Skip to main content

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું:અમદાવાદ અને વસ્ત્રાલ RTOની 100 મીટરની ત્રિજ્યામાં એજન્ટને નો એન્ટ્રી, એજન્ટ પકડાયા તો કાયદેસરની કાર્યવાહી થશે

શહેરીજનોના મનમાં એક સામાન્ય ચિત્ર છે કે, RTOનું કોઈપણ કાર્ય હશે તો એજન્ટ પાસે જ કરાવવું પડશે તે છબીને બદલવા માટે અને હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ શહેરના બંને RTO કચેરીમાં બેનર અને પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે ત્યારબાદ હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત જો કોઈ પણ એજન્ટ RTO​​​​​​​ કચેરીની અંદર અથવા 100 મીટરની ત્રિજ્યામાં પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે કારણ કે, જે કામગીરી જાતે કોઈ અરજદાર કરે તો તેને છ મહિના જેટલો પણ સમય લાગી જાય છે પરંતુ, એજન્ટને આપે તો ફક્ત એકથી બે દિવસમાં જ તે કામગીરી પૂર્ણ થતા હાઇકોર્ટના હુકમ બાદ RTO​​​​​​​ વ્યવસ્થામાં બદલાવ લાવવામાં આવ્યો હતો. એજન્ટગીરી કરતા પકડાશે તો કાયદાકીય ​​​​​​​કાર્યવાહી હાથ ધરાશે
હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને હુકમ કરવામાં આવ્યો છે કે, RTO​​​​​​​ કચેરીની આસપાસ આ પ્રકારે અનઅધિકૃત વ્યક્તિઓ અરજદારોને અથવા તો RTO કચેરી ખાતે આવતા લોકોનો ઘેરાવ કરીને તેમની પાસેથી રૂપિયા પડાવીને તેમની કામગીરી કરે છે. જે કાયદાકીય રીતે ખોટું હોવાથી હવે જો કોઈ પણ વ્યક્તિ એજન્ટગીરી કરતા પકડાશે તો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-223 મુજબ ગુનો નોંધીને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ RTO કચેરી એટલે કે સુભાષ બ્રિજ ખાતે આવેલી RTO કચેરી અને પૂર્વમાં વસ્ત્રાલ RTO કચેરીની આસપાસના વિસ્તારમાં એજન્ટ પ્રથા નાબૂદ કરવા વર્ષોથી RTO અને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે તેમછતાં હજુ પણ કેટલાક લોકો અરજદારોને ઉલટી સીધી વાતો કરીને અને ભોળવીને તેમનું કાર્ય ઝડપથી કરવાની લાલચ આપીને પૈસા પડાવે છે. આ પ્રથા બંધ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.


http://dlvr.it/TD6m70

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q