Skip to main content

નવસારીની મુલાકાતે હર્ષ સંઘવી:રાજ્યમાં શાંતિ ડહોળવાના થયેલા પ્રયાસ મામલે કહ્યું- 'ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે'

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે. જેમાં સૌ પ્રથમ વલસાડના અલગ અલગ ગણેશ મંડળોની મુલાકાત લીધા બાદ બપોર બાદ હર્ષ સંઘવી નવસારીના ચીખલી તાલુકામાં આવેલા મજી ગામના રાજાના દર્શને આવી પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ધારાસભ્ય, સાંસદ સહિતના કાર્યકરોને મળીને તેમણે ગણેશજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. નવસારીના હાઇવે નંબર 48 પાસે આવેલા મજીગામના રાજા શ્રી ગણપતિના દર્શન કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગણેશ સ્થાપન એક માત્ર તહેવાર નથી પરંતુ અનેક વેપારીઓ માટે વેપાર અપાવતો અવસર છે. રાજ્યના યુવાનો કોઈપણ ગેરમાર્ગે ન દોરાઈને દેશ અને રાષ્ટ્રના કામમાં આવે, સાથે જ રાજ્યમાં ડ્રગ્સ સહિતની લડાઈમાં સૌ નાગરિકોએ સહભાગી થવા અપીલ કરી હતી. યુવાનોને ડ્રગ્સના માર્ગેથી દૂર કરી તેમના પરિવારે પણ સહયોગ આપવો જોઈએ, જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. સુરતની ઘટના બાદ ગુજરાતની પ્રજા શાંતિ પ્રિય છે, માટે ગૃહ રાજ્યમંત્રીએ વિઘ્ન પહોંચાડનારાઓને સાનમાં સમજી જવાનો સંદેશ આપ્યો હતો, કાયદો કાયદાનું કામ કરે છે સાથે જ જે રાજ્યમાં કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે તેવું સૂચક નિવેદન આપીને તોફાની તત્વોને સંદેશો આપ્યો હતો. ચીખલીના મજીગામ ખાતે આવેલા ગણેશ મંડળની મુલાકાત લીધા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલના નિવાસ્થાન ખાતે જઈને અલ્પાહાર લીધો હતો.ગૃહ મંત્રી સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ જોડાયા હતા.


http://dlvr.it/TDBJDh

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp