Skip to main content

યુવા પરિચય ગ્રંથ તૈયાર:સામાજિક લગ્ન વ્યવસ્થા તૂટતી બચાવવા 72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા યુવા પરિચય ગ્રંથ તૈયાર કરાયો

ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ અને બોતેર ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ અમદાવાદ દ્વારા સમાજના સભ્યોને પોતાના દીકરા અને દીકરીઓ માટે જીવનસાથી સરળતાથી મળી રહે એ માટે યુવા પરિચય ગ્રંથ તૈયાર કરાયો છે. જેમાં વિદેશમાં રહેતા 455 દીકરા-દીકરીઓ સહિત 1272 બાયોડેટાનો સમાવેશ કરાયો છે. અા પરિચય ગ્રંથનું વિમોચન બળદેવભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં યુવા બોતેર સમાજના પ્રમુખ કિરીટભાઈ ડી.પટેલ દેવગઢના હસ્તે કરાયું હતું.આ સાથે હાજર યુવકો અને યુવતીઓએ તેમનો પરિચય આપ્યો હતો. મંડળના પ્રમુખ રાજુભાઇ એલ. પટેલ (સીતાપુર)એ જણાવ્યું કે, સમાજના 89 ગામોના 14,400 સભ્યો નોંધાયેલા છે. જે મહેસાણા, કડી, કલોલ, બહુચરાજી સહિત સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ, વડોદરા, સુરત, અંકલેશ્વર, કચ્છ વગેરે જગ્યાએ ધંધા-રોજગાર અર્થે સ્થાયી છે. ઘણીવાર એવું બને છે કે પૂરતી જાણકારીના અભાવે ઉચ્ચ શિક્ષિત યુવક કે યુવતીને સમાજમાંથી યોગ્ય પાત્ર ન મળતાં અન્યત્ર લગ્ન કરે છે. આવું ન બને તે માટે અમે 1272 યુવક અને યુવતીઓનો બાયોડેટા સાથે યુવા પરિચય ગ્રંથ તૈયાર કર્યો છે. જેમાં સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીની તમામ માહિતી છે. અમારો મુખ્ય ઉદ્દેશ સામાજિક લગ્ન વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે. આ પ્રસંગે દાતાઓ, આમંત્રિત મહેમાનો અને સભ્યો વગેરેની હાજરીમાં દાતાઓનું સન્માન અને ચિત્ર સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું. ગ્રંથ વિમોચન સમારોહનું આયોજન મંડળના મંત્રી અરવિંદભાઈ પટેલ, કન્વિનર જગદીશભાઈ પટેલ, સંપાદક કલ્પેશભાઇ અને વ્યવસ્થાપક મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.


http://dlvr.it/TD8lS8

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp