Skip to main content

દ્વારકા ખંભાળિયા ન્યૂઝ અપડેટ:દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી, ભાણવડમાં અતિભારે વરસાદની પરિસ્થિતિમાં સેવા સંસ્થા દ્વારા પશુઓની ખાસ દેખભાળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ 27 પોલીસકર્મીઓની આંતરિક બદલી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 27 એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ વિગેરેના સામુહિક બદલીઓના ઓર્ડર જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં એ.એસ.આઈ. તરીકે અહીંની સીપીઆઈ કચેરી ખંભાળિયાના કેશુરભાઈ ભાટિયાને ભાણવડ, એસ.ઓ.જી.ના હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજાને સલાયા મરીન, ખંભાળિયા પોલીસ મથકના ચંદ્રસિંહ ગુમાનસિંહ જાડેજાને કલ્યાણપુર ખાતે બદલવામાં આવ્યા છે. આ સાથે વાડીનાર, સલાયા, દ્વારકા, કલ્યાણપુર, વિગેરે જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એલ.આર. વિગેરેની પણ બદલી કરાઈ છે. પશુઓ માટે ખોળ કપાસિયા, શ્વાન માટે બિસ્કીટ અપાયા
ભાણવડ પંથકના તાજેતરમાં વરસી ગયેલા અતિભારે વરસાદની પરિસ્થિતિમાં પશુ-પક્ષીઓ પણ વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા. આવી હાલતમાં પશુઓની મદદ માટે અહીંના કેબિનેટ મંત્રી પુત્ર હર્ષદભાઈ બેરાએ ખોળ, કપાસીયા અને બિસ્કીટની વ્યવસ્થા કરાવી આપી હતી. ભાણવડ તાલુકામાં તાજેતરમાં એક સપ્તાહ સુધી અતિભારે વરસાદ જેવી પરિસ્થિતિ હતી. આ દરમિયાન સાતમ-આઠમના તહેવારો પણ હોય, આ સમયે હોટેલ-રેસ્ટોરન્ટ વિગેરે બંધ હોવા સાથે લોકો પણ ઘરમાં જ રહ્યા હતા. આથી બિનવારસી ગૌવંશ અને શ્વાનને પણ વરસતા વરસાદમાં વ્યથિત અવસ્થામાં મારે મુશ્કેલીનો કરવો પડ્યો હતો. ભાણવડ તાલુકામાં અબોલ જીવોની સેવા-સારવાર માટે અવિરત રીતે કાર્યરત એવી સંસ્થા એનીમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટને અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્ર હર્ષદભાઈ બેરાએ અબોલ જીવ ભૂખ્યા ન રહે તે માટે આગળ આવી અને ગૌવંશ માટે ખોળ-કપાસિયા તેમજ શ્વાન માટે બિસ્કીટની વ્યવસ્થા કરી આપી હતી. જે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યો તેમજ શિવ બળદ આશ્રમના કાર્યકરો દ્વારા વરસતા વરસાદે પણ ગાય- બળદ તેમ શ્વાનને વિતરણ કરી, સેવાની જ્યોત ચલાવી હતી. 108 એમ્બ્યુલન્સ સેવાએ પ્રસુતાની સુવાવડ માર્ગ વચ્ચે કરાવી નવજીવન આપ્યું
તારીખ 12.09.2024 રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામના શાંતિબેન ટપુભાઈ ગામી નામના એક પ્રસુતાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે નાગેશ્વરથી તાત્કાલિક 108 ટીમ ઇએમટી સતીશ બામણીયા અને પાયલોટ રાજેશભાઈ લોકેશન પર પહોંચ્યા હતા. પરંતુ, મીઠાપુરથી 8 કીલોમીટર દૂર શાંતિબેનને પ્રસુતિનો દુખાવો વધતા મોજપ ગામ પાસે 108 એમ્બ્યુલન્સ અંદર ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. ઇએમટી સતીશ બામણીયા અને પાયલોટ રાજેશભાઈ અને હેડ ઓફિસ પર રહેલા ફિઝીસિયન ડો. રાકેશના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી ડિલિવરી કરવામાં આવી હતી. પ્રસુતિ બાદ બાળક તેમજ માતાને વધુ સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા માતા તથા બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળેલ છે.


http://dlvr.it/TD80Hc

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp