Skip to main content

ત્રિદિવસીય લોકમેળાનો પ્રારંભ:ઈડરના જાદરમાં ત્રિદિવસીય મુધણેશ્વર મહાદેવના લોકમેળાનો આજથી પ્રારંભ, મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જાદર ગામે આજથી ત્રિદિવસીય મુધણેશ્વર મહાદેવના લોકમેળાનો પ્રારંભ થયો છે. જેને લઈને દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા એન શ્રીફળ વધેરીને માનતા પૂર્ણ કરી હતી. ઈડરના જાદરમાં આવેલ મુધણેશ્વર મહાદેવ મંદિરે દર ભાદરવા મહિનાના બીજા સોમવાર, મંગળવાર અને બુધવાર એમ ત્રણ દિવસ મેલો યોજાય છે. તો 16 સપ્ટેમ્બરને સોમવારથી મુધણેશ્વર મહાદેવના મેળાનો પ્રારંભ થયો છે. જે બુધવારે પૂર્ણ થશે જેને લઈને ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. તો ડેભોલ નદી કિનારે મનોરજન માટે ચગડોળ સહિતના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તો આજે સવારથી મુધણેશ્વર મહાદેવ દાદાના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. તો દાદા દર્શન કર્યા બાદ રાખેલી માનતાઓ ભક્તો દ્વારા પૂર્ણ કરવા માટે ભક્તોએ શ્રીફળ વધેરીને અર્પણ કર્યા હતા. દિવસ અને રાત આ મેળો ચાલશે. જેમાં સ્થાનિક ઉપરાંત તાલુકા,જીલ્લા અને આજુબાજુના જિલ્લાવાસીઓ મુધણેશ્વર મહાદેવ દાદાના મંદિરે આવીને દર્શનનો લાભ લેશે.


http://dlvr.it/TDHQ13

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp