Skip to main content

બે બાઈક વચ્ચે અકસ્માત, CCTV:કેશોદ-જૂનાગઢ નેશનલ હાઈવે પર રોંગસાઈડમાં આવી રહેલા બાઈકના ચાલકે અન્ય બાઈકને ટક્કર મારી, દંપતી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત

જૂનાગઢ કેશોદ નેશનલ હાઈવે પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. કેશોદ થી બાટવા તરફ જતી અને રોંગ સાઈડમાં કેશોદ તરફ આવતી બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે બાઈક સવાર પતિ-પત્ની સહિત ચાર લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં બાઈક સવાર પતિ પત્ની સહિત ચાર ઇજાગ્રસ્તો ને કેશોદ સિવિલ હોસ્પિટલ સારવાર આપ્યા બાદ ત્રણ ઇજાગ્રસ્તોને જુનાગઢ વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા છે. બાઈક ચાલક બાંટવાના વિષ્ણુભાઈ ધીરુભાઈ ડગરા, વિક્રમભાઈ ધીરુભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે. તેમજ કેશોદના મેવાણાના કાંતિભાઈ ભગવાનજીભાઈ મારડિયા અને તેમના પત્ની નિર્મળાબેન કાંતિભાઈ મારડિયા ને સામેથી આવતી બાઈક ટકરાતા ગંભીર ઇજાઓ પહોંચી છે. કેશોદ જુનાગઢ નેશનલ હાઈવે પર અકસ્માત થતાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે..


http://dlvr.it/TBX70F

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp