Skip to main content

દ્વારકા ખંભાળિયા ન્યૂઝ અપડેટ:દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી, ભાણવડમાં અતિભારે વરસાદની પરિસ્થિતિમાં સેવા સંસ્થા દ્વારા પશુઓની ખાસ દેખભાળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 27 એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ વિગેરેના સામુહિક બદલીઓના ઓર્ડર જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં એ.એસ.આઈ. તરીકે અહીંની સીપીઆઈ કચેરી ખંભાળિયાના કેશુરભાઈ ભાટિયાને ભાણવડ, એસ.ઓ.જી.ના હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજાને સલાયા મરીન, ખંભાળિયા પોલીસ મથકના ચંદ્રસિંહ ગુમાનસિંહ જાડેજાને કલ્યાણપુર ખાતે બદલવામાં આવ્યા છે. આ સાથે વાડીનાર, સલાયા, દ્વારકા, કલ્યાણપુર, વિગેરે જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એલ.આર. વિગેરેની પણ બદલી કરાઈ છે. પશુઓ માટે ખોળ કપાસિયા, શ્વાન માટે બિસ્કીટ અપાયા
ભાણવડ પંથકના તાજેતરમાં વરસી ગયેલા અતિભારે વરસાદની પરિસ્થિતિમાં પશુ-પક્ષીઓ પણ વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા. આવી હાલતમાં પશુઓની મદદ માટે અહીંના કેબિનેટ મંત્રી પુત્ર હર્ષદભાઈ બેરાએ ખોળ, કપાસીયા અને બિસ્કીટની વ્યવસ્થા કરાવી આપી હતી. ભાણવડ તાલુકામાં તાજેતરમાં એક સપ્તાહ સુધી અતિભારે વરસાદ જેવી પરિસ્થિતિ હતી. આ દરમિયાન સાતમ-આઠમના તહેવારો પણ હોય, આ સમયે હોટેલ-રેસ્ટોરન્ટ વિગેરે બંધ હોવા સાથે લોકો પણ ઘરમાં જ રહ્યા હતા. આથી બિનવારસી ગૌવંશ અને શ્વાનને પણ વરસતા વરસાદમાં વ્યથિત અવસ્થામાં મારે મુશ્કેલીનો કરવો પડ્યો હતો. ભાણવડ તાલુકામાં અબોલ જીવોની સેવા-સારવાર માટે અવિરત રીતે કાર્યરત એવી સંસ્થા એનીમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટને અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદભાઈ બેરાએ અબોલ જીવ ભૂખ્યા ન રહે તે માટે આગળ આવી અને ગૌવંશ માટે ખોળ-કપાસિયા તેમજ શ્વાન માટે બિસ્કીટની વ્યવસ્થા કરી આપી હતી. જે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો તેમજ શિવ બળદ આશ્રમના કાર્યકરો દ્વારા વરસતા વરસાદે પણ ગાય- બળદ તેમ શ્વાનને વિતરણ કરી, સેવાની જ્યોત ચલાવી હતી. 108 એમ્બ્યુલન્સ સેવાએ પ્રસુતાની સુવાવડ માર્ગ વચ્ચે કરાવી નવજીવન આપ્યું
તારીખ 12.09.2024 રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામના શાંતિબેન ટપુભાઈ ગામી નામના એક પ્રસુતાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે નાગેશ્વરથી તાત્કાલિક 108 ટીમ ઇએમટી સતીશ બામણીયા અને પાયલોટ રાજેશભાઈ લોકેશન પર પહોંચ્યા હતા. પરંતુ, મીઠાપુરથી 8 કીલોમીટર દૂર શાંતિબેનને પ્રસુતિનો દુખાવો વધતા મોજપ ગામ પાસે 108 એમ્બ્યુલન્સ અંદર ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. ઇએમટી સતીશ બામણીયા અને પાયલોટ રાજેશભાઈ અને હેડ ઓફિસ પર રહેલા ફિઝીસિયન ડો. રાકેશના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી ડિલિવરી કરવામાં આવી હતી. પ્રસુતિ બાદ બાળક તેમજ માતાને વધુ સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા માતા તથા બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળેલ છે.


http://dlvr.it/TD80Hc

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q