શોભાયાત્રાનું ભવ્ય આયોજન:હિંમતનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પૂર્ણ થતા ભગવાનની શોભાયાત્રા યોજાઈ; મોટી સંખ્યામાં લોકો જોડાયા
સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ પૂર્ણ થતા શાંતિનાથ દેરાસરથી શોભાયાત્રા યોજાઈ હતી. સાથે આર્યિકા માતાજી, સમાજના ભાઈઓ-બહેનો મહારાજ અને તપસ્વીઓ પણ જોડાયા હતા. દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વ 8 સપ્ટેમ્બર શરૂ થયા હતા અને મંગળવારેને 17 સપ્ટેમ્બરે પૂર્ણ થયા બાદ મિચ્છામી દુક્કડમ સાથે બુધવારે સવારે મહાવીરનગર ચાર રસ્તે આવેલી શાંતિનાથ દિગંબર જૈન દેરાસરથી ભગવાનની શોભાયાત્રા શરૂ થઇ હતી. જેમાં આર્યિકા માતાજી સમાજના ભાઈઓ-બહેનો અને તપસ્વીઓ જોડાયા હતા. જે શોભાયાત્રા ટાવર થઈને દેસાઈવાડા વિસ્તારમાં આવેલ ચંદ્રપ્રભુ ભગવાનના દેરાસરે પહોંચી હતી. જ્યાંથી પરત શોભાયાત્રા ટાવર થઈને નમસ્તે સર્કલ થઈને મહાવીરનગરમાં શાંતિનાથ દિગંબર જૈન મંદિરે પહોંચી પૂર્ણ થઇ હતી.
http://dlvr.it/TDNH4K
http://dlvr.it/TDNH4K
Comments
Post a Comment