Skip to main content

કેનાલમાં પડેલા યુવકનો મૃતદેહ મળ્યો:ગોધરાના મોટી કાટડી ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં પગ લપસી જતા ગરકાવ થયેલા યુવકનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો

ગોધરા તાલુકાના મોટી કાટડી ગામે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવક આજથી બે દિવસ પહેલા પગ ધોવા માટે કેનાલમાં ઉતાર્યો હતો અને અચાનક પગ લપસી જતાં યુવક પાણીમાં ગરકાવ થયો હતો. જેથી આજુબાજુના સ્થાનિક લોકોએ બચાવવાની કોશિશ કરી, પરંતુ યુવક ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. જેથી પરિવારજનો અને આજુબાજુના લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરી હતી. ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર આવી સતત બે દિવસ સુધી ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ ગઈકાલે બહાર કાઢ્યો હતો. જે સમગ્ર બનાવની કાકણપુર પોલીસ મથકમાં અકસ્માતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગોધરા તાલુકાના મોટી કાટડી હરા ફળિયામાં રહેતા રાજેન્દ્રસિંહ નાથુસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે, આજથી બે દિવસ પહેલા તેમનો ભત્રીજો છત્રસિંહ કેસરીસિંહ સોલંકી પોતાના ગામમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પગ ધોવા માટે નીચે ઉતાર્યો હતો. ત્યારે અચાનક તેમનો પગ લપસી જતા તેઓ નર્મદા કેનાલમાં ડૂબી ગયા હતા. જ્યારે આજુબાજુના સ્થાનિક લોકોએ બચાવવાની કોશિશ કરી, પરંતુ છત્રસિંહ સોલંકી ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડીંડોર ,દિનેશ ભાભોર, વદનજી ઠાકોર અને સતીશ ડાંગી સહિતના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં બે દિવસ સુધી ભારે જહેમત બાદ ગઈકાલે છત્રસિંહ કેસરીસિંહ સોલંકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે સમગ્ર બનાવનો કાકણપુર પોલીસ મથકમાં અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


http://dlvr.it/TBYPGd

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp