂપિયા 60,000 રક્ષાશક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પ્રવેશ લે તો રૂપિયા 60,000 અને જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલમાં પ્રવેશ લે તો રૂપિયા 60,000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર બને છે. ધોરણ આઠમાં અભ્યાસ કરતું બાળક જ્ઞાનસેતુ પ્રવેશ પરીક્ષામાં મેરીટમાં આવે તો તે ધો.9 માં સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ લે તો તેને વાર્ષિક રૂ 6000 શિષ્યવૃત્તિ અને ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો 22,000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. આ જ વિદ્યાર્થી આગળ ધોરણ 12 માં પહોંચે તો તેને રૂપિયા 25000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર બને છે. જ્યારે ધોરણ નવ માંથી ધોરણ 10 માં પહોંચે ત્યારે તેને રૂપિયા 7000 અને આગળ રુ.8000 મળવાપાત્ર થાય છે. આ પરીક્ષા યોજાયા બાદ રાજ્ય કક્ષાએથી તેની મેરીટ યાદી નક્કી થાય છે. પાટણ જિલ્લામાં જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પ્રવેશ પરીક્ષા માટે શાળાના બાળકો દ્વારા ઉત્સાહ અને રસ દાખવીને પ્રવેશ પરીક્ષા આપવા મોટી સંખ્યામાં નોંધણી કરાવેલ છે.


http://dlvr.it/T4k94D

Comments

Popular posts from this blog

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા:જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવાયા, શિપ્રા કોલેજમા જૂના કોર્સનુ પેપર આપી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબ્બે વખત જનરેટ કરવામાં આવી હતી. જસાણી કોલેજમાં છેલ્લી ઘડીએ વધુ વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા હતા તો શિપ્રા કોલેજમા એક્સટર્નલ ના વિદ્યાર્થીઓને જુના કોર્સ નું પેપર આપી દેવાયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયાનું સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી. અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જસાણી કોલેજમા 450 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી પરંતુ આજે વહેલી સવારે વધુ 100 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો. જેથી છેલ્લી ઘડીએ ઓનલાઇન મળેલા પેપરની વધુ પ્રિન્ટ કરવામાં સમય વીતી ગયો હતો જેને લીધે વિદ્યાર્થીઓને પેપર પણ મોડું આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ વિના પરીક્ષા આપવા બેઠા હતા. જેથી અમુક વિદ્યાર્થીઓએ લોબીમાં બેસી પરીક્ષા આપી હતી. જ્યારે એમ.એ. સેમેસ્ટર - 2 એક્સટર્નલમાં ઇન્ડિયન કલ્ચરનુ પેપર ઓનલાઇન મોકલેલું હતુ તે ન ખૂલતા હાથે લખેલું પ...

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...