Skip to main content

ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ:ઈડરના જાદરમાં ત્રિદિવસીય મુધણેશ્વર મહાદેવના લોકમેળાનો આજથી પ્રારંભ, મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર ગામે આજથી ત્રિદિવસીય મુધણેશ્વર મહાદેવના લોકમેળાનો પ્રારંભ થયો છે. જેને લઈને દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા એન શ્રીફળ વધેરીને માનતા પૂર્ણ કરી હતી. ઈડરના જાદરમાં આવેલ મુધણેશ્વર મહાદેવ મંદિરે દર ભાદરવા મહિનાના બીજા સોમવાર, મંગળવાર અને બુધવાર એમ ત્રણ દિવસ મેલો યોજાય છે. તો 16 સપ્ટેમ્બરને સોમવારથી મુધણેશ્વર મહાદેવના મેળાનો પ્રારંભ થયો છે. જે બુધવારે પૂર્ણ થશે જેને લઈને ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. તો ડેભોલ નદી કિનારે મનોરજન માટે ચગડોળ સહિતના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તો આજે સવારથી મુધણેશ્વર મહાદેવ દાદાના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. તો દાદા દર્શન કર્યા બાદ રાખેલી માનતાઓ ભક્તો દ્વારા પૂર્ણ કરવા માટે ભક્તોએ શ્રીફળ વધેરીને અર્પણ કર્યા હતા. દિવસ અને રાત આ મેળો ચાલશે. જેમાં સ્થાનિક ઉપરાંત તાલુકા,જીલ્લા અને આજુબાજુના જિલ્લાવાસીઓ મુધણેશ્વર મહાદેવ દાદાના મંદિરે આવીને દર્શનનો લાભ લેશે.


http://dlvr.it/TDHQ13

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q