Skip to main content

કર્મચારીઓએ કહ્યું જેલમાં જવાનો ડર નથી:વડોદરામાં હડતાલ કર્મી અને છૂટા કરાયેલા કર્મીઓ દ્વારા HR મેનેજરને માર માર્યો બાદમાં મારી નાખવાની ધમકી આપી

વડોદરા જિલ્લના સાવલીમાં આવેલી એક ખાનગી કંપનીના હડતાલ પર ગયેલા અને છુટ્ટા કરાયેલા કર્મચારીઓએ ભેગા મળીને એચ.આર મેનેજરની સાથે ઘર્ષણ કરી મારી નાખવાની ધમકી આપતા આ મામલે જરોદ પોલીસે ફરિયાદ નોંધી વધું કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવ અંગે જરોદ પોલીસ મથકમાં યોગેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સાવલીના વડદલામાં આવેલી ખાનગી કંપનીમાં બે વર્ષથી એચ આર મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની દ્વારા પગાર વધારાની માંગણી તથા શિસ્ત ભંગના પગલાં રૂપે કર્મચારીઓની છુટા કરવામાં આવ્યા છે. કંપનીમાં 200 જેટલા કામદારો બે મહિનાથી યુનીયનની હડતાલ પર ઉતરેલા છે. કંપનીનું કામકાજ સદંતર બંધ હતું. 22, જુલાઇથી કંપનીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ જ દીવસે કંપનીની બસ વડોદરા શહેરનાં છાણી જકાતનાકાથી અલગ અલગ જગ્યાએથી કામે આવતા કંપનીના કર્મચારીઓ-વર્કરોને બેસાડીને કંપનીમાં આવવા નિકળ્યયા હતા. તે દરમિયાન હોટલ વે-વેઇટ સામે તેઓ કંપનીની બસમાં બેઠા હતા. બસ રેફરલ ચોકડી,જરોદ પાસેથી આગળ વધી રહી હતી. ત્યારે વિશ્વામિત્રી બ્રિજ પહેલા કંપનીના હડતાલ પર ઉતરેલા કામદારો તેમજ કંપનીમાંથી છુટ્ટા કરાયેલા કામદારો ભેગા થઇને ઉભા હતા. બાદમાં તેઓએ હાથ ઉંચો કરતાં ડ્રાઈવરે બસને ઉભી રાખી હતી. તે જ સમયે હડતાલ પર ઉતરેલા કામદાર સુનિલ એચ વસાવા (રહે. આમલીયારા , રહે.વડોદરા)એ બસમાં ચઢીને તેમની જોડે ખેંચતાણ અને ધક્કામુક્કી કરી હતી. તે સમયે તેમના ખીસ્સામાં મુકેલો મોબાઇલ અને પૈસા પડી ગયા હતા. દરમિયાન બીજા કામદાર મહેશ પ્રભાતભાઇ ગોહીલ (રહે. પસવા ગામ, સાવલી-વડોદરા), કેતન ચંદુભાઇ ગોહીલ (રહે. વેમાર ગામ, સાવલી) અને વિક્રમ કે. ગોહીલ (રહે. વેમાર ગામ. સાવલી) એ દોડી આવીને તેઓ પર લાતો અને મુક્કા વરસાવ્યા હતા. એચ આર મેનેજરને માર માર્યા બાદગાળો બોલતા કહ્યું કે, તને કંપની ચાલુ કરવાનો બહુ શોખ છે. આજે તારો શોખ પુરો કરી નાંખીએ. હવે પછી ક્યારે કંપની તરફ આવ્યો છે તો ઘરે પાછો જીવતો નહીં જવા દઇએ. અમને જેલમાં જવાનો કોઇ ડર નથી. તેવુ કહી મરી નાખવાની પણ ધમકી આપી હતી. દરમ્યાન કેટલાંક કંપનીનાં કર્મીઓ દ્વારા તેઓની વચ્ચે પાડીને મારતાં બચાવ્યા હતા. આ સમગ્ર મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. બાદમાં આ મામલે સુનિલ એચ વસાવા (રહે. આમલીયારા, વડોદરા), મહેશ પ્રભાતભાઇ ગોહીલ (રહે. પસવા ગામ, સાવલી-વડોદરા), કેતન ચંદુભાઇ ગોહીલ (રહે. વેમાર ગામ, સાવલી) અને વિક્રમ કે. ગોહીલ (રહે. વેમાર ગામ. સાવલી) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ જરોદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


http://dlvr.it/TBbbs5

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp