Skip to main content

હિંમતનગરમાં વિશ્વ વાળંદ દિવસની ઉજવણી:નાયી સમાજે માતાજીના ચરણોમાં થાળ અર્પણ કર્યો; ભજન અને સમૂહ આરતી કરી પ્રસાદ ગ્રહણ કર્યો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નાયી સમાજે વિશ્વ વાળંદ દિવસની ઉજવણીએ માતાજીને પ્રાર્થના કરીને થાળ અર્પણ કર્યો અને ભજન કીર્તન અને સમૂહ આરતી કરીને તમામે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કાલે વિશ્વ વાળંદ દિવસ હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં નાયી સમાજની 2000 દુકાનો આવેલી છે. જેમાં 400 જેટલી મહિલાઓના બ્યુટી પાર્લર આવેલા છે. જ્યારે હિંમતનગરમાં કૂલ 250 દુકાનો આવેલી છે જેમાં 150 સલુનની દુકાનો છે અને મહિલાઓના 100 જેટલા બ્યુટી પાર્લર છે. ત્યારે હિંમતનગર નાયી એસોસીએસન દ્વારા વિશ્વ વાળંદ દિવસની ઉજવણીએ સોમવારે હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલા કુળદેવી લીમ્બચ માતાજીના મંદિરે ઉજવણીને લઈને મહિલાઓ દ્વારા ભજન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ મટકીફોડ કરવામાં આવી હતી. માતાજીની સમૂહ આરતી મહિલાઓ અને પુરુષો દ્વારા કરવામાં આવી હતી. હિંમતનગરના એસોસીએસનના પરિવારો સહિત સમાજ ઉપસ્થિત રહ્યો હતો. ત્યાર બાદ પૂજન અર્ચન સાથે માતાજીને સુખડીનો થાળ અર્પણ કર્યો હતો અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ અંગે સાબરકાંઠા નાયી એસોસીએશનના પ્રમુખ વસંત નાયીએ જણાવ્યું હતું કે, વિશ્વ વાળંદ દિવસ છે ત્યારે ઉજવણી સમયે એકઠા થઈને કુળદેવી માતાજીની સમૂહ આરતી કરવામાં આવી હતી. અમારા સમાજમાં મહિલાઓ પણ વ્યવસાયમાં ભાગીદાર છે. હિંમતનગરમાં 250 દુકાનોમાં 100 તો મહિલાઓ બ્યુટી પાર્લર ચલાવે છે. આમ મહિલાઓ ઘરકામ સાથે વ્યવસાય પણ કરે છે તો સાથે પરિવારમાં સહભાગી પણ થાય છે. આજે સમૂહ આરતી કરીને કુળદેવી માતાજીને સમાજની આજના દિવસે ઉત્તરોત્તર સમાજની પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરી હતી.


http://dlvr.it/TDKNvp

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp