Skip to main content

સ્પર્ધા:VHP- બજરંગ દળ અને રમઝટ થનગનાટ ગરબા ગ્રુપે ગણેશ મંડળ માટે સ્પર્ધા યોજી

ભાસ્કર ન્યૂઝ | પારડી પારડી શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ પ્રેરિત રમઝટ થનગનાટ ગરબા ગ્રુપ પારડી દ્વારા સ્પર્ધાનું યોજવામાં આવી હતી. જેમાં શ્રીગણેશજીની પ્રતિમા,મંડપ સુશોભન અને સ્વચ્છતા આ ત્રણેય બિંદુને આવરી લેવાયા હતા. આ સ્પર્ધા થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક સમાજ મિત્રો મંડળોને મુલાકાત અને સંગઠિત કરવાનો હેતુ હતો.આ સાથે હિન્દુ ધર્મના ધાર્મિક ત્યોહાર ની ઉજવણી ધાર્મિક રીતે થાય અને ફિલ્મી ગીતો અશ્લીલ ગીતોનું પ્રદર્શન ન થાય એ પણ હતું. આ સ્પર્ધામાં કુલ 42 મંડળોએ ભાગ લીધો હતો. ટીમ દ્વારા દરેક મંડળની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કિંજલ બેન પંડ્યા, જયશ્રીબેન ભંડારી દ્વારા 5 મંડળોનેં ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ ક્રમાંક શ્રી બ્રહ્મદેવ મંડળ (બદ્રીનાથ મંદિર),દ્વિતિય ક્રમાંકે બાલાખાડી ગણેશ મંડળ, ત્રિત્ય ક્રમાંક કહારવાડ ગણેશ મંડળ (મા વૈષ્ણવ દેવી), ચતુર્થ ક્રમાંક શ્રી યુવા મહોત્સવ ગ્રુપ (અયોધ્યા) અને પાંચમાં ક્રમાંક સંયુક્ત રીતે શ્રી વિનાયક મંડળ વિનાયક સ્ટ્રીટ (સુલતાન ફળીયા) અને શ્રી સાર્વજનિક મિત્ર મંડળ ચીવલ રોડ જકાતનાકા (વિઠ્ઠલ ભક્ત ગૌરા કુંભાર)ને મળ્યું હતું. સ્પર્ધામાં મુખ્ય નિર્ણાયક તરીકે પરેશભાઈ જાની,કિંજલબેન પંડ્યા, જયશ્રીબેન ભંડારી રહ્યાં હતા. ઉપરાંત વિહપ. વલસાડ જિલ્લા મંત્રી રાકેશ રાણા, પારડી પ્રખંડ બજરંગ દળ સંયોજક વિરલ ભંડારી, RSSના ચિંતન સંઘાડિયા, બજરંગ દળ કાર્યકર્તા ઉમેશ સોલંકી,રાજેશ સરૈયા,રમઝટ થનગનાટ ગરબા ગૃપના આયોજક વિશાલ પટેલ, સંઘના નગર કાર્યવાહ મનીષ રાણાએ હાજર રહી મંડળોને પ્રોત્સાહન કર્યા હતા.


http://dlvr.it/TDPrz0

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q