Skip to main content

સ્પર્ધા:VHP- બજરંગ દળ અને રમઝટ થનગનાટ ગરબા ગ્રુપે ગણેશ મંડળ માટે સ્પર્ધા યોજી

ભાસ્કર ન્યૂઝ | પારડી પારડી શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ પ્રેરિત રમઝટ થનગનાટ ગરબા ગ્રુપ પારડી દ્વારા સ્પર્ધાનું યોજવામાં આવી હતી. જેમાં શ્રીગણેશજીની પ્રતિમા,મંડપ સુશોભન અને સ્વચ્છતા આ ત્રણેય બિંદુને આવરી લેવાયા હતા. આ સ્પર્ધા થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક સમાજ મિત્રો મંડળોને મુલાકાત અને સંગઠિત કરવાનો હેતુ હતો.આ સાથે હિન્દુ ધર્મના ધાર્મિક ત્યોહાર ની ઉજવણી ધાર્મિક રીતે થાય અને ફિલ્મી ગીતો અશ્લીલ ગીતોનું પ્રદર્શન ન થાય એ પણ હતું. આ સ્પર્ધામાં કુલ 42 મંડળોએ ભાગ લીધો હતો. ટીમ દ્વારા દરેક મંડળની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કિંજલ બેન પંડ્યા, જયશ્રીબેન ભંડારી દ્વારા 5 મંડળોનેં ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ ક્રમાંક શ્રી બ્રહ્મદેવ મંડળ (બદ્રીનાથ મંદિર),દ્વિતિય ક્રમાંકે બાલાખાડી ગણેશ મંડળ, ત્રિત્ય ક્રમાંક કહારવાડ ગણેશ મંડળ (મા વૈષ્ણવ દેવી), ચતુર્થ ક્રમાંક શ્રી યુવા મહોત્સવ ગ્રુપ (અયોધ્યા) અને પાંચમાં ક્રમાંક સંયુક્ત રીતે શ્રી વિનાયક મંડળ વિનાયક સ્ટ્રીટ (સુલતાન ફળીયા) અને શ્રી સાર્વજનિક મિત્ર મંડળ ચીવલ રોડ જકાતનાકા (વિઠ્ઠલ ભક્ત ગૌરા કુંભાર)ને મળ્યું હતું. સ્પર્ધામાં મુખ્ય નિર્ણાયક તરીકે પરેશભાઈ જાની,કિંજલબેન પંડ્યા, જયશ્રીબેન ભંડારી રહ્યાં હતા. ઉપરાંત વિહપ. વલસાડ જિલ્લા મંત્રી રાકેશ રાણા, પારડી પ્રખંડ બજરંગ દળ સંયોજક વિરલ ભંડારી, RSSના ચિંતન સંઘાડિયા, બજરંગ દળ કાર્યકર્તા ઉમેશ સોલંકી,રાજેશ સરૈયા,રમઝટ થનગનાટ ગરબા ગૃપના આયોજક વિશાલ પટેલ, સંઘના નગર કાર્યવાહ મનીષ રાણાએ હાજર રહી મંડળોને પ્રોત્સાહન કર્યા હતા.


http://dlvr.it/TDPrz0

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp