Skip to main content

ડો. રૂપારેલિયાના પુત્રનું ટૂંકી બીમારી બાદ નિધન:જોધપુર એઈમ્સમાં ન્યૂરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો. જિગિશનું યુવા વયે નિધન, જામનગર તબીબી વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ

જામનગર શહેરના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર એ.ડી રૂપારેલીયાના યુવાન અને પ્રતિભાશાળી પુત્ર ડોક્ટર જીગ્નેશનું ટૂંકી બીમારી બાદ નિધન થતા જામનગરના તબીબી વર્તુળમાં શોકની લાગણી પ્રસરી છે. જામનગર શહેરના જાણીતા ન્યુરો સર્જન અને હાલારમાં ન્યુરો સર્જન તરીકે આગવું નામ ધરાવતા ડોકટર અરવિંદ રૂપારેલીયાના પ્રતિભાવાન પુત્ર ડો. જીગીશનું ટૂંકી બીમારી બાદ ગઈકાલે નિધન થતા હાલારના ડોકટરી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જોધપુરની એઈમ્સ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવી સંખ્યાબધ્ધ સફળ સર્જરીઓ કરી લોકોને જીવનદાન આપનાર જીગીશનું માત્ર 34 વર્ષની યુવા વયે નિધન થતા જામનગરમાં શોક અને આઘાતની લાગણી ફેલાઈ છે. બિમાર થયા બાદ પણ ડૉ. જીગીશે જોધપુરની વિખ્યાત એઇમ્સ હોસ્પિટલમાં મગજ અને કરોડરજજુના 125 જેટલા ઓપરેશન કરી લોકોને જીવનદાન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષના ટૂંકાગાળામાં જામનગરના યુવા કાર્ડિયોલોજીસ્ટ ડો. ગૌરવ ગાંધી અને ત્યારબાદ યુવાન ન્યુરોસર્જન ડો. જીગીશની અકાળે વિદાયથી જામનગરના મેડીકલ ક્ષેત્રે અકાળે મોટી ખોટ પડી છે તેવું કહી શકાય.


http://dlvr.it/TDKgD3

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp