Skip to main content

વિકરાળ આગથી અફરાતફરી મચી:પાલ RTO પાસે ચાલતી કાર સળગી ઊઠતા લોકોમાં ભય ફેલાયો, બાજુમાં આવેલી કંપનીનો સ્ટાફ ફાયરના સાધનો લઈ દોડ્યો

સુરતમાં સમયાંતરે ચાલતી કારમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે. ફરી એક વખત અડાજણ વિસ્તારની અંદર ચાલતી કારમાં આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી. બોનેટમાંથી ધૂમાડો નીકળવાનું શરૂ થતાં જ ચાલકે કારને બાજુ પર ઉભી રાખીને સમયસૂચકતા દાખવી નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. બાજુમાં કંપનીનો સ્ટાફ ફાયરના સાધનો લઈ દોડ્યો
અડાજણ વિસ્તારમાં પાલ આરટીઓ પાસે ચોકડી ઉપર જ કારમાં આગ લાગવાની ઘટના રાત્રિના સમયે બની હતી. રાજહંસ સિનેમાની સામે જ કારમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના વાહનચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપે પ્રસરી ગઈ હતી. આગને જોતા જ તાત્કાલિક રાજહંસ ગ્રુપના કર્મચારીઓ તેના ફાયરના સાધનો લઈ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, આગ વધુ પ્રમાણમાં હોવાને કારણે તેઓ સંપૂર્ણપણે ઓલવી શક્યા ન હતા. પરંતુ મોટાભાગની આગ ઓલવવામાં સફળ રહ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. કારમાં બે લોકો સવાર હતા. આ દરમિયાન આગ લાગી હતી. બોનેટના ભાગે આગ શરૂ થતા બંને કારમાં બેઠેલા વ્યક્તિ ઉતરી ગયા હતા. આસપાસના લોકો દ્વારા પોતાના કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલા ફાયર સાધનોની મદદથી આગ ઉપર કાબૂ મેળવવાની ખૂબ સારી કામગીરી કરી હતી. જેના કારણે આગ ઉપર થોડો કાબૂ મેળવી લેવાયો હતો. ત્યારબાદ અમારી ટીમ દ્વારા સંપૂર્ણ રીતે આગ ઓલવી દેવાઈ હતી. બોનેટના ભાગે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાય આવ્યું હતું.


http://dlvr.it/TBf3Xt

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp