Skip to main content

બે બાઈક વચ્ચે અકસ્માત, CCTV:કેશોદ-જૂનાગઢ નેશનલ હાઈવે પર રોંગસાઈડમાં આવી રહેલા બાઈકના ચાલકે અન્ય બાઈકને ટક્કર મારી, દંપતી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત

જૂનાગઢ કેશોદ નેશનલ હાઈવે પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. કેશોદ થી બાટવા તરફ જતી અને રોંગ સાઈડમાં કેશોદ તરફ આવતી બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે બાઈક સવાર પતિ-પત્ની સહિત ચાર લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં બાઈક સવાર પતિ પત્ની સહિત ચાર ઇજાગ્રસ્તો ને કેશોદ સિવિલ હોસ્પિટલ સારવાર આપ્યા બાદ ત્રણ ઇજાગ્રસ્તોને જુનાગઢ વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા છે. બાઈક ચાલક બાંટવાના વિષ્ણુભાઈ ધીરુભાઈ ડગરા, વિક્રમભાઈ ધીરુભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે. તેમજ કેશોદના મેવાણાના કાંતિભાઈ ભગવાનજીભાઈ મારડિયા અને તેમના પત્ની નિર્મળાબેન કાંતિભાઈ મારડિયા ને સામેથી આવતી બાઈક ટકરાતા ગંભીર ઇજાઓ પહોંચી છે. કેશોદ જુનાગઢ નેશનલ હાઈવે પર અકસ્માત થતાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે..


http://dlvr.it/TBX70F

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n