Skip to main content

માથાભારે ત્રિપુટી વિરુદ્ધ ગુનો દાખલ:સુરત જિલ્લાના શ્રીરામ સેનાના પૂર્વ મહામંત્રી અને તેના ભાઈઓની બારડોલીમાં મહિલા સાથે દબંગાઈ; ત્રણેય ફરાર

બારડોલીના શાસ્ત્રી રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક ત્રણ ભાઈઓએ ટોળે મળી બાઇક સવાર મહિલા સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. બારડોલીની શ્રી રામ સેના સંગઠનના પૂર્વ જિલ્લા મહામંત્રી કૃણાલ પારેખ, તેનો ભાઈ પિંકેશ પારેખ અને ક્રિષ્ના પારેખે દબંગાઈ કરી હતી. બારડોલીમાં રહેતી મહિલા પોતાની દીકરીને ટ્યુશન કલાસમાંથી મોપેડ ઉપર લેવા માટે ગઈ હતી. મહિલા સ્વામીનારાયણ હેડગેવાર ચોક નજીકથી દીકરી સાથે મોપેડ ઉપર પસાર થઈ રહી હતી. દરમિયાન અન્ય એક મોપેડ ઉપર આવેલ પિંકેશ પારેખ નામના યુવાને મહિલાને અપશબ્દો આપવાનું શરૂ કર્યું હતું. ગભરાયેલી મહિલાએ મોપેડ રોડની સાઈડ ઉપર ઉભી કરી પિંકેશને અપશબ્દો આપવાનું ના કહ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર તેનો નાનો ભાઈ અને શ્રી રામ સેનાના નામે નગરમાં દમદાટી મારતો કૃણાલ પારેખે પણ મહિલાની ગરીમાં જાળવવાને બદલે જાહેર માર્ગ પર અણછાજતું વર્તન કર્યું હતું. અને કુણાલનો ભાઈ ક્રિષ્ના પારેખ એમ ત્રણે ભાઈઓની ત્રિપુટીએ મહિલાને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. લોકટોળા વચ્ચે ગભરાયેલી મહિલાએ નજીકમાં હાજર પોતાના પતિના પરિચિત યુવાનને બોલાવતા લૂખા તત્વોની ત્રિપુટીઓએ યુવાનને ધક્કો મારી ફેંકી દીધો હતો. મહિલા સાથે અભદ્ર વ્યવહાર અને જાહેરમાં અપશબ્દો આપતાં યુવાનોને જોઈ લોકટોળા સ્વામીનારાયણ ચાર રસ્તા નજીક એકત્ર થઈ ગયા હતા. પીડિત મહિલાએ પોતાના પતિને ટેલિફોનિક જાણ કરતા તેઓના પતિ પણ સ્થળ પર પહોંચ્યા હતો. પિંકેશ તેમજ શ્રીરામ સેનાના નામે દમદાટી મારતો સત્તામાં ધૂત કૃણાલ અને તેના ભાઈ ક્રિષ્નાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાને મારવા તત્પર ત્રણે ભાઈઓની ત્રિપુટીઓએ મહિલાના પતિનો પણ કોલર પકડી ધક્કો મારી રવાના થા અહીંયાંથી. તેવું જણાવતા મહિલા આખર બારડોલી પોલીસ મથકે પહોંચી હતી અને ટાઉન પોલીસને મહિલાએ પોતાની આપવીતી અને થયેલ અભદ્ર વર્તન બાબતે જણાવતા આખર બારડોલી પોલીસે ત્રણે માથાભારે ત્રિપુટીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. કૃણાલ પારેખની શ્રીરામ સેનાના મહામંત્રી પદેથી હકાલપટ્ટી કરાઈ છે : પીનાંક મોદી શ્રીરામ સેનાના પ્રદેશ પ્રમુખ સાથે ટેલિફોનિક કૃણાલ પારેખ બાબતે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું. કે એક મહિલા સાથે આ પ્રકારનો અભદ્ર વ્યવહાર ક્યારે પણ સાખી ન લેવાય. જો આ પ્રકારનું વર્તન તેણે કર્યું હોય તો ચોક્કસ પણે તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કૃણાલ પારેખની શ્રી રામ સેનામાં મહામંત્રી પદે નિમણૂક કરવામાં આવી હતી. જોકે તેના દ્વારા સંકલન વિના કાર્યક્રમો કરાતા તેને મહામંત્રી પદેથી દુર કરવામાં આવ્યો છે. જોકે હજુ પણ કૃણાલ પારેખ શ્રી રામ સેનાના સુરત જિલ્લાનો પ્રમુખ હોવાનું લોકોમાં જણાવી રોફ મારતો હોવાનું જાણવા મળ્યું હોવાનું પીનાંક મોદીએ જણાવ્યું હતું.


http://dlvr.it/TDRlSj

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q