Skip to main content

ભાદરવાનો તાપ:ગાંધીધામ 36.5 ડિગ્રીએ સર્વાધિક ગરમ

કચ્છમાંથી ચોમાસુ વિદાયભણી છે તેવામાં ભાદરવો મહિનો અસલી મિજાજ દર્શાવતો હોય તેમ ફરી ગરમીની આણ વર્તાઇ રહી છે. શુક્રવારે કંડલા એરપોર્ટ મથકે મહત્તમ તાપમાન 36.5 ડિગ્રીએ પહોંચતાં રાજ્યમાં સર્વાધિક ગરમ મથક બન્યું હતું તો બીજા ક્રમે ભુજમાં પારો 36.4 ડિગ્રી રહ્યો હતો. ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં કચ્છમાં છૂટો છવાયો વરસાદ વરસ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અનુભવાઇ રહી છે. કંડલા એરપોર્ટ મથકે ઊંચું ઉષ્ણતામાન 36.5 ડિગ્રીએ પહોંચતાં ગાંધીધામ, આદિપુર, અંજાર, ગળપાદર સહિતનો વિસ્તાર રાજ્યમાં સૌથી ગરમ બન્યો હતો. અહીં તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી જેટલું વધુ નોંધાયું હતું. લઘુતમ 25.5 ડિગ્રી રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં વાદળો ગાયબ થવાની સાથે ગરમી વધી હતી અને મહત્તમ તાપમાનનો પારો 36.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. સવારે ભેજનું પ્રમાણ 85 ટકા તો સાંજે 55 ટકા જેટલું રહેતાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ઉષ્ણતામાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીના વધારા સાથે જિલ્લા મથક રાજ્યમાં બીજા ક્રમે ગરમ બન્યું હતું. જો કે, 25.6 ડિગ્રી જેટલા નીચા ઉષ્ણતામાન સાથે મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી. કંડલામાં મહત્તમ તાપમાન 33.5 જ્યારે નલિયા ખાતે 31.9 ડિગ્રી નોંધાયું હતું. નોંધનીય છે કે, કચ્છમાંથી સામાન્ય રીતે 20થી 25 સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ વિધિવત રીતે વિદાય લે છે પણ આ વર્ષે મોડું વિદાય લેશે તેમ જણાઇ રહ્યું છે. { ભુજમાં 36.4 ડિગ્રી, રાજ્યમાં બીજા ક્રમે ઉષ્ણ શહેર નલિયા ખાતે 31.9 ડિગ્રી નોંધાયું હતું. નોંધનીય છે કે, કચ્છમાંથી સામાન્ય રીતે 20થી 25 સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ વિધિવત રીતે વિદાય લે છે પણ આ વર્ષે મોડું વિદાય લેશે તેમ જણાઇ રહ્યું છે. નોંધાયું હતું. લઘુતમ 25.5 ડિગ્રી રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં વાદળો ગાયબ થવાની સાથે ગરમી વધી હતી અને મહત્તમ તાપમાનનો પારો 36.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. સવારે ભેજનું પ્રમાણ 85 ટકા તો સાંજે 55 ટકા જેટલું રહેતાં લોકો પરસેવે રેબઝેબ થયા હતા. ઉષ્ણતામાનમાં સામાન્ય કરતાં 1.5 ડિગ્રીના વધારા સાથે જિલ્લા મથક રાજ્યમાં બીજા ક્રમે ગરમ બન્યું હતું. જો કે, 25.6 ડિગ્રી જેટલા નીચા ઉષ્ણતામાન સાથે મોડી રાત્રે ઠંડક પ્રસરી હતી. કંડલામાં મહત્તમ તાપમાન 33.5 જ્યારે


http://dlvr.it/TDVSDM

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp