Skip to main content

વૃષો વાવો-પર્યાવરણ બચાવો થીમ પર ગણેશ પંડાલ:લુણાવાડા શહેરમાં છેલ્લા 10 વર્ષથી બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના

લુણાવાડા શહેર મહીસાગર જિલ્લાના ઉપરાંત આસપાસના વિસ્તારોમાં બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા અનેક સેવાકિય પ્રવુતિઓ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો સુધી બને તેટલી મદદ આ ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે. ત્યારે બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી ગણેશજીની પણ સ્થાપના કરવામાં આવે છે. અહીંયા માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિની જ સ્થાપના કરવામાં આવે છે અને આ ઇકોફ્રેન્ડલી મૂર્તિ લુણાવાડાના જય પગી દ્વારા બનાવવામાં આવે છે. જય પગી કે નાનપણથી ઇકો ફ્રેન્ડલી જ મૂર્તિ બનાવે છે. બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા લુણાવાડા એસ.ટી વર્ક શોપ સામે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશોત્સવમાં અલગ અલગ થીમ આધારિત ગણેશજીની પધરામણી કરવામાં આવે છે. આ વર્ષે તેઓ દ્વારા વૃષો વાવો પર્યાવરણ બચાવો થીમ રાખવામાં આવી છે. જ્યાં સરસ પંડાલ બનાવવામાં આવ્યો છે. અને આજુ બાજુ વિવિધ છોડવા અને વચ્ચે ગણપતિ દાદાને બેસાડવામાં આવ્યા છે. જ્યાં અલગ અલગ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથેના ચિત્રો અને સૂત્રો પણ લખવામાં આવ્યા છે. 14 સપ્ટેમ્બરની રાત્રિએ પંચમહલ લોકસભાના સાંસદ પણ અહીંયા દર્શન કરવા માટે ભાપના હોદેદારો કાર્યકરો સાથે પહોંચ્યા હતા. જ્યાં બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા સાંસદને વૃક્ષ અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.


http://dlvr.it/TDFm4Z

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp