Skip to main content

કોંગ્રેસની મહિલા ટીમ મેદાને ઉતરી:રાહુલ ગાંધી સામે અલગ અલગ નેતાઓએ કરેલી વિવાદિત ટીપ્પણી મામલે કલેક્ટરને આવેદન પાઠવ્યું, ટીપ્પણી કરનારા વિરૂદ્ધ કાર્યવાહીની માંગ

આજે નવસારી જિલ્લા કોંગ્રેસની મહિલા ટીમ દ્વારા કલેક્ટર કચેરી પહોંચી કોંગ્રેસના રાહુલ ગાંધી સામે થયેલી વિવાદિત ટિપ્પણીને લઈને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. છેલ્લા લાંબા સમયથી રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે જેને લઈને કોંગ્રેસની મહિલા ટીમ મેદાને ઉતરી છે. ભાજપના નેતા તરવિન્દર સિંહ મારવાહે એક જાહેર કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ધમકી આપી હતી કે, જો તેઓ ‘સાવધાન નહીં રહે', તો તેમની દાદી (ઈન્દિરા ગાંધી) જેવી જ હાલત થશે. ઉપરાંત, શિવસેના શિંદેના MLA સંજય ગાયકવાડે રાહુલની જીભ કાપનારને 11 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત, મંત્રી રવિનિત સિંહ બિટ્ટુએ રાહુલને દેશના “નંબર 1 આતંકવાદી” તરીકે ગણાવ્યાં હતા, અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ આ પ્રકારના નિવેદનો કર્યા હતા. આ તમામ નિવેદનોની સામે કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવુ છે કે, આ પ્રકારની ટિપ્પણીઓ જનતામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે અને એ ચૂંટણી દરમિયાન શાંતિભંગ કરવા માટે કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે નવસારીમાં પણ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. મહિલા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન આપી આ અંગે કાર્યવાહી કરવા માગ કરી છે. તાજેતરમાં NDA (એનડીએ) નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેટલાક વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે, જેને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા આવેદન આપીને આ ટિપ્પણીને વખોડી નાખી છે. નવસારી જિલ્લામાં પણ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અર્ચના સોલંકી જણાવે છે કે, હાલમાં રાહુલ ગાંધી વિશે અભદ્ર ટિપ્પણીઓનો મારો ચાલી રહ્યો છે, જેથી NDA ના નેતાઓ દ્વારા જે ઉચ્ચારણ રાહુલ ગાંધી વિશે થઈ રહ્યું છે તે સહન કરવા જેવું નથી. જેથી અમે સૌ મહિલા સભ્યોએ આજે ભેગા થઈ જિલ્લા કલેકટર સામે માંગ કરી છે કે, જે કોઈ પણ રાહુલ ગાંધી સામે આવી વિવાદિત ટિપ્પણી કરે છે તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે.


http://dlvr.it/TDR2Mp

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp