Skip to main content

પોલીસ દ્વારા શાંતિ સમિતીની બેઠક યોજાઈ:ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાના આયોજનને લઈને રેન્જ આઈજી, એસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતીની બેઠક મળી

આગામી 12મી સપ્ટેમ્બરના રોજ ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરાના રેન્જ આઈજી આર.વી.અસારી અને પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં 12મી સપ્ટેમ્બરના રોજ ગોધરા નગરમાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ થાય તે માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા રેન્જ આઈજી આર.વી અસારીને ખાતરી આપવામાં આવી હતી. આગામી 12મી સપ્ટેમ્બરે ગોધરામાં યોજાનાર વિસર્જન યાત્રા શાંતિપૂર્વક ઉજવી શકાય તે આશયથી ત્રણ જિલ્લાઓના રેન્જ આઇજી રાજેન્દ્ર વી અસારી અને પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ ડીવાયએસપી એન. વી. પટેલ દ્વારા ગોધરાના પોલન બજાર વિસ્તારની મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે પોલન બજાર ઉર્દૂ કુમાર શાળાના પટાંગણમાં અત્રેના રહીશો તેમજ સમાજના આગેવાનો સાથે વાર્તાલાપ કર્યો. આ નિમિત્તે બી ડિવિઝનના પી.આઈ. એ. બી. ચૌધરી અને શાળાના શિક્ષક જાફર સમોલ તથા સમાજસેવક હાજી ફારૂક કેસરી, ઇસ્હાકભાઈ મોમની, ઇદરીસ દરગાહી વગેરે હાજર રહી ઉપસ્થિત લોકોનું ઉમદા સ્વાગત કર્યું. કાર્યક્રમના એનાઉન્સર તરીકે શાળાના આચાર્ય ઇકબાલ બોકડા મધુર વાણી અને શાયરી વડે હાજર લોકોનું મન મોહી લીધું. હાફિઝ ઇદરીસ ઘેંશ, મૌલવી શૌકત મલા મૌલવી ઇદરીસ અદા જેવા ધાર્મિક વિદ્વાનો, શહેર શૂરા કમિટીના સભ્યો અને વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને શહેરની શાંતિ પ્રત્યે પોતાનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો. શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણેશ વિસર્જન યાત્રા સંપૂર્ણ થાય તે માટે ખાતરી પણ આપવામાં આવી હતી.


http://dlvr.it/TD5Lhz

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp